શોધખોળ કરો
Advertisement
Vadodara: સોની પરિવારના 6 સભ્યોએ કર્યો આપઘાતનો પ્રયાસ, ત્રણ લોકોનાં મોત, ત્રણની હાલત ગંભીર
આર્થિક તંગી ના કારણે પરિવારે આપઘાત કર્યાનું કારણ સામે આવ્યું છે.
વડોદરા: વડોદરામાં સોની પરિવારના 6 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી ત્રણના મૃત્યુ થતા ચકચાર મચી ગઈ છે. સ્વાતિ સોસાયટી, સી 13 નંબરના મકાનમાં રહેતા પરિવારના વડીલ, પત્ની અને બે બાળકો સહિત 6 લોકોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી ત્રણ લોકોના મૃત્યુ થયું હતું જ્યારે ત્રણની હાલત ગંભીર છે.
નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આર્થિક તંગી ના કારણે પરિવારે આપઘાત કર્યાનું કારણ સામે આવ્યું છે. મકાન અને મંગળ બજારમાં સ્થિત પોતાની પ્લાસ્ટિકની દુકાન પણ વેચી નાંખી હતી. પરિવાર આર્થિક સંકડામણના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion