શોધખોળ કરો

Russia Ukraine War : પોલેન્ડમાં ભારતીયોની વ્હારે આવ્યો ગુજરાતી યુવક, જાણો વધુ વિગતો

આ દરમિયાન એક ખૂબ જ સારા સામાચાર સામે આવ્યા છે.  પોલેન્ડમાં ગુજરાતીઓની મદદ માટે ગૃહાંગ પટેલ આગળ આવ્યા છે.

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. ભારતે મિશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારત સરકારે યુક્રેનથી આવતાં લોકો માટે એડવાઇઝરી બહાર પાડી છે.  આ દરમિયાન એક ખૂબ જ સારા સામાચાર સામે આવ્યા છે.  પોલેન્ડમાં ગુજરાતીઓની મદદ માટે ગૃહાંગ પટેલ આગળ આવ્યા છે. તેમણે બનતી તમામ મદદ કરવાનું કહ્યું છે. ગૃહાંગ પટેલે પોતાના મોબાઈલ નંબર પણ જાહેર કર્યા છે. ભારતીયોને કોઈપણ મદદની જરુર હોય તો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. ગૃહાંગ પટેલે કહ્યું અત્યાર સુધીમાં 200થી વધારે ફોન આવી ચૂક્યા છે. ગૃહાંગ પટેલે પોતાના મોબાઈલ નંબર +48729663296 પણ જાહેર કર્યા છે.

પોલેન્ડમાં રહેનારા અન્ય  ગુજરાતીઓએ પણ ગૃહાંગ પટેલ સાથે મળી મદદની પહેલ કરી છે. પોલેન્ડમાં રહેનારા ગુજરાતીઓએ યૂક્રેનથી આવતા ભારતીય માટે મદદ માટે આગળ આવ્યા છે. ગૃહાંગ પટેલે જણાવ્યું કે 10 દિવસ સુધીની વ્યવસ્થા પ્રમાણેની તૈયારીઓ કરવામાં આવી છે. પોલેન્ડમાં રહેતી ગુજરાતી મહિલાઓ યૂક્રેનથી આવતા ભારતીય માટે રસોઈ તૈયાર કરે છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નવી એડવાઈઝરી જારી કરી

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. ભારતે મિશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારત સરકારે યુક્રેનથી આવતાં લોકો માટે એડવાઇઝરી બહાર પાડી છે.

 ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે યુક્રેનના સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નવી એડવાઈઝરી જારી કરી છે. જે મુજબ યુક્રેનથી બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોને વિદેશી પ્રવાસીઓને લાગુ પડતા કોવિડ પ્રોટોકોલમાંથી મુક્તિ આપવામાં આવી છે.

યુક્રેન દ્વારા ભારતીયોને પોલેન્ડ બોર્ડર પર લાવવા માટે આજથી 10 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ બોર્ડર પર લાવવામાં આવશે. જે બાદ તેમને ત્યાંથી એરક્રાફ્ટ દ્વારા ભારત લાવવામાં આવશે. ભારતમાંથી એર ઈન્ડિયાની ફ્લાઈટ સતત ભારતીયોના બચાવ કાર્યમાં લાગેલી છે. આ બસોને યુક્રેનની શેહીની બોર્ડર પર લગાવવામાં આવી છે.

બધી મદદ મફતમાં

દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આજથી શેહિની બોર્ડર પર 10 બસો દોડાવવામાં આવશે, જેમાંથી ભારતીય લોકોને યુક્રેનમાંથી બહાર કાઢીને પોલેન્ડ લાવવામાં આવશે. 10 બસો દોડાવવાથી શેહિની બોર્ડર પર ભીડ ઓછી કરવામાં પણ મદદ મળશે. સાથે જ કડકડતી ઠંડીથી પણ રક્ષણ મળશે. પોલેન્ડમાં દૂતાવાસ દ્વારા ભારતીયોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાય ભારત સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે.

કંટ્રોલ રૂમ નંબર જારી કર્યો

ભારતીય દૂતાવાસે કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કર્યા છે. જે લોકો યુક્રેન છોડીને બસ દ્વારા પોલેન્ડ બોર્ડર પર આવવા માંગતા હોય તેઓ આ નંબરો પર અગાઉથી ફોન કરીને માહિતી આપી શકે છે.

+48225400000 (લેન્ડલાઇન)

+48795850877 (વોટ્સએપ)

+48792712511 (વોટ્સએપ)


યુક્રેન પર સતત રશિયન હુમલો ચાલુ છે,  બંને દેશોની સેના આમને-સામને છે. આ દરમિયાન સમજૂતીની વાતો પણ થઈ રહી છે. પરંતુ અત્યારે રશિયા હુમલો રોકવા તૈયાર નથી. રશિયાના આ હુમલામાં અત્યાર સુધીમાં અનેક સામાન્ય લોકોના જીવ ગયા છે. હવે યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ વતી કેટલાક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget