શોધખોળ કરો
Advertisement
સુરતમાં સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનું કોરોના સામેની એક મહિનાની લડત પછી નિધન, જાણો વિગત
નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ સુનીલ નિમાવત 1 મહિના પહેલા તાવ, શરદી અને ખાંસી હોવાથી હોસ્પિટલમાં દાખલ થયા હતા.
સુરત: ગુજરાતમાં હાલ સુરત કોરોનાનું એપી સેન્ટર બન્યું છે, ત્યારે વધુ એક કોરોના વોરિયર્સનું મોત થયું છે. નવી સીવીલ હોસ્પિટલમાં હેડ નર્સ બાદ નર્સિંગ સ્ટાફનું મોત થયું છે. નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ સુનીલ નિમાવતનું મોત થયું છે. કોરોના પોઝિટિવ આવતા શહેરની પ્રાઇવેટ યુનિક હોસ્પિટલ ખાતે ઘણા દિવસથી દાખલ હતા.
1 મહિના પહેલા તાવ, શરદી અને ખાંસી હોવાથી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ ઓક્સિજન લેવલ ઘટી જવાથી આઈસીયુમાં હતા. છેલ્લા દસ દિવસથી વેન્ટિલેટર પર હતા, તેઓને પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી હતી. સુનિલ નિમાવતે સેન્ટરમાં પણ ફરજ બજાવી હતી. તેમજ આ કોરોના પોઝિટિવમાં ફરજ બજાવી હતી.
તેમજ બીજા રાઉન્ડમાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં પોઝિટિવ વોર્ડમાં ફરજ પર હતા. ચાર દિવસ બાદ તેઓને અચાનક તાવ, શરદી અને ખાંસી થતા દાખલ કરવામાં આવ્યા હતા. નર્સિંગ એસોસિએશન ઘેરા દુઃખની લાગણી અનુભવે છે. હાલ યુનિક હોસ્પિટલ ખાતે નર્સિંગ પરિવારના સદસ્યો અને તેમના પરિવારજનો ૧૦.૩૦ કલાકે અંતિમ વિદાય આપશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
સમાચાર
આરોગ્ય
Advertisement