શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતઃ યુવતીએ પરિચિત યુવક પાસે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યાના પાંચ દિવસ પછી જ કરી લીધો આપઘાત.........
મૂળ ઉત્તરપ્રદેશના વતની નંદુ પાસવાનની સૌથી મોટી પુત્રી સવિતાએ રવિવારે રાત્રે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
![સુરતઃ યુવતીએ પરિચિત યુવક પાસે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યાના પાંચ દિવસ પછી જ કરી લીધો આપઘાત......... Surat: girl commits suicide after 5 day of purchase new mobile details here સુરતઃ યુવતીએ પરિચિત યુવક પાસે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યાના પાંચ દિવસ પછી જ કરી લીધો આપઘાત.........](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/05165724/srt-girl.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(મૃતક યુવતીની ફાઇલ તસવીર)
સુરતઃ સુરતના સચિન વિસ્તારના જયરાજનગરમાં રહેતી 18 વર્ષની યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. યુવતીએ પાંચ દિવસ પહેલાં પોતાના પરિચિત યુવક પાસે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યો હતો. એ પછી શું બન્યું કે તેણે આપઘાત કરી લીધો એ મોટો સવાલ છે. પોલીસે આ મોબાઈલ ફોન કબજે લઈને તપાસ શરૂ કરી છે.
પોલીસ પાસેથી આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સચિનમાં આવેલા જયરાજનગરમાં રહેતી સવિતા નંદુ પાસવાન (ઉં.વ. 18) ધોરણ 12 પાસ કર્યા પછી સચિન આઈઆઈટીમાં ભણતી હતી. મૂળ ઉત્તરપ્રદેશના વતની નંદુ પાસવાનની સૌથી મોટી પુત્રી સવિતાએ રવિવારે રાત્રે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રવિવારે રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં સવિતાvs ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈને તેનો પાંચ વર્ષીય ભાઈ ઘર નજીક ઇંડાની લારી ચલાવતી માતા પાસે દોડી ગયો હતો, અને તેને ઘરે લઈ આવ્યો હતો. સવિતાની માતાએ જાણ કરતાં ગેરેજ ચલાવતા સવિતાના પિતા પણ ઘરે દોડી આવ્યા હતા. પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લેનારી સવિતાને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સારવાર મળે તે પહેલાં જ સવિતાનું મોત થઈ ગયું હતું.
સચિન પોલીસ મથકના હે. કો. ઇશ્વરસિંહે જણાવ્યું હતું કે, ધોરણ-12 બાદ સવિતા સચિન સ્થિત આઈટીઆઈમાં અભ્યાસ કરી રહી હતી. હજી સવિતાના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. સવિતાએ પાંચેક દિવસ પહેલાં જ ઘર નજીક રહેતા પરિચિત યુવક પાસે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યો હતો. આ મોબાઈલ ફોન કબજે લઈ તપાસ શરૂ કરાઈ છે.
કપાસિયા તેલના ભાવમાં ભડકો, જાણો ડબ્બાનો ભાવ કેટલાએ પહોંચ્યો
ગુજરાત પ્રવાસે આવેલા જે પી નડ્ડાએ ભાજપના નેતાઓને ખખડાવ્યા, જાણો શું કહ્યું
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)