શોધખોળ કરો

Russia Ukraine War : પોલેન્ડમાં ભારતીયોની વ્હારે આવ્યો ગુજરાતી યુવક, જાણો વધુ વિગતો

આ દરમિયાન એક ખૂબ જ સારા સામાચાર સામે આવ્યા છે.  પોલેન્ડમાં ગુજરાતીઓની મદદ માટે ગૃહાંગ પટેલ આગળ આવ્યા છે.

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. ભારતે મિશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારત સરકારે યુક્રેનથી આવતાં લોકો માટે એડવાઇઝરી બહાર પાડી છે.  આ દરમિયાન એક ખૂબ જ સારા સામાચાર સામે આવ્યા છે.  પોલેન્ડમાં ગુજરાતીઓની મદદ માટે ગૃહાંગ પટેલ આગળ આવ્યા છે. તેમણે બનતી તમામ મદદ કરવાનું કહ્યું છે. ગૃહાંગ પટેલે પોતાના મોબાઈલ નંબર પણ જાહેર કર્યા છે. ભારતીયોને કોઈપણ મદદની જરુર હોય તો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. ગૃહાંગ પટેલે કહ્યું અત્યાર સુધીમાં 200થી વધારે ફોન આવી ચૂક્યા છે. ગૃહાંગ પટેલે પોતાના મોબાઈલ નંબર +48729663296 પણ જાહેર કર્યા છે.

પોલેન્ડમાં રહેનારા અન્ય  ગુજરાતીઓએ પણ ગૃહાંગ પટેલ સાથે મળી મદદની પહેલ કરી છે. પોલેન્ડમાં રહેનારા ગુજરાતીઓએ યૂક્રેનથી આવતા ભારતીય માટે મદદ માટે આગળ આવ્યા છે. ગૃહાંગ પટેલે જણાવ્યું કે 10 દિવસ સુધીની વ્યવસ્થા પ્રમાણેની તૈયારીઓ કરવામાં આવી છે. પોલેન્ડમાં રહેતી ગુજરાતી મહિલાઓ યૂક્રેનથી આવતા ભારતીય માટે રસોઈ તૈયાર કરે છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નવી એડવાઈઝરી જારી કરી

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. ભારતે મિશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારત સરકારે યુક્રેનથી આવતાં લોકો માટે એડવાઇઝરી બહાર પાડી છે.

 ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે યુક્રેનના સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નવી એડવાઈઝરી જારી કરી છે. જે મુજબ યુક્રેનથી બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોને વિદેશી પ્રવાસીઓને લાગુ પડતા કોવિડ પ્રોટોકોલમાંથી મુક્તિ આપવામાં આવી છે.

યુક્રેન દ્વારા ભારતીયોને પોલેન્ડ બોર્ડર પર લાવવા માટે આજથી 10 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ બોર્ડર પર લાવવામાં આવશે. જે બાદ તેમને ત્યાંથી એરક્રાફ્ટ દ્વારા ભારત લાવવામાં આવશે. ભારતમાંથી એર ઈન્ડિયાની ફ્લાઈટ સતત ભારતીયોના બચાવ કાર્યમાં લાગેલી છે. આ બસોને યુક્રેનની શેહીની બોર્ડર પર લગાવવામાં આવી છે.

બધી મદદ મફતમાં

દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આજથી શેહિની બોર્ડર પર 10 બસો દોડાવવામાં આવશે, જેમાંથી ભારતીય લોકોને યુક્રેનમાંથી બહાર કાઢીને પોલેન્ડ લાવવામાં આવશે. 10 બસો દોડાવવાથી શેહિની બોર્ડર પર ભીડ ઓછી કરવામાં પણ મદદ મળશે. સાથે જ કડકડતી ઠંડીથી પણ રક્ષણ મળશે. પોલેન્ડમાં દૂતાવાસ દ્વારા ભારતીયોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાય ભારત સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે.

કંટ્રોલ રૂમ નંબર જારી કર્યો

ભારતીય દૂતાવાસે કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કર્યા છે. જે લોકો યુક્રેન છોડીને બસ દ્વારા પોલેન્ડ બોર્ડર પર આવવા માંગતા હોય તેઓ આ નંબરો પર અગાઉથી ફોન કરીને માહિતી આપી શકે છે.

+48225400000 (લેન્ડલાઇન)

+48795850877 (વોટ્સએપ)

+48792712511 (વોટ્સએપ)


યુક્રેન પર સતત રશિયન હુમલો ચાલુ છે,  બંને દેશોની સેના આમને-સામને છે. આ દરમિયાન સમજૂતીની વાતો પણ થઈ રહી છે. પરંતુ અત્યારે રશિયા હુમલો રોકવા તૈયાર નથી. રશિયાના આ હુમલામાં અત્યાર સુધીમાં અનેક સામાન્ય લોકોના જીવ ગયા છે. હવે યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ વતી કેટલાક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન
યુરોપમાં ગરમીએ છોતરા કાઢ્યા! બ્રિટનની સરકારે લોકોને કહ્યું ઘરોમાંથી AC હટાવો, પંખાનો ઉપયોગ કરો
યુરોપમાં ગરમીએ છોતરા કાઢ્યા! બ્રિટનની સરકારે લોકોને કહ્યું ઘરોમાંથી AC હટાવો, પંખાનો ઉપયોગ કરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
Embed widget