શોધખોળ કરો

ભારતના ઓપરેશન સિંદૂરથી બોખલાયું પાકિસ્તાન, પોતાના રક્ષા બજેટમાં કર્યો વધારો 

ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે પાકિસ્તાને તેના સંરક્ષણ બજેટમાં 20 ટકાનો વધારો કર્યો છે. નોંધનીય છે કે ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન બોખલાયું છે.

ઈસ્લામાબાદ: ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે પાકિસ્તાને તેના સંરક્ષણ બજેટમાં 20 ટકાનો વધારો કર્યો છે. નોંધનીય છે કે ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન બોખલાયું છે. આવી સ્થિતિમાં, તેના સંરક્ષણ બજેટમાં વધારો દર્શાવે છે કે તે ભારતની શક્તિને સારી રીતે જાણી ગયું છે અને હવે તેને લાગે છે કે ભારત સામે ઊભા રહેવા માટે તેને સંરક્ષણ બજેટમાં વધારો કરવાની જરૂર છે.

પાકિસ્તાને કેટલા પૈસા ફાળવ્યા

પાકિસ્તાને મંગળવારે તેના સંરક્ષણ બજેટમાં 20 ટકાનો વધારો કર્યો અને નાણાકીય વર્ષ 2025-26 માટે 2,550 અબજ પાકિસ્તાની રૂપિયા (9 અરબ અમેરિકી ડોલર) ફાળવ્યા. નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે નેશનલ એસેમ્બલીમાં નાણાકીય વર્ષ 2025-26 માટે 17,573 બિલિયન પાકિસ્તાની  રૂપિયાનું સંઘીય બજેટ રજૂ કર્યું. તેમણે રાષ્ટ્રીય સભામાં નાણાકીય બિલના રૂપમાં બજેટ દસ્તાવેજ પણ રજૂ કર્યો. મંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે સરકારે દેશના સંરક્ષણ માટે 2,550 બિલિયન પાકિસ્તાની રૂપિયા ફાળવવાનો નિર્ણય લીધો છે.

તેમણે સંરક્ષણ ખર્ચ વિશે વધુ કોઈ વિગતો આપી ન હતી કારણ કે પરંપરાગત રીતે સંસદમાં સંરક્ષણ બજેટની ચર્ચા થતી નથી. ગયા વર્ષે, સરકારે સંરક્ષણ માટે 2,122 અબજ પાકિસ્તાની રૂપિયા ફાળવ્યા હતા, જે નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટમાં 1,804 અબજ પાકિસ્તાની રૂપિયા કરતાં 14.98 ટકાનો વધારો દર્શાવે છે. તાજેતરના પાકિસ્તાન-ભારત સંઘર્ષનો ઉલ્લેખ કરતા પાકિસ્તાનના મંત્રીએ કહ્યું, "આ બજેટ એવા ઐતિહાસિક સમયે રજૂ કરવામાં આવી રહ્યું છે જ્યારે રાષ્ટ્રએ એકતા અને દૃઢ નિશ્ચય દર્શાવ્યો છે."

પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો 

નોંધનીય છે કે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો અને 7 મેના રોજ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણા પર સટિક હુમલા કર્યા હતા. બાદમાં ઓપરેશન સિંદૂર ચલાવી પાકિસ્તાનની અંદર જઈ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર ઘૂસી આંતકીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. પહેલગામ હુમલાનો બદલો ભારતે લીધો હતો.  આ સાથે જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.      

તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસની જમીન દુશ્મનાવટ 10 મેના રોજ બંને પક્ષોના લશ્કરી કામગીરીના ડિરેક્ટર જનરલ વચ્ચેની વાતચીત પછી સમાપ્ત થઈ હતી.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે

વિડિઓઝ

Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
Embed widget