શોધખોળ કરો

Russia Ukraine War: અમેરિકા સહિત પશ્વિમ દેશો પર ચીને સાધ્યું નિશાન, કહ્યુ- યુક્રેનને હથિયાર આપવાથી શાંતિ સ્થપાશે નહીં

યુક્રેન સંકટ માટે બોલાવવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વિશેષ સત્રમાં ચીને યુક્રેનને મદદ કરનારા દેશો પર નિશાન સાધ્યું હતું.

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધને શુક્રવારે (24 ફેબ્રુઆરી) એક વર્ષ પૂર્ણ થયું, પરંતુ હજુ પણ બંને દેશો એકબીજા સામે લડી રહ્યા છે. યુદ્ધ દરમિયાન બંને દેશોને ભારે નુકસાન થયું હતું. અમેરિકાના નેતૃત્વમાં યુક્રેનને પશ્ચિમી દેશો તરફથી ઘણો સહકાર મળ્યો. બીજી તરફ ચીને રશિયાને સમર્થન આપ્યું હતું.

યુક્રેન સંકટ માટે બોલાવવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વિશેષ સત્રમાં ચીને યુક્રેનને મદદ કરનારા દેશો પર નિશાન સાધ્યું હતું. આ સાથે પરમાણુ યુદ્ધની ચેતવણી આપી હતી. ચીને કહ્યું હતું કે યુક્રેનને હથિયારો મોકલવાથી શાંતિ નહીં આવે, આ વાતનો પુરાવો એક વર્ષના યુદ્ધમાં મળી ગયો છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ અમેરિકા અને નાટોએ બેઈજિંગને રશિયાને સૈન્ય સમર્થન આપવા સામે ચેતવણી આપી હતી.

પરમાણુ યુદ્ધ ન લડી શકાયઃ ચીન

આ દરમિયાન ચીને કહ્યું કે યુક્રેન સંકટ હજુ પણ વધી રહ્યું છે. અમે આ અંગે ખૂબ જ ચિંતિત છીએ. તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ. પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકાતો નથી, પરમાણુ યુદ્ધ લડી શકાય નહીં.

ચીને આ આરોપોને ફગાવી દીધા હતા

ચીને કહ્યુ હતું કે રશિયાના આક્રમણ બાદથી પશ્ચિમી દેશોએ યુક્રેનને અબજો ડોલરના શસ્ત્રો આપ્યા છે. ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ અને નાટોએ ગયા અઠવાડિયે ચીન પર રશિયાને શસ્ત્રો પૂરા પાડવા પર વિચાર કરવાનો આરોપ મૂક્યો હતો અને બેઇજિંગને આવા પગલા સામે ચેતવણી આપી હતી. જો કે ચીને આ આરોપોને ફગાવી દીધા છે.

યુએનમાં ચીનના ડેપ્યુટી એમ્બેસેડર ડાઈ બિંગે પશ્ચિમી દેશો પર નિશાન સાધતા કહ્યું કે યુક્રેનને હથિયારો મોકલવાથી શાંતિ સ્થપાશે નહીં. તે આગમાં બળતણ ઉમેરવા જેવું છે અને તે ફક્ત તણાવમાં વધારો કરશે. તેમણે કહ્યું કે સંઘર્ષને લંબાવવાથી સામાન્ય લોકોને વધુ ભારે ચૂકવણી કરવી પડશે. આંતરરાષ્ટ્રીય સમુદાયે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાટાઘાટો શરૂ કરવી જોઈએ. અમે ફરી એકવાર કહીએ છીએ કે  મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા જ સંકટનો ઉકેલ લાવી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget