શોધખોળ કરો

Surat: PM મોદીએ સુરતમાં 'જલ સંચય જન ભાગીદારી' પહેલનો કરાવ્યો શુભારંભ

Surat: જળ સંરક્ષણની દિશામાં આ એક મોટી પહેલ બનવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સુરતમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'જલ સંચય જનભાગીદારી' કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમ પહેલાથી જ ચાલી રહેલા જલશક્તિ અભિયાન - કેચ ધ રેઈનને અનુરૂપ છે, જે લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સામૂહિક જળ વ્યવસ્થાપનના PM મોદીના વિઝનને મજબૂત કરશે.

જળ સંરક્ષણ માટે મોટી પહેલ

આવી સ્થિતિમાં, જળ સંરક્ષણની દિશામાં આ એક મોટી પહેલ બનવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. નોંધનીય છે કે, PM મોદી દ્વારા તેમના મન કી બાત ભાષણમાં જળ સંચય પર આપવામાં આવેલા ભારથી પ્રેરિત થઈને, વર્ષ 2019 માં, જલ શક્તિ અભિયાન (JSA) 256 જળ તણાવગ્રસ્ત જિલ્લાઓના 2,836 બ્લોકમાંથી 1,592 બ્લોકમાં શરૂ કરવામાં આવ્યું હતું. દેશ કોવિડ રોગચાળાને કારણે 2020માં JSA લોન્ચ થઈ શક્યું નથી. વર્ષ 2021 માં, "જલ શક્તિ અભિયાન: કેચ ધ રેન" (JSA: CTR) ની શરૂઆત દેશના તમામ જિલ્લાઓ (ગ્રામીણ અને શહેરી વિસ્તારો) ના તમામ બ્લોકને આવરી લેવા માટે કરવામાં આવી હતી જેમાં 'કેચ ધ રેઈન'નો સમાવેશ કરવામાં આવ્યો હતો. "જલ શક્તિ અભિયાન: કેચ ધ રેન" અભિયાન હવે વાર્ષિક વિશેષતા બની ગયું છે અને JSA ની પાંચમી આવૃત્તિ 09 માર્ચ 2024 ના રોજ મુખ્ય થીમ "નારી શક્તિ સે જલ શક્તિ" સાથે શરૂ કરવામાં આવી હતી.

પીએમ મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું, આજે ગુજરાતની ધરતી પરથી, જલ શક્તિ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં, તાજેતરના ભૂતકાળમાં, દેશના ખૂણે-ખૂણે વરસાદે હાહાકાર મચાવ્યો હતો. ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે. જે દેશને આ આફતના કારણે કટોકટીનો સામનો કરવો પડ્યો ન હતો. આ વખતે ગુજરાતે ભારે કટોકટીનો સામનો કરવો પડ્યો. કુદરતના આ પ્રકોપને સહન કરવા માટે તમામ તંત્રમાં તાકાત ન હતી પરંતુ ગુજરાતની જનતા અને દેશવાસીઓનો સ્વભાવ છે કે સંકટના સમયે દરેક વ્યક્તિ ખભે ખભા મિલાવીને બધાની મદદ કરે છે.

આજે પણ કેટલાક રાજ્યોમાં ભયંકર વરસાદ છે. જળ સંચય એ પોલિસી નથી, આ એક પ્રયાસ છે અને વરદાન છે. આવનારી પેઢી જ્યારે આંકલન કરશે ત્યારે પ્રથમ પેરામીટર પાણીનો હશે. આ પ્રશ્ન જીવનનો છે, માનવતાનો ભવિષ્યનો છે, નવ સંકલ્પ છે તેમ જળ સરક્ષણ પહેલું સંકલ્પ છે. મને આનંદ છે કે જન ભાગીદારીમાં યોજના પ્રારંભ થાય છે.

ભારતમાં ફ્રેશ વોટરની માત્રા માત્ર ૪ ટકા જ છે. ભારત દેશના કેટલાક ભૂ ભાગને પાણીની સમસ્યા છે. પાણીનું સંકટ વધી રહ્યું છે. ભારત જ છે જે સંકટનું સમાધાન શોધી શકે છે. ભારતની પુરાતન પરંપરામાંથી ઉકેલ આવે છે. ભારતમાં જળને ઈશ્વરનું રૂપ માન્યું છે. નદીઓને માતા કહી છે. આ સબંધ હજ્જારો વર્ષો પહેલાંનો છે. આપડા ગ્રંથો કહેવાયું છે કે, તમામ પ્રાણી જળથી ઉત્પન થયા છે. જળ દાન સૌથી મોટું દાન છે.

આ કાર્યક્રમ ગુજરાતની એ ધરતી પર શરૂ થયો છે. જ્યાં ઘણા સફળ પ્રયોગો થયા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જળ સંકટ હતું એ ખબર છે. દુનિયાને બતાવીને રહીશું કે જળ સંકટનું સમાધાન થઈ શકે છે. વિપક્ષના લોકો મજાક ઉડાવે છે. પાણીની પાઇપ લાઇન નાખી છે તેમાં હવા નીકળશે તેવું વિપક્ષ કહેતા હતા. આજે જળ યોજના ગુજરાતમાં સફળ છે. પહેલા પણ હજ્જારો કરોડોની યોજના આવતી હતી, પરંતુ પરિણામ છેલ્લા ૧૦ વર્ષમાં જોવા મળી છે. હાલ પહેલી વાર જળ શક્તિ મંત્રાલય બન્યું છે, પહેલા ૩ કરોડ ઘરોમાં પાઈપથી પાણી મળતું હતું. હવે ૧૫ કરોડ ઘરોમાં પાણી પહોંચે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
Embed widget