શોધખોળ કરો

કોવિડ જેવો બીજો ખતરનાક વાયરસ ચામાચીડિયામાં જોવા મળ્યો, જો તે મનુષ્યોમાં ફેલાય તો હાહાકાર મચી જશે

આ સંશોધનનું નેતૃત્વ શેનઝેન સ્થિત સન યાત-સેન યુનિવર્સિટી, યુનાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્ડેમિક ડિસીઝ કંટ્રોલ અને સિડની યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું હતું.

Covid-19: કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાંથી હોવાનું માનવામાં આવે છે. આ મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો, જેના કારણે લાખો લોકોના મોત થયા હતા. વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે જ્યારે કેટલાક દેશોમાં તે વધી રહ્યા છે. દરમિયાન, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે દક્ષિણ ચીનમાં ચામાચીડિયામાં કોરોના જેવો વાયરસ જોવા મળ્યો છે, જે પાંચમાંથી એક વ્યક્તિમાં ફેલાઈ જવાની સંભાવના ધરાવે છે. આ વાયરસ બીટીએસવાય2 (BtSY2) તરીકે ઓળખાય છે અને તે SARS-CoV-2 સાથે સંબંધિત છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે ચીનના યુનાન પ્રાંતમાં ચામાચીડિયામાં જોવા મળતા પાંચ ખતરનાક વાયરસમાંથી એક છે, જે મનુષ્ય અને પ્રાણીઓમાં ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. આ સિવાય વૈજ્ઞાનિકોની ટીમે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાતા અનેક સંભવિત નવા ઝૂનોટિક રોગો વિશે પણ માહિતી આપી છે.

સંશોધનમાં આ બાબત સામે આવી

ડેઈલીમેઈલ અનુસાર, આ સંશોધનનું નેતૃત્વ શેનઝેન સ્થિત સન યાત-સેન યુનિવર્સિટી, યુનાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્ડેમિક ડિસીઝ કંટ્રોલ અને સિડની યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંશોધનની સમીક્ષા કરવાની બાકી છે. ટીમે કહ્યું, “અમે પાંચ વાઈરસ પ્રજાતિઓની ઓળખ કરી છે જે મનુષ્યો અને પ્રાણીઓ માટે રોગકારક હોઈ શકે છે. તેમાં રિકોમ્બિનેશન SARS પણ શામેલ છે જે કોરોનાવાયરસ જેવું જ છે. આ નવો વાયરસ SARS-CoV-2 અને 50 SARS-CoV બંને સાથે ગાઢ રીતે સંબંધિત છે.”

વૈજ્ઞાનિકોએ વધુમાં ઉમેર્યું, "અમારું સંશોધન આંતર-પ્રજાતિના પ્રસારણ અને ચામાચીડિયા વાયરસના સહ-સંક્રમણની સામાન્ય ઘટના તેમજ વાયરસના ઉત્ક્રાંતિ માટે તેમની અસરો પર પ્રકાશ પાડે છે." તેઓએ ચીનના યુનાન પ્રાંતના છ કાઉન્ટીઓ અથવા શહેરોમાં 15 પ્રજાતિઓના 149 ચામાચીડિયામાંથી પેશાબના નમૂનાઓ એકત્રિત કર્યા. ન્યુક્લીક એસિડ, જેને RNA કહેવાય છે, જે ચામાચીડિયાના જીવંત કોષોમાં હાજર છે, તે દરેક ચામાચીડિયામાંથી વ્યક્તિગત રીતે કાઢવામાં આવ્યું હતું અને ક્રમબદ્ધ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે એક ચામાચીડિયા એક જ સમયે અનેક વાયરસથી ચેપગ્રસ્ત હતો.

યુનિવર્સિટી ઓફ નોટિંગહામના વાઈરોલોજિસ્ટ પ્રોફેસર જોનાથન બોલના જણાવ્યા અનુસાર, "આના કારણે, કોરોના વાયરસના પહેલાથી અસ્તિત્વમાં રહેલા સ્વરૂપો તેમના આનુવંશિક કોડને બદલી શકે છે, જે નવા પેથોજેન્સ એટલે કે વાયરસના જન્મ તરફ દોરી શકે છે."

વાયરસ માનવ શરીર સાથે જોડાઈ શકે છે

BtSY2 પાસે 'રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેન' પણ છે જે સ્પાઈક પ્રોટીનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેનો ઉપયોગ કોષોને માનવ કોષો સાથે બાંધવા માટે થાય છે. તે SARS-CoV-2 જેવું જ છે અને માનવ શરીર સાથે જોડાઈને મનુષ્યોને ચેપ લગાવી શકે છે.

રીસેપ્ટરની મદદથી શરીરમાં પ્રવેશ કરશે

સંશોધકોની ટીમે વધુમાં ઉમેર્યું, "BtSY2 કોષમાં પ્રવેશ માટે માનવ ACE2 રીસેપ્ટરનો ઉપયોગ કરી શકશે. ACE2 માનવ કોષોની સપાટી પર એક રીસેપ્ટર છે જે SARS-CoV-2 સાથે જોડાય છે અને તેને શરીરમાં પ્રવેશવા દે છે." યુનાન દક્ષિણપશ્ચિમ ચીનના પ્રાંતને પહેલાથી જ ચામાચીડિયાની પ્રજાતિઓ અને ચામાચીડિયાથી જન્મેલા વાયરસ માટે હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવી છે. ત્યાં સાર્સ સહિત કેટલાક રોગકારક વાઈરસ મળી આવ્યા છે. બેટ વાયરસ RaTG1313 અને RpYN0614, CoV-2 સાથે નજીકથી સંબંધિત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Govinda Hospitalised | ગોળી વાગતા અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ | Breaking News | Bollywood NewsHun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Embed widget