શોધખોળ કરો

Surat: સુરતના લિંબાયતમાં ડુપ્લીકેટ તેલનો પર્દાફાશ, 1200 રૂપિયાનું ભેળસેળિયું તેલ 1800માં વેચતા હતા

Surat News: લિંબાયતના ત્રિકમનગર વિસ્તારમાં શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોર નામની બે દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ તેલ વેચાતા હતા.

સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં 1200 રૂપિયાના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર ચોંટાડી 1800 રૂપિયામાં ભેળસેળિયું તેલ વેચવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ ઘટના બાદ બે દુકાનદારોને ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, લિંબાયતના ત્રિકમનગર વિસ્તારમાં શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોર નામની બે દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ તેલ વેચાતા હતા.

આ દુકાનદારો માર્કેટમાંથી 1200 રૂપિયામાં સસ્તું તેલ ખરીદીને તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર અને બુચ લગાવી 1850 રૂપિયામાં વેચી દેતા હતા. જ્યારે આ બાબત બ્રાન્ડેડ કંપનીના ધ્યાનમાં આવી ત્યારે તેમના સ્ટાફે પોલીસની મદદથી ડમી ગ્રાહક બનીને આ બંને દુકાનોમાંથી તેલ ખરીદી કરીને પુરાવા એકત્રિત કર્યા. તપાસ દરમિયાન પોલીસને બંને દુકાનોમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.

આ ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર અને બુચ ચોંટાડવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને દુકાનદારો લાલારામ કાનુજી તૈલી અને મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી તેમને ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં પણ સુરતના કેટલાક વિસ્તારોમાં ડુપ્લીકેટ તેલ વેચાવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આ ઘટના બાદ ગ્રાહકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ ખરીદી કરતી વખતે ખાસ તકેદારી રાખે અને શંકાસ્પદ લાગે તો ખરીદી ન કરે.

આજકાલ બજારમાં મળતા કેટલાક ખાદ્યતેલમાં ભેળસેળ થતી હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ ભેળસેળથી આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાન થઈ શકે છે.

તેથી, ખરીદી કરતી વખતે ખાદ્યતેલમાં ભેળસેળ થઈ છે કે નહીં તે ઓળખી શકાય તે માટે નીચે કેટલીક ટીપ્સ આપી છે:

1. દેખાવ:

  • શુદ્ધ ખાદ્યતેલ સ્પષ્ટ અને પારદર્શક હોય છે. તેમાં કોઈ ગંદકી, કણો જોવા મળતા નથી.
  • જો તેલમાં ધુળ, ગંદકી, ગાઢતા અથવા કોઈપણ પ્રકારના કણો દેખાય છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

2. ગંધ:

  • શુદ્ધ ખાદ્યતેલમાં તેના સ્ત્રોતનો કુદરતી સુગંધ હોય છે.
  • જો તેલમાં કોઈ અપ્રિય ગંધ, ખાટી ગંધ અથવા બગડેલા તેલ જેવી ગંધ આવે છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

3. સ્વાદ:

  • શુદ્ધ ખાદ્યતેલનો સ્વાદ તેના સ્ત્રોત અનુસાર હોય છે.
  • જો તેલમાં કડવો સ્વાદ, બગડેલા તેલ જેવો સ્વાદ અથવા કોઈ અન્ય અપ્રિય સ્વાદ આવે છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

4. ઠંડુ કરવું:

  • શુદ્ધ ખાદ્યતેલને ઠંડા સ્થાને મૂકવાથી તે ઘન બની જાય છે.
  • જો તેલ ઠંડુ કર્યા પછી પણ પ્રવાહી રહે છે, તો તેમાં ભેળસેળ થઈ શકે છે.

5. જ્વલન:

  • શુદ્ધ ખાદ્યતેલ ઊંચા તાપમાને સમાન રીતે બળે છે.
  • જો તેલ બળતી વખતે કાળા ધુમાડા, અપ્રિય ગંધ અથવા અસમાન રીતે બળે છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

6. ઘરેલું પરીક્ષણ:

  • ઘણી ઘરેલું પરીક્ષણો છે જે તમે ખાદ્યતેલમાં ભેળસેળ શોધવા માટે કરી શકો છો.
  • કેટલાક સામાન્ય પરીક્ષણોમાં હળદર પાણીનો ઉપયોગ, આયોડિન ટિંચરનો ઉપયોગ અને સાબુનો ઉપયોગ શામેલ છે.

7. પ્રતિષ્ઠિત બ્રાન્ડ ખરીદો:

  • હંમેશા પ્રતિષ્ઠિત બ્રાન્ડ અને વિશ્વસનીય વેચાણકર્તાઓ પાસેથી ખાદ્યતેલ ખરીદો.
  • સીલબંધ પેકેજિંગ અને ઉત્પાદન તારીખ અને એક્સપાયરી તારીખની ચકાસણી કરવાનું ભૂલશો નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget