શોધખોળ કરો

Surat: સુરતના લિંબાયતમાં ડુપ્લીકેટ તેલનો પર્દાફાશ, 1200 રૂપિયાનું ભેળસેળિયું તેલ 1800માં વેચતા હતા

Surat News: લિંબાયતના ત્રિકમનગર વિસ્તારમાં શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોર નામની બે દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ તેલ વેચાતા હતા.

સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં 1200 રૂપિયાના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર ચોંટાડી 1800 રૂપિયામાં ભેળસેળિયું તેલ વેચવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ ઘટના બાદ બે દુકાનદારોને ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, લિંબાયતના ત્રિકમનગર વિસ્તારમાં શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોર નામની બે દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ તેલ વેચાતા હતા.

આ દુકાનદારો માર્કેટમાંથી 1200 રૂપિયામાં સસ્તું તેલ ખરીદીને તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર અને બુચ લગાવી 1850 રૂપિયામાં વેચી દેતા હતા. જ્યારે આ બાબત બ્રાન્ડેડ કંપનીના ધ્યાનમાં આવી ત્યારે તેમના સ્ટાફે પોલીસની મદદથી ડમી ગ્રાહક બનીને આ બંને દુકાનોમાંથી તેલ ખરીદી કરીને પુરાવા એકત્રિત કર્યા. તપાસ દરમિયાન પોલીસને બંને દુકાનોમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.

આ ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર અને બુચ ચોંટાડવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને દુકાનદારો લાલારામ કાનુજી તૈલી અને મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી તેમને ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં પણ સુરતના કેટલાક વિસ્તારોમાં ડુપ્લીકેટ તેલ વેચાવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આ ઘટના બાદ ગ્રાહકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ ખરીદી કરતી વખતે ખાસ તકેદારી રાખે અને શંકાસ્પદ લાગે તો ખરીદી ન કરે.

આજકાલ બજારમાં મળતા કેટલાક ખાદ્યતેલમાં ભેળસેળ થતી હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ ભેળસેળથી આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાન થઈ શકે છે.

તેથી, ખરીદી કરતી વખતે ખાદ્યતેલમાં ભેળસેળ થઈ છે કે નહીં તે ઓળખી શકાય તે માટે નીચે કેટલીક ટીપ્સ આપી છે:

1. દેખાવ:

  • શુદ્ધ ખાદ્યતેલ સ્પષ્ટ અને પારદર્શક હોય છે. તેમાં કોઈ ગંદકી, કણો જોવા મળતા નથી.
  • જો તેલમાં ધુળ, ગંદકી, ગાઢતા અથવા કોઈપણ પ્રકારના કણો દેખાય છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

2. ગંધ:

  • શુદ્ધ ખાદ્યતેલમાં તેના સ્ત્રોતનો કુદરતી સુગંધ હોય છે.
  • જો તેલમાં કોઈ અપ્રિય ગંધ, ખાટી ગંધ અથવા બગડેલા તેલ જેવી ગંધ આવે છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

3. સ્વાદ:

  • શુદ્ધ ખાદ્યતેલનો સ્વાદ તેના સ્ત્રોત અનુસાર હોય છે.
  • જો તેલમાં કડવો સ્વાદ, બગડેલા તેલ જેવો સ્વાદ અથવા કોઈ અન્ય અપ્રિય સ્વાદ આવે છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

4. ઠંડુ કરવું:

  • શુદ્ધ ખાદ્યતેલને ઠંડા સ્થાને મૂકવાથી તે ઘન બની જાય છે.
  • જો તેલ ઠંડુ કર્યા પછી પણ પ્રવાહી રહે છે, તો તેમાં ભેળસેળ થઈ શકે છે.

5. જ્વલન:

  • શુદ્ધ ખાદ્યતેલ ઊંચા તાપમાને સમાન રીતે બળે છે.
  • જો તેલ બળતી વખતે કાળા ધુમાડા, અપ્રિય ગંધ અથવા અસમાન રીતે બળે છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

6. ઘરેલું પરીક્ષણ:

  • ઘણી ઘરેલું પરીક્ષણો છે જે તમે ખાદ્યતેલમાં ભેળસેળ શોધવા માટે કરી શકો છો.
  • કેટલાક સામાન્ય પરીક્ષણોમાં હળદર પાણીનો ઉપયોગ, આયોડિન ટિંચરનો ઉપયોગ અને સાબુનો ઉપયોગ શામેલ છે.

7. પ્રતિષ્ઠિત બ્રાન્ડ ખરીદો:

  • હંમેશા પ્રતિષ્ઠિત બ્રાન્ડ અને વિશ્વસનીય વેચાણકર્તાઓ પાસેથી ખાદ્યતેલ ખરીદો.
  • સીલબંધ પેકેજિંગ અને ઉત્પાદન તારીખ અને એક્સપાયરી તારીખની ચકાસણી કરવાનું ભૂલશો નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget