શોધખોળ કરો
ચોમાસામાં પાણી માટે ટળવળતા ભૂજવાસીઓ

કચ્છઃ ભુજ શહેરને આગામી 3 દિવસ નર્મદાનું પાણી નહીં મળે. ભચાઉ નજીક નર્મદાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ભુજ શહેરને 3 દિવસ નર્મદાનું પાણી નહીં મળે. આગામી 3 દિવસ સુધી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા ભુજ નગરપાલિકા દ્વારા શેહેરિજનોને અપીલ કરવામાં આવી છે. આ પાણીની લાઈન રીપેર કરતા 3 દિવસનો સમય લાગશે. ભુજમાં દૈનિક 36 MLD પાણીની જરૂરિયાત સામે નગરપાલિકાના બોરમાંથી માત્ર 10 MLD પાણી મળે છે. જેને કારણે આગામી 3 દિવસ સુધી ભુજમાં પાણીની બૂમો ઉઠશે. જો કે નર્મદાની પાણીની લાઇનમાં વારંવાર સર્જાતા ભંગાણને કારણે લોકો ભારે પરેશાન પરેશાન થઇ ગયા છે. અને વારંવાર આ ઘટના પુનરાવર્તન થતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. જેથી ચોમાસામાં પણ ભુજવાસીઓને પાણીથી ટળવળવું પડશે.
વધુ વાંચો























