શોધખોળ કરો

Surat: સુરતના લિંબાયતમાં ડુપ્લીકેટ તેલનો પર્દાફાશ, 1200 રૂપિયાનું ભેળસેળિયું તેલ 1800માં વેચતા હતા

Surat News: લિંબાયતના ત્રિકમનગર વિસ્તારમાં શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોર નામની બે દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ તેલ વેચાતા હતા.

સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં 1200 રૂપિયાના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર ચોંટાડી 1800 રૂપિયામાં ભેળસેળિયું તેલ વેચવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ ઘટના બાદ બે દુકાનદારોને ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, લિંબાયતના ત્રિકમનગર વિસ્તારમાં શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોર નામની બે દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ તેલ વેચાતા હતા.

આ દુકાનદારો માર્કેટમાંથી 1200 રૂપિયામાં સસ્તું તેલ ખરીદીને તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર અને બુચ લગાવી 1850 રૂપિયામાં વેચી દેતા હતા. જ્યારે આ બાબત બ્રાન્ડેડ કંપનીના ધ્યાનમાં આવી ત્યારે તેમના સ્ટાફે પોલીસની મદદથી ડમી ગ્રાહક બનીને આ બંને દુકાનોમાંથી તેલ ખરીદી કરીને પુરાવા એકત્રિત કર્યા. તપાસ દરમિયાન પોલીસને બંને દુકાનોમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.

આ ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર અને બુચ ચોંટાડવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને દુકાનદારો લાલારામ કાનુજી તૈલી અને મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી તેમને ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં પણ સુરતના કેટલાક વિસ્તારોમાં ડુપ્લીકેટ તેલ વેચાવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આ ઘટના બાદ ગ્રાહકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ ખરીદી કરતી વખતે ખાસ તકેદારી રાખે અને શંકાસ્પદ લાગે તો ખરીદી ન કરે.

આજકાલ બજારમાં મળતા કેટલાક ખાદ્યતેલમાં ભેળસેળ થતી હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ ભેળસેળથી આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાન થઈ શકે છે.

તેથી, ખરીદી કરતી વખતે ખાદ્યતેલમાં ભેળસેળ થઈ છે કે નહીં તે ઓળખી શકાય તે માટે નીચે કેટલીક ટીપ્સ આપી છે:

1. દેખાવ:

  • શુદ્ધ ખાદ્યતેલ સ્પષ્ટ અને પારદર્શક હોય છે. તેમાં કોઈ ગંદકી, કણો જોવા મળતા નથી.
  • જો તેલમાં ધુળ, ગંદકી, ગાઢતા અથવા કોઈપણ પ્રકારના કણો દેખાય છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

2. ગંધ:

  • શુદ્ધ ખાદ્યતેલમાં તેના સ્ત્રોતનો કુદરતી સુગંધ હોય છે.
  • જો તેલમાં કોઈ અપ્રિય ગંધ, ખાટી ગંધ અથવા બગડેલા તેલ જેવી ગંધ આવે છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

3. સ્વાદ:

  • શુદ્ધ ખાદ્યતેલનો સ્વાદ તેના સ્ત્રોત અનુસાર હોય છે.
  • જો તેલમાં કડવો સ્વાદ, બગડેલા તેલ જેવો સ્વાદ અથવા કોઈ અન્ય અપ્રિય સ્વાદ આવે છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

4. ઠંડુ કરવું:

  • શુદ્ધ ખાદ્યતેલને ઠંડા સ્થાને મૂકવાથી તે ઘન બની જાય છે.
  • જો તેલ ઠંડુ કર્યા પછી પણ પ્રવાહી રહે છે, તો તેમાં ભેળસેળ થઈ શકે છે.

5. જ્વલન:

  • શુદ્ધ ખાદ્યતેલ ઊંચા તાપમાને સમાન રીતે બળે છે.
  • જો તેલ બળતી વખતે કાળા ધુમાડા, અપ્રિય ગંધ અથવા અસમાન રીતે બળે છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

6. ઘરેલું પરીક્ષણ:

  • ઘણી ઘરેલું પરીક્ષણો છે જે તમે ખાદ્યતેલમાં ભેળસેળ શોધવા માટે કરી શકો છો.
  • કેટલાક સામાન્ય પરીક્ષણોમાં હળદર પાણીનો ઉપયોગ, આયોડિન ટિંચરનો ઉપયોગ અને સાબુનો ઉપયોગ શામેલ છે.

7. પ્રતિષ્ઠિત બ્રાન્ડ ખરીદો:

  • હંમેશા પ્રતિષ્ઠિત બ્રાન્ડ અને વિશ્વસનીય વેચાણકર્તાઓ પાસેથી ખાદ્યતેલ ખરીદો.
  • સીલબંધ પેકેજિંગ અને ઉત્પાદન તારીખ અને એક્સપાયરી તારીખની ચકાસણી કરવાનું ભૂલશો નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Embed widget