શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં સ્વામીનારાયણના 4 સંતોને કોરોના થઈ જતાં ખળભળાટ, જાણો ચારેયને ક્યાં રખાયા ?

બીજી તરફ કોરોનાના કેસ વધતાં તમામ અર્બન હેલ્થ સેન્ટર પર રવિવારની રજા રદ્દ કરવામાં આવી છે.

વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસો 10 હજારની આસપાસ થઈ ગયા છે. કોરોનાના વધી રહેલા કેસોના  કારણે લોકોમાં ભારે ફફડાટ છે ત્યારે વડોદરા શહેરમાં રોકેટ ગતિએ કોરોનાનું સંક્ર્મણ ફેલાઈ રહ્યું છે તેથી લોકો ફફડી ગયાં છે. વડોદરામાં છેલ્લા બે દિવસથી દરરોજના 1200 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

દરમિયાનમાં વડોદરામાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) સ્વામિનારાયણ મંદિરના ચાર સંતો કોરોના સંક્રમિત થયા હોવાથી ખળભળાટ મચ્યો છે. બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) સ્વામિનારાયણ મંદિરના ચારેય સંતો ને મંદિર પરિસરમાં સંત નિવાસમાં કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

બીજી તરફ કોરોનાના કેસ વધતાં તમામ અર્બન હેલ્થ સેન્ટર પર રવિવારની રજા રદ્દ કરવામાં આવી છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પૂરી થતાં હવે મોટી સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટ અને વેક્સિન લેવા ઉમટી પડ્યા છે. ઉતરાયણ પર્વની ઉજવણી માં લોકો એ કોરોના નિયમોનો ભંગ કર્યો હતો તેથી કેસોમાં જોરદાર ઉછાળાની શક્યતા છે.

દરમિયાનમાં વડોદરામાં કોરોનાથી મોતનો સત્તાવાર આંકડો 623 થી વધીને 624 થયો છે. હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5,462 પર પહોંચી છે અને ક્વોરન્ટાઇન દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 59,564  કેસ છે, આ પૈકી  વડોદરામાં શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5,462 પર પહોંચી છે. રાજ્યમાં 60 દર્દી વેન્ટીલેટર પર છે, જ્યારે 59,504 નાગરિકો સ્ટેબલ છે. 8,46,375 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,151 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. શનિવારે કોરોનાના કારણે સાત લોકોના મોત થયાં હતાં તેમાં વડોદરાની કોઈ વ્યક્તિ નહોતી. અમદાવાદ કોર્પોરેશનમાં બે, સુરત કોર્પોરેશનમાં બે, સુરતમાં એક, નવસારીમાં એક, રાજકોટમાં એકના મોત થયા છે.

કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને દિવસે દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Embed widget