શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં સ્વામીનારાયણના 4 સંતોને કોરોના થઈ જતાં ખળભળાટ, જાણો ચારેયને ક્યાં રખાયા ?

બીજી તરફ કોરોનાના કેસ વધતાં તમામ અર્બન હેલ્થ સેન્ટર પર રવિવારની રજા રદ્દ કરવામાં આવી છે.

વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસો 10 હજારની આસપાસ થઈ ગયા છે. કોરોનાના વધી રહેલા કેસોના  કારણે લોકોમાં ભારે ફફડાટ છે ત્યારે વડોદરા શહેરમાં રોકેટ ગતિએ કોરોનાનું સંક્ર્મણ ફેલાઈ રહ્યું છે તેથી લોકો ફફડી ગયાં છે. વડોદરામાં છેલ્લા બે દિવસથી દરરોજના 1200 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

દરમિયાનમાં વડોદરામાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) સ્વામિનારાયણ મંદિરના ચાર સંતો કોરોના સંક્રમિત થયા હોવાથી ખળભળાટ મચ્યો છે. બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) સ્વામિનારાયણ મંદિરના ચારેય સંતો ને મંદિર પરિસરમાં સંત નિવાસમાં કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

બીજી તરફ કોરોનાના કેસ વધતાં તમામ અર્બન હેલ્થ સેન્ટર પર રવિવારની રજા રદ્દ કરવામાં આવી છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પૂરી થતાં હવે મોટી સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટ અને વેક્સિન લેવા ઉમટી પડ્યા છે. ઉતરાયણ પર્વની ઉજવણી માં લોકો એ કોરોના નિયમોનો ભંગ કર્યો હતો તેથી કેસોમાં જોરદાર ઉછાળાની શક્યતા છે.

દરમિયાનમાં વડોદરામાં કોરોનાથી મોતનો સત્તાવાર આંકડો 623 થી વધીને 624 થયો છે. હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5,462 પર પહોંચી છે અને ક્વોરન્ટાઇન દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 59,564  કેસ છે, આ પૈકી  વડોદરામાં શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5,462 પર પહોંચી છે. રાજ્યમાં 60 દર્દી વેન્ટીલેટર પર છે, જ્યારે 59,504 નાગરિકો સ્ટેબલ છે. 8,46,375 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,151 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. શનિવારે કોરોનાના કારણે સાત લોકોના મોત થયાં હતાં તેમાં વડોદરાની કોઈ વ્યક્તિ નહોતી. અમદાવાદ કોર્પોરેશનમાં બે, સુરત કોર્પોરેશનમાં બે, સુરતમાં એક, નવસારીમાં એક, રાજકોટમાં એકના મોત થયા છે.

કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને દિવસે દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget