શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતઃ થાઈ યુવતી મીમ્મીને કોણે જીવતી સળગાવી દીધી? કોની સંડોવણી ખૂલે તેવી પ્રબળ શક્યતા? નામ જાણી ચોંકી જશો
હત્યાનો ભોગ બનેલી મિમ્મીની રૂમ પાર્ટનર એડા અને મિત્ર ચેતનની હત્યામાં સંડોવણી હોવાની શંકા છે. ટૂંકમાં ખુલાસો થાય તેવી શકયતા છે.
![સુરતઃ થાઈ યુવતી મીમ્મીને કોણે જીવતી સળગાવી દીધી? કોની સંડોવણી ખૂલે તેવી પ્રબળ શક્યતા? નામ જાણી ચોંકી જશો Surat Thai girl murder case : any time police may declare name of murderers સુરતઃ થાઈ યુવતી મીમ્મીને કોણે જીવતી સળગાવી દીધી? કોની સંડોવણી ખૂલે તેવી પ્રબળ શક્યતા? નામ જાણી ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/12130839/thai-girl.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરત: શહેરના ચકચારી થાઈ યુવતી વનીદા ઉર્ફે મીમ્મીના રહસ્યમય મોતના કેસમાં ગમે ત્યારે મોટો ધડાકો થાય તેવી શક્યતા છે. સુરત પોલીસે આ રહસ્યમય મોતના કેસમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે. તેમજ ગમે ત્યારે હત્યારાના નામનો ખુલાસો થાય તેવી પણ પ્રબળ શક્યતા છે. થાઈલેન્ડ યુવતીને જીવતી સળગાઈ દેવાનો મામલે ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
6 દિવસ બાદ SITની રચના કરી હત્યાના પુરાવા મળતા કર્યો ગુનો દાખલ કરાયો છે. અજાણીયા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સુરતના અલગ અલગ સ્પામાં થાઈ યુવતી મીમ્મી કામ કરતી હતી. હત્યાનો ભોગ બનેલી મિમ્મીની રૂમ પાર્ટનર એડા અને મિત્ર ચેતનની હત્યામાં સંડોવણી હોવાની શંકા છે. ટૂંકમાં ખુલાસો થાય તેવી શકયતા છે.
ગત રવિવારે સવારે મગદલ્લા સ્થિત ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઈલેન્ડની યુવતીની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ રહસ્યમય મોતના કેસમાં પોલીસના હાથમાં મહત્વના પુરાવા લાગ્યા છે. છ દિવસ બાદ SITની રચના કરી પુરાવા મળતા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હવે આ દિશામાં વધુ તપાસ થશે.
થાઇલેન્ડની યુવતી વનીદાના રહસ્યમય મોત કેસમાં સત્ય સુધી પહોંચવા પોલીસ પ્રયત્નશીલ છે ત્યારે આ કેસમાં ચેતન નામના નવા કેરેક્ટરની એન્ટ્રી થઈ છે. વનીદાની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી લાશ મળી આવી તેના ગણતરીના કલાકો પૂર્વે એટલે કે શનિવારે રાત્રે 1.30 વાગ્યે વનીદાએ ચેતન નામના યુવાનને લાઇન એપ્લિકેશન પરથી વિડીયો કોલ કર્યો હતો.
ચેતન વેસુ વિસ્તારના સ્પામાં મેનેજર છે અને તેનો પરિવાર વરાછા વિસ્તારમાં રહે છે. ચેતન પોતે મગદલ્લા વિસ્તારમાં જ ભાડાના મકાનમાં રહે છે. વનીદાએ તેને અડધી રાત્રે શું કરવા કોલ કર્યો એ સવાલનો જવાબ મેળવવા પોલીસે મથામણ શરૂ કરી છે. વનીદાનું શોર્ટ સર્કીટથી આગ લાગવાથી થયું હોવાનો પહેલો દાવો કરાતો હતો પણ ડીજીવીસીએલના અધિકારીએ પોલીસ સમક્ષ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો ઈન્કાર કર્યો છે. એ પછી હવે ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરે પણ ઇન્કાર કર્યો હતો. જોકે, હવે હત્યાનો ગુનો દાખલ થતા આ દિશામાં તપાસ થશે.
મગદલ્લાના ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની યુવતી વનીદા બુર્સોના ઉર્ફે મીમ્મીની હત્યા થઈ કે અકસ્માત મોત થયું તેના ભેદ ઉકેલવા માટે મથામણ કરી રહેલી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. વનીદા ઉર્ફે મીમ્મીના અપમૃત્યુ કેસમાં એફએસએલ, ફોરેન્સીક મેડિકલની ટીમ, ડીજીવીસીએલ કંપનીના અધિકારીઓ, ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરને સાથે રાખી તપાસ કરાઈ રહી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)