શોધખોળ કરો

Surat: સુરત સિવિલમાં દંપતી નવજાત બાળકને છોડી ફરાર, પોલીસ ફરિયાદ નોંધાઈ

દંપતી પોતાના નવજાત બાળકને છોડીને ફરાર થઇ ગયા હોવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત 8 ડીસેમ્બરના રોજ દંપતી બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇને આવ્યું હતું.

સુરત: સુરતની સિવિલ હોસ્પિટલમાં એક દંપતી પોતાના નવજાત બાળકને છોડીને ફરાર થઇ ગયા હોવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત 8 ડીસેમ્બરના રોજ દંપતી બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇને આવ્યું હતું.  બાળકને સિવિલ હોસ્પિટલમાં આવેલા એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી હતી.  આ દરમિયાન બાળકના વાલી બાળકને મૂકીને ત્યાંથી જતા રહ્યા હતા. 

તબીબોએ બાળકના વાલીની શોધખોળ કરી હતી પરંતુ તેના વાલીનો ક્યાંય પતો લાગ્યો નહોતો જેથી આ મામલો આખરે ખટોદરા પોલીસ મથકે પહોચ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે મનિષા સુરેશભાઇ ભારેલા અને સુરેશભાઇ ભારેલા સામે ગુનો નોંધ્યો છે અને બાળકના વાલીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 

બાળકને હાલ સિવિલ હોસ્પિટલમાં તબીબો દેખભાળ કરી રહ્યા છે. બનાવ અંગે ખટોદરા પોલીસ મથકના પીઆઈ આર.કે.ધુળીયાએ જણાવ્યું હતું કે કામરેજ સીએસસી સેન્ટર ખાતે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને બાદમાં વધુ સારવાર અર્થે બાળકને સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. બાળકની સાથે એક મહિલા અને બે પુરુષ જે તે સમયે તેને દાખલ કરવા માટે આવ્યા હતા. પરંતુ થોડા સમય રહ્યા બાદ બાળકની સાર સંભાળ લેવા કોઈ આવતું ન હતું જેથી તબીબોએ તપાસ કરતા બાળકને ત્યજીને તેના વાલીઓ જતા રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. 

વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે હાલ ગુનો નોંધી બાળકના વાલીને શોધવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. દંપતી મૂળ મહારાષ્ટ્રના હોવાની વિગતો જાણવા મળતા ત્યાં પણ તપાસ કરવામાં આવી છે.  

સુરત સિવિલ હોસ્પિટલમાં ફરી નવજાત બાળકીને તરછોડીને માતા-પિતા ફરાર થઇ ગયા હતા. સારવાર લઈ રહેલા બાળકને વાલીએ ત્યજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ સીસીટીવીના આધારે બાળકના માતા-પિતાને શોધી રહી છે. બીજી બાજુ ઘટનાને પગલે હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. તબીબોએ ખટોદરા પોલીસને જાણ કરતા પોલીસે માતાની શોધખોળ હાથ ધરી છે. 

જે બાળકને ત્યજીને તેનાં માતાપિતા ફરાર થઈ ગયાં છે તે 2 મહિનાનું બાળકની અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 2 મહિનાનું આ બાળક અધૂરા મહિને જનમ્યું હોવાથી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં NICU વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે. 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Embed widget