શોધખોળ કરો

વડોદરાવાસીઓને મગરની સમસ્યાથી મળશે છૂટકારો, નદીમાં બનશે મગરનો પાર્ક

વડોદરાવાસીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે

ગાંધીનગરઃ વડોદરાવાસીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, વડોદરાવાસીઓને મગરની સમસ્યાથી છૂટકારો મળશે. વડોદરામાં મગરનો પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીમાં જ મગરનો પાર્ક બનશે. એક જ જગ્યાએ તમામ 250 જેટલા મગરોને રાખવામાં આવશે.

ચોમાસા દરમિયાન શહેરમાં ઘૂસી આવતા મગરોથી લોકોને છૂટકારો મળશે. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં અન્ય એક મગરનો પાર્ક બનાવવામાં આવશે. ઢાઢર નદીમાં બીજો મગરનો પાર્ક બનાવવામાં આવશે. દર વર્ષે અંદાજે 3થી4 ખેડૂતોના મગરના કારણે થતા મૃત્યુ અટકશે. બંને પાર્કને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવાશે.

Accident: દાહોદમાં ગરબાડા ચોકડી નજીક વહેલી સવારે રીક્ષા લઈને શાકભાજી ખરીદવા નીકળેલા દંપત્તિને ટ્રકે મારી ટક્કર, બંનેના મોત, બાળકનો બચાવ

Accident: રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો ચાલુ છે. દાહોદના ગરબાડા ચોકડી નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં દંપતિનું મોત થયું અને બાળક ઘાયલ થયો.  રીક્ષા ચાલક દંપત્તિ વહેલી સવારે શાકભાજી લેવા માટે  નીકળ્યું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. ઘાયલ બાળકને 108 ની મદદથી સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્ય હાથ ધરી હતી. દંપત્તિના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

 રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ

રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું અને ગરમીનું પ્રમાણ વધતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. આ સાથે આગામી 22થી 26 દરમિયાન માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી તાપમાનો પારો ઉચકાયો છે જેથી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાન વધી ગયુ છે. તાપમાનના વધારાને કારણે ઠંડીની અસર ઘટી ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી ગયુ છે. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી પારો ઉંચકતા ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક શહેરોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક ઠંડીનો રાઉન્ડ પણ બાકી છે. હવામાંન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, પશ્ચિમ ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. આગામી 13મી ફેબ્રુઆરીથી વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે.

તુર્કીમાં વિનાશક ભૂકંપ બાદ 435 આંચકા અનુભવાયા

6 ફેબ્રુઆરીના રોજ તુર્કી અને સીરિયામાં આવેલા 7.7 તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં કુલ 8000 થી વધુ લોકોના મોત થયા છે. ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. અનેક ઈમારતો પત્તાના મહેલની જેમ પડી ગઈ છે. તુર્કીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે 6 ફેબ્રુઆરીએ કહરામનમારા વિસ્તારમાં 7.7 તીવ્રતાના ભૂકંપ પછી અત્યાર સુધીમાં કુલ 435 ભૂકંપ નોંધાયા છે. તેમણે કહ્યું કે ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્ય માટે અત્યાર સુધીમાં કુલ 60,217 કર્મચારીઓ અને 4,746 વાહનો અને બાંધકામ સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ દુનિયાના દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે, રાહત અને બચાવ કાર્ય માટે કુલ 70 દેશોની ટીમો તુર્કી પહોંચી છે. પરંતુ તુર્કીનું ખરાબ હવામાન રાહત અને બચાવમાં અવરોધ બની રહ્યું છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget