શોધખોળ કરો
Advertisement

Surat : કોર્પોરેશનની સભામાં આપના કયા બે ટોચના નેતાને બહાર કાઢી મુકાતા થયો હોબાળો?
સુરત મનપાની સામાન્ય સભામાંથી આપના ગોપાલ ઇટાલિયા અને દિનેશ કાછડીયાને બહાર કાઢવામાં આવ્યા હતા. ભાજપના ઘારાસભ્યો અને હોદેદારોને હોલમાં બેસવા મળે છે તો અમને કેમ નહીં તેઓ મુદ્દો આપના નેતાઓ એઉઠાવતાં મામલો ઉગ્ર થતા બહાર કઢવામાં આવ્યા હતા.

સુરતઃ આપના નેતાને ટિંગાટોળી કરી કોર્પોરેશનની સભામાંથી બહાર કઢાયા.
સુરતઃ આજે સુરતના નવા મેયર અને અન્ય હોદ્દેદારોની ભાજપ દ્વારા વરણી કરવામાં આવી છે. ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરની વરણી થયા પછી આજે પહેલી સામાન્ય સભા મળી હતી. જોકે, સુરત મનપાની સામાન્ય સભામાંથી આપના ગોપાલ ઇટાલિયા અને દિનેશ કાછડીયાને બહાર કાઢવામાં આવ્યા હતા.
ભાજપના ઘારાસભ્યો અને હોદેદારોને હોલમાં બેસવા મળે છે તો અમને કેમ નહીં તેઓ મુદ્દો આપના નેતાઓ એઉઠાવતાં મામલો ઉગ્ર થતા બહાર કઢવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, સુરતમાં આજે નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. સુરતના નવા મેયર મેયર હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement
