શોધખોળ કરો

Surat: સુરતના લિંબાયતમાં ડુપ્લીકેટ તેલનો પર્દાફાશ, 1200 રૂપિયાનું ભેળસેળિયું તેલ 1800માં વેચતા હતા

Surat News: લિંબાયતના ત્રિકમનગર વિસ્તારમાં શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોર નામની બે દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ તેલ વેચાતા હતા.

સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં 1200 રૂપિયાના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર ચોંટાડી 1800 રૂપિયામાં ભેળસેળિયું તેલ વેચવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ ઘટના બાદ બે દુકાનદારોને ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, લિંબાયતના ત્રિકમનગર વિસ્તારમાં શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોર નામની બે દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ તેલ વેચાતા હતા.

આ દુકાનદારો માર્કેટમાંથી 1200 રૂપિયામાં સસ્તું તેલ ખરીદીને તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર અને બુચ લગાવી 1850 રૂપિયામાં વેચી દેતા હતા. જ્યારે આ બાબત બ્રાન્ડેડ કંપનીના ધ્યાનમાં આવી ત્યારે તેમના સ્ટાફે પોલીસની મદદથી ડમી ગ્રાહક બનીને આ બંને દુકાનોમાંથી તેલ ખરીદી કરીને પુરાવા એકત્રિત કર્યા. તપાસ દરમિયાન પોલીસને બંને દુકાનોમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.

આ ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર અને બુચ ચોંટાડવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને દુકાનદારો લાલારામ કાનુજી તૈલી અને મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી તેમને ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં પણ સુરતના કેટલાક વિસ્તારોમાં ડુપ્લીકેટ તેલ વેચાવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આ ઘટના બાદ ગ્રાહકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ ખરીદી કરતી વખતે ખાસ તકેદારી રાખે અને શંકાસ્પદ લાગે તો ખરીદી ન કરે.

આજકાલ બજારમાં મળતા કેટલાક ખાદ્યતેલમાં ભેળસેળ થતી હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ ભેળસેળથી આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાન થઈ શકે છે.

તેથી, ખરીદી કરતી વખતે ખાદ્યતેલમાં ભેળસેળ થઈ છે કે નહીં તે ઓળખી શકાય તે માટે નીચે કેટલીક ટીપ્સ આપી છે:

1. દેખાવ:

  • શુદ્ધ ખાદ્યતેલ સ્પષ્ટ અને પારદર્શક હોય છે. તેમાં કોઈ ગંદકી, કણો જોવા મળતા નથી.
  • જો તેલમાં ધુળ, ગંદકી, ગાઢતા અથવા કોઈપણ પ્રકારના કણો દેખાય છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

2. ગંધ:

  • શુદ્ધ ખાદ્યતેલમાં તેના સ્ત્રોતનો કુદરતી સુગંધ હોય છે.
  • જો તેલમાં કોઈ અપ્રિય ગંધ, ખાટી ગંધ અથવા બગડેલા તેલ જેવી ગંધ આવે છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

3. સ્વાદ:

  • શુદ્ધ ખાદ્યતેલનો સ્વાદ તેના સ્ત્રોત અનુસાર હોય છે.
  • જો તેલમાં કડવો સ્વાદ, બગડેલા તેલ જેવો સ્વાદ અથવા કોઈ અન્ય અપ્રિય સ્વાદ આવે છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

4. ઠંડુ કરવું:

  • શુદ્ધ ખાદ્યતેલને ઠંડા સ્થાને મૂકવાથી તે ઘન બની જાય છે.
  • જો તેલ ઠંડુ કર્યા પછી પણ પ્રવાહી રહે છે, તો તેમાં ભેળસેળ થઈ શકે છે.

5. જ્વલન:

  • શુદ્ધ ખાદ્યતેલ ઊંચા તાપમાને સમાન રીતે બળે છે.
  • જો તેલ બળતી વખતે કાળા ધુમાડા, અપ્રિય ગંધ અથવા અસમાન રીતે બળે છે, તો તે ભેળસેળનું સંકેત હોઈ શકે છે.

6. ઘરેલું પરીક્ષણ:

  • ઘણી ઘરેલું પરીક્ષણો છે જે તમે ખાદ્યતેલમાં ભેળસેળ શોધવા માટે કરી શકો છો.
  • કેટલાક સામાન્ય પરીક્ષણોમાં હળદર પાણીનો ઉપયોગ, આયોડિન ટિંચરનો ઉપયોગ અને સાબુનો ઉપયોગ શામેલ છે.

7. પ્રતિષ્ઠિત બ્રાન્ડ ખરીદો:

  • હંમેશા પ્રતિષ્ઠિત બ્રાન્ડ અને વિશ્વસનીય વેચાણકર્તાઓ પાસેથી ખાદ્યતેલ ખરીદો.
  • સીલબંધ પેકેજિંગ અને ઉત્પાદન તારીખ અને એક્સપાયરી તારીખની ચકાસણી કરવાનું ભૂલશો નહીં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget