શોધખોળ કરો

SURAT: NEETમાં 435 માર્ક્સ છતાં મેરિટમાં નામ નહીં જ્યારે 265 માર્ક્સવાળાને એડમિશન, હતાશ ડોક્ટર યુવકનો આપઘાત

યુવા ડોક્ટર ડો. શ્રેયસ મોદીને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં વધારે માર્ક્સ આવવા છતાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન નહીં મળતાં આપઘાત કરી લીધો છે.

સુરતઃ સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક યુવા ડોક્ટર ડો. શ્રેયસ મોદીને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં વધારે માર્ક્સ આવવા છતાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન નહીં મળતાં આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે.

ડો. શ્રેયસ મોદીએ સ્મિમેરમાંથી MBBSની પરીક્ષા પાસ કર્યા બાદ MD-એનેસ્થેસિયાનો અભ્યાસ કરવા માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) આપી હતી. ડો. શ્રેયસ મોદીને પોસ્ટ ગ્રેજ્યુએટ-નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં 435 માર્ક આવ્યા હતાપણ મેરિટ લિસ્ટમાં નામ નહોતું. બીજી તરફ  ઘણાનેં માત્ર 265 માર્કે પણ ક્વોલિફાય થતાં જોઈ ડો. શ્રેયસ મોદી હતાશ થઈ ગયા હતા. અડાજણમાં રહેતા આ ડોક્ટર યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે, અડાજણ સુરભિ રો-હાઉસ ખાતે 26 વર્ષીય ડો. શ્રેયસ દીપકકુમાર મોદી (26) રહેતા હતા. ડો. શ્રેયસ મોદીના  પિતા દીપકકુમાર મોદી હીરાના વેપારી છે. ડો. શ્રેયસે સ્મિમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેમણે MD (એનેસ્થેસિયા)માં પ્રવેશ મેળવવા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની તૈયારી કરીને પરીક્ષા આપી હતી.

સોમવારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું મેરિટ લિસ્ટ જાહેર થયું તેમાં પોતાનું  નામ ન હોવાથી ડો. મોદી હતાશ થઈ ગયા હતા. તેમણે સોમવારે સાંજે રૂમનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ લીધો હતો. અડાજણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ અંગે ડો. શ્રેયસ મોદીની માતાએ જણાવ્યું હતું કે પીજી-નીટની પરીક્ષામાં મારા દીકરાના 435 માર્ક હોવા છતાં તેનું નામ મેરિટમાં આવ્યું ન હતું જ્યારે બીજાંને ઓછા માર્ક્સ છતાં મેરીટમાં નામ હોવાથી તેણે આવું પગલું ભરી લીધું. પરિવારે જણાવ્યું હતું કે સાંજે 5:50એ મેરિટ જોયું અને 10 જ મિનિટમાં આપઘાત કર્યો હતો. લિસ્ટ જોઈને શ્રેયસ ભારે હતાશ થઈ ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News । બોપલમાં બિલ્ડર પર ફાયરિંગના કેસમાં થઈ ક્રોસ ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલોAnand News । પેટલાદ સુણાવ રોડ પર પ્લાયવૂડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગSurendranagar News । ક્ષત્રિય સમાજે કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવSurat News । જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Election 2024 Update:  પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની અધ્યક્ષતામાં ક્ષત્રિયોની બેઠક, રૂપાલાને માફ કરવા અપીલ
Election 2024 Update: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની અધ્યક્ષતામાં ક્ષત્રિયોની બેઠક, રૂપાલાને માફ કરવા અપીલ
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે?  શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે? શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Embed widget