શોધખોળ કરો

Iran-Israel: ઇઝરાયેલ સાથે યુદ્ધમાં કેમ નથી ઉતરતું ઇરાન ? સામે આવ્યું મોટુ કારણ, આ 'ત્રણ પડકારો'થી બંધાયેલું છે ઇરાન

Iran-Israel News: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના ખરાબ સંબંધોનો ઈતિહાસ ઘણા દાયકાઓ જૂનો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં બંને દેશો વચ્ચે દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી છે

Iran-Israel News: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના ખરાબ સંબંધોનો ઈતિહાસ ઘણા દાયકાઓ જૂનો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં બંને દેશો વચ્ચે દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી છે. જ્યારથી ઈઝરાયેલે તેહરાનમાં ઘૂસીને હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી છે ત્યારથી બંને દેશ એકબીજાના લોહીના તરસ્યા બની ગયા છે. જોકે, ઈઝરાયલે સત્તાવાર રીતે હાનિયાના મૃત્યુની જવાબદારી સ્વીકારી નથી. પરંતુ બધા માને છે કે માત્ર ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ જ આ હત્યાને અંજામ આપી શકે છે.

જો કે, ઈરાન ઈઝરાયેલ પાસેથી બદલો લેવા માટે તલપાપડ દેખાઈ રહ્યું હોવા છતાં  સત્ય બિલકુલ ઊલટું છે. જેરુસલેમ પૉસ્ટને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈરાનના ઈસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC)ના સ્થાપક મોહસિન સાજેગારાએ કહ્યું છે કે તેમનો દેશ ઈઝરાયેલ સાથે લાંબા ગાળાનું યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી. ઈરાને કટ્ટર દુશ્મન અમેરિકાને તેના પર મોટાપાયે ઈઝરાયેલના હુમલાને રોકવા માટે દરમિયાનગીરી કરવા કહ્યું છે.

ઇઝરાયેલ પર હુમલો કરવા માગતો હતો સુપ્રીમ લીડર, પછી કેમ બદલ્યો પ્લાન ? 
મોહસિન સાજેગારાએ ઈરાનમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષો અને સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેઇના પડકારો વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે ઈઝરાયેલ પર હુમલો કરવાની યોજના કેમ મોકૂફ રાખવામાં આવી. તેમને બતાવ્યુ કે, કેમ ઇઝરાયેલ પર હુમલાનો પ્લાન ટાળી દીધો. તેમને કહ્યું કે, ઇઝરાયેલે જે કર્યુ, તેહરાનમાં કેન્દ્રમાં જઇને ઇસ્માઇલ હાનિયાની હત્યા કરી. તે પણ તેહરાનની સૌથી સુરક્ષિત ઇમારતમાં. આ હત્યા ઇરાનના ગુપ્તચર સંગઠનોનું અપમાન હતુ. આને ખામેનઇ માટે તેના મુખ્ય પાવરબેઝ એટલે કે ગુપ્તચર સેવાઓ માટે એક સમસ્યા પેદા કરી દીધી છે.

મોહસિન સાજેગારા સમજાવે છે, "ખામેનેઇની પ્રથમ પ્રતિક્રિયા હુમલો કરવો અને તેને ચાલુ રાખવાની હતી. પરંતુ જ્યારે તેમણે તેમના સૈન્ય કમાન્ડરો અને IRGC નિષ્ણાતોની સલાહ લીધી અને તેમને પૂછ્યું કે શું કરવું જોઈએ, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે ઈરાન ઈઝરાયેલ સામે લડવા માટે કોઈ સ્થિતિમાં નથી. તેમની પાસે કોઈ વ્યૂહાત્મક સંતુલન નથી. તેઓ ઇઝરાયલ પર હાઇપરસૉનિક મિસાઇલથી હુમલો કરી શકે છે, જે છથી આઠ મિનિટમાં ત્યાં પહોંચી જશે. પરંતુ જો ઇઝરાયેલ હુમલો કરશે તો ઇરાન બચી નહીં શકે.

