શોધખોળ કરો

Surat: બુલેટ વેચવા બાબતે સુરતમાં 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

લિંબાયત વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી

સુરતઃ લિંબાયત વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારમાં 19 વર્ષીય યુવકની હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. જુનૈદ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાઇ હતી. બુલેટના વેચાણ બાબતે હત્યા કરવામા આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.  

Surat:  સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આ નેતાની નિમણૂક, સીઆર પાટીલે ટ્વિટ કરી જાણો શું કહ્યું ?

સુરત :  ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પક્ષ દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે   ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઇ રાઠોડની નિયુકિત કરવામાં આવી છે. આમ ફરી એક વખત ગુજરાતમાં ભાજપ સંગઠનમાં નવી નિયુકિતનો દૌર શરૂ થયો છે. 

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ટ્વિટ કરીને કહ્યું કે,  નવનિયુક્ત સુરત જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રમણભાઇ રાઠોડને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનને વધુ ને વધુ મજબૂત બનાવવા આપશ્રી સદાય સેવારત રહેશો.

કલોલમાં ST બસ ચાલકે કાબુ ગુમાવતા મુસાફરો પર બસ ફરી વળી, ચારના મોત, પાંચ ઘાયલ

ગાંધીનગરઃ કલોલમાં એસટી બસના અકસ્મતામાં ચારના મોતના સમાચાર સામે આવ્યા છે. બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળી હતી જેમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એસટી બસ ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સવારે 7.18 કલાકે આ ઘટના ઘટી હતી. ખાનગી અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

8 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.

અમદાવાદ તરફ જઈ રહેલી વિરમગામ ડેપો ની મીની બસે મુસાફરોને ટક્કર મારી છે. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો છે. 

કલોલ અબિકા નગર બસ સ્ટોપ પાસે આ ઘટના બની છે.

અમદાવાદ જવા બસની રાહ જોઇ ઉભા રહેલાં મુસાફરોને બસે ટક્કર મારી છે.

મળતી માહિતી મુજબ આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. 

ખાનગી બસે એસટી બસને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. 

GJ-18-Z-8881 નંબરની સરકારી બસને ખાનગી બસે ટક્કર મારી હતી. 

AR-01-Q-7291 નંબરની ખાનગી બસે ટક્કર મારી હતી. 

ઇજાગ્રસ્તોને સારવાર માટે પહેલા કલોલ અને બાદમાં ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે

PM Awas yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ કરશે પીએમ મોદી, લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ.1946 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12.00 વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ.1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી

વિડિઓઝ

Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસશે વરસાદ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Embed widget