શોધખોળ કરો

SURAT: NEETમાં 435 માર્ક્સ છતાં મેરિટમાં નામ નહીં જ્યારે 265 માર્ક્સવાળાને એડમિશન, હતાશ ડોક્ટર યુવકનો આપઘાત

યુવા ડોક્ટર ડો. શ્રેયસ મોદીને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં વધારે માર્ક્સ આવવા છતાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન નહીં મળતાં આપઘાત કરી લીધો છે.

સુરતઃ સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક યુવા ડોક્ટર ડો. શ્રેયસ મોદીને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં વધારે માર્ક્સ આવવા છતાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન નહીં મળતાં આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે.

ડો. શ્રેયસ મોદીએ સ્મિમેરમાંથી MBBSની પરીક્ષા પાસ કર્યા બાદ MD-એનેસ્થેસિયાનો અભ્યાસ કરવા માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) આપી હતી. ડો. શ્રેયસ મોદીને પોસ્ટ ગ્રેજ્યુએટ-નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં 435 માર્ક આવ્યા હતાપણ મેરિટ લિસ્ટમાં નામ નહોતું. બીજી તરફ  ઘણાનેં માત્ર 265 માર્કે પણ ક્વોલિફાય થતાં જોઈ ડો. શ્રેયસ મોદી હતાશ થઈ ગયા હતા. અડાજણમાં રહેતા આ ડોક્ટર યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે, અડાજણ સુરભિ રો-હાઉસ ખાતે 26 વર્ષીય ડો. શ્રેયસ દીપકકુમાર મોદી (26) રહેતા હતા. ડો. શ્રેયસ મોદીના  પિતા દીપકકુમાર મોદી હીરાના વેપારી છે. ડો. શ્રેયસે સ્મિમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેમણે MD (એનેસ્થેસિયા)માં પ્રવેશ મેળવવા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની તૈયારી કરીને પરીક્ષા આપી હતી.

સોમવારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું મેરિટ લિસ્ટ જાહેર થયું તેમાં પોતાનું  નામ ન હોવાથી ડો. મોદી હતાશ થઈ ગયા હતા. તેમણે સોમવારે સાંજે રૂમનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ લીધો હતો. અડાજણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ અંગે ડો. શ્રેયસ મોદીની માતાએ જણાવ્યું હતું કે પીજી-નીટની પરીક્ષામાં મારા દીકરાના 435 માર્ક હોવા છતાં તેનું નામ મેરિટમાં આવ્યું ન હતું જ્યારે બીજાંને ઓછા માર્ક્સ છતાં મેરીટમાં નામ હોવાથી તેણે આવું પગલું ભરી લીધું. પરિવારે જણાવ્યું હતું કે સાંજે 5:50એ મેરિટ જોયું અને 10 જ મિનિટમાં આપઘાત કર્યો હતો. લિસ્ટ જોઈને શ્રેયસ ભારે હતાશ થઈ ગયો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
સુરતીઓ સાવધાન! પ્રખ્યાત હોટલ અને ડેરીઓમાં પનીર-ચીઝના સેમ્પલ ટેસ્ટિંગમાં થયા ફેલ!
સુરતીઓ સાવધાન! પ્રખ્યાત હોટલ અને ડેરીઓમાં પનીર-ચીઝના સેમ્પલ ટેસ્ટિંગમાં થયા ફેલ!
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Embed widget