IRGCના સ્થાપકે કહ્યું કે ખામેનેઇને કહેવામાં આવ્યું હતું કે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી મજબૂત નથી. ઈરાન ઈઝરાયેલ સામે લડવાની સ્થિતિમાં નથી. સૈન્ય અધિકારીઓએ ખામનેઇએ કહ્યું કે જો અમે હુમલો કરીએ તો પણ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી ઇચ્છતા દેશો દ્વારા તરત જ યુદ્ધવિરામ પર વિચાર કરવો પડી શકે છે. માનવામાં આવે છે કે આ જ કારણસર ખામનેઇએ ઈઝરાયેલ પર હુમલો કરવાની યોજના રદ્દ કરી દીધી હતી.

અમેરિકા સાથે પડદા પાછળ વાત કરી રહ્યું છે ઇરાન - મોહસિન સાજેગારા 
મોહસિન સાજેગારાએ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવમાં અમેરિકાની ભૂમિકા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, "જ્યાં સુધી મને ખબર છે, ઈરાને યુએસ અને રાષ્ટ્રપતિ જો બાઇડેનના વહીવટીતંત્ર સાથે પડદા પાછળ વાત કરી છે. ઈરાની અધિકારીઓએ અમેરિકાને ઈઝરાયેલ સાથે વાત કરવા અને તેને જણાવવા કહ્યું કે ઈરાન ઈઝરાયેલમાં ક્યાંક હુમલો કરશે. પરંતુ તે વચન આપે છે કે આમાં કોઈ મૃત્યુ પામશે નહીં, બદલામાં ઇઝરાયેલ ઈરાન સામે પગલાં લેશે નહીં.

મોહસિન સાજેગારાએ કહ્યું, "ઈરાને અમેરિકાને ઈઝરાયેલ પર એટલી મોટી જવાબી કાર્યવાહી ના કરવા માટે દબાણ લાવવા કહ્યું કે જેનાથી મામલો વધી જાય, પરંતુ આ વખતે અમેરિકા સહમત ન થયું અને તેમને (ઈરાન)ને કહ્યું કે અમે ઈઝરાયેલને રોકી શકતા નથી."

અમેરિકાએ IRGC ને જાહેર કર્યુ છે આતંકી સંગઠન 
1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી તરત જ ઇરાનમાં IRGCની સ્થાપના કરવામાં આવી હતી, જેથી દેશને નિયંત્રિત કરી શકાય. IRGCનું કામ ઈરાની સેના સાથે સંતુલન બનાવવાનું પણ હતું, કારણ કે સેનામાં ઘણા અધિકારીઓ ઈરાનના શાહના સમર્થક હતા. આવી સ્થિતિમાં ઇસ્લામિક શાસન કોઈપણ સંજોગોમાં સેના પર વિશ્વાસ કરવા માંગતું ન હતું. IRGCને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. મોહસિન IRGCના સ્થાપકોમાંથી એક છે. તે 20 વર્ષ પહેલા ઈરાન છોડીને અમેરિકા ગયો હતો અને ત્યાં સ્થાયી થયો હતો.

ઇરાનના સુપ્રીમ લીડર સામે શું પડકારો છે ?  
સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામનેઇની સામે ત્રણ મોટા પડકારો છે. આમાં પહેલો પડકાર એ છે કે જો ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરે છે અને તેના જવાબમાં તેના પર મોટો હુમલો થાય છે તો ઈરાની સેનાને હારનો સામનો કરવો પડી શકે છે. આ કારણે ખામનેઇ સત્તા ગુમાવી શકે છે.

બીજો પડકાર ઈરાનની અર્થવ્યવસ્થા છે, જે હાલમાં નાજુક સ્થિતિમાં છે. દેશમાં ઉર્જા ઉત્પાદન, મોંઘવારી, બેરોજગારી અને રોજેરોજની હડતાલ જેવી સમસ્યાઓ છે. આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ખામેનેઇ ઈચ્છે તો પણ ઈરાનને યુદ્ધની આગમાં ફેંકી શકે નહીં.

ત્રીજો પડકાર એ છે કે ખામેનેઇને યુદ્ધ માટે લોકોનું સમર્થન નથી મળી રહ્યું. ગુપ્તચર માહિતી દર્શાવે છે કે સામાન્ય લોકો કોઈ પણ સંજોગોમાં ઈઝરાયેલ સાથે યુદ્ધ માટે તૈયાર નથી. જો તે યુદ્ધમાં જાય છે, તો જનતા તેની સામે બળવો કરી શકે છે, જે એક મોટી સમસ્યા સાબિત થશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget