શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં સ્વામીનારાયણના 4 સંતોને કોરોના થઈ જતાં ખળભળાટ, જાણો ચારેયને ક્યાં રખાયા ?

બીજી તરફ કોરોનાના કેસ વધતાં તમામ અર્બન હેલ્થ સેન્ટર પર રવિવારની રજા રદ્દ કરવામાં આવી છે.

વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસો 10 હજારની આસપાસ થઈ ગયા છે. કોરોનાના વધી રહેલા કેસોના  કારણે લોકોમાં ભારે ફફડાટ છે ત્યારે વડોદરા શહેરમાં રોકેટ ગતિએ કોરોનાનું સંક્ર્મણ ફેલાઈ રહ્યું છે તેથી લોકો ફફડી ગયાં છે. વડોદરામાં છેલ્લા બે દિવસથી દરરોજના 1200 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

દરમિયાનમાં વડોદરામાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) સ્વામિનારાયણ મંદિરના ચાર સંતો કોરોના સંક્રમિત થયા હોવાથી ખળભળાટ મચ્યો છે. બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) સ્વામિનારાયણ મંદિરના ચારેય સંતો ને મંદિર પરિસરમાં સંત નિવાસમાં કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

બીજી તરફ કોરોનાના કેસ વધતાં તમામ અર્બન હેલ્થ સેન્ટર પર રવિવારની રજા રદ્દ કરવામાં આવી છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પૂરી થતાં હવે મોટી સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટ અને વેક્સિન લેવા ઉમટી પડ્યા છે. ઉતરાયણ પર્વની ઉજવણી માં લોકો એ કોરોના નિયમોનો ભંગ કર્યો હતો તેથી કેસોમાં જોરદાર ઉછાળાની શક્યતા છે.

દરમિયાનમાં વડોદરામાં કોરોનાથી મોતનો સત્તાવાર આંકડો 623 થી વધીને 624 થયો છે. હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5,462 પર પહોંચી છે અને ક્વોરન્ટાઇન દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 59,564  કેસ છે, આ પૈકી  વડોદરામાં શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5,462 પર પહોંચી છે. રાજ્યમાં 60 દર્દી વેન્ટીલેટર પર છે, જ્યારે 59,504 નાગરિકો સ્ટેબલ છે. 8,46,375 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,151 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. શનિવારે કોરોનાના કારણે સાત લોકોના મોત થયાં હતાં તેમાં વડોદરાની કોઈ વ્યક્તિ નહોતી. અમદાવાદ કોર્પોરેશનમાં બે, સુરત કોર્પોરેશનમાં બે, સુરતમાં એક, નવસારીમાં એક, રાજકોટમાં એકના મોત થયા છે.

કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને દિવસે દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Embed widget