શોધખોળ કરો

Hardeep Singh Nijjar: ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિઝ્ઝરની ગોળી મારી કેનેડામાં હત્યા, ભારતના વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો

થોડા દિવસો પહેલા ભારત સરકારે હરદીપને આતંકી જાહેર કર્યો હતો

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિઝ્ઝરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપનું નામ સામેલ હતું.

એક રિપોર્ટ અનુસાર, હરદીપને કેનેડાના Surreyમાં ગોળી મારવામાં આવી હતી. જેમાં તેનું મોત થયું હતું. તે કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો હતો. તે પંજાબના જલંધર જિલ્લાનો રહેવાસી હતો. હાલમાં ભારતીય તપાસ એજન્સીઓ કેનેડાની તપાસ એજન્સીઓ પાસેથી આ ઘટના અંગે માહિતી એકઠી કરી રહી છે.

ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને પ્રોત્સાહિત કરતો હતો. હરદીપ છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું.

થોડા દિવસો પહેલા ભારત સરકારે હરદીપને આતંકી જાહેર કર્યો હતો. હરદીપના બે સહયોગીઓની થોડા મહિના પહેલા ફિલિપાઈન્સ અને મલેશિયામાંથી ધરપકડ કરવામાં આવી હતી.

પૂજારીની હત્યાનો પણ આરોપ

વર્ષ 2022ની શરૂઆતમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિઝ્ઝર પર પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવા બદલ 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. NIAના જણાવ્યા અનુસાર, પૂજારીની હત્યાનું કાવતરું ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) દ્વારા ઘડવામાં આવ્યું હતું. કેનેડામાં રહેતો હરદીપ KTFના વડો હતો.

NIAની FIRમાં પણ નિઝ્ઝરનું નામ

જ્યારે ભારતમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના આતંકવાદીઓએ વિદેશમાં ભારતીય દૂતાવાસોની બહાર પ્રદર્શન કર્યું હતું. આ મામલામાં NIAએ ભારત સરકાર વિરુદ્ધ ભાવનાઓને ભડકાવવા બદલ FIR નોંધી હતી.

આ એફઆઈઆર અનુસાર, ભારત સરકાર વિરૂદ્ધ ગ્રાઉન્ડ કેમ્પેઈન અને પ્રોપેગેન્ડા માટે જંગી રકમ એકત્ર કરવામાં આવી છે, જેમાં વિદેશમાં ભારતીય દૂતાવાસો સામે વિરોધ કરવા લોકોને ઉશ્કેરવાનો સમાવેશ થાય છે. તેમાં ત્રણ આતંકવાદીઓ ગુરપતવંત સિંહ પન્નુન, પરમજીત સિંહ પમ્મા અને હરદીપ સિંહ નિઝ્ઝરના નામ હતા.                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુશ્મનોની વચ્ચે એકલું પડ્યું ઈરાન, રશિયા અને ચીન કેમ મદદથી પાછળ હટ્યા, આ રહ્યાં 4 મોટા કારણો
દુશ્મનોની વચ્ચે એકલું પડ્યું ઈરાન, રશિયા અને ચીન કેમ મદદથી પાછળ હટ્યા, આ રહ્યાં 4 મોટા કારણો
Hurun Global Rich List: આ મામલે અમેરિકાથી બાદશાહત છીનવીને ચીન બન્યુ દુનિયાનું નંબર-1, જાણો ભારતનું શું છે સ્થાન
Hurun Global Rich List: આ મામલે અમેરિકાથી બાદશાહત છીનવીને ચીન બન્યુ દુનિયાનું નંબર-1, જાણો ભારતનું શું છે સ્થાન
કોણ છે જિયાંગ જુએકિન ? પહેલા જ કરી દીધી હતી અમેરિકા-ઇરાન યુદ્ધની ભવિષ્યવાણી, કહેવાય છે ચીનનો નાસ્ત્રેદમસ
કોણ છે જિયાંગ જુએકિન ? પહેલા જ કરી દીધી હતી અમેરિકા-ઇરાન યુદ્ધની ભવિષ્યવાણી, કહેવાય છે ચીનનો નાસ્ત્રેદમસ
ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કર્યાં પૂજા પાઠ, જુઓ વીડિયો
ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કર્યાં પૂજા પાઠ, જુઓ વીડિયો

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
Embed widget