શોધખોળ કરો

Pakistan : PM મોદી સાથે વાતચીત કરવા તલપાપડ શાહબાઝ પણ પાકિસ્તાને ખોલ્યા પત્તા

શાહબાઝ શરીફે એક ટીવી ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે, ભારત સાથેના ત્રણ યુદ્ધો બાદ તેમના દેશે તેનો પાઠ શીખ્યો છે. શાહબાઝે આગ્રહ કર્યો હતો કે, તે હવે શાંતિ ઇચ્છે છે.

Shehbaz Sharif On India-Pak: પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ભારત સાથે દુશ્મનાવટ ભુલીને વાતચીત માટેની તૈયારી દાખવી હતી. શરીફે યુદ્ધના બદલે પીએમ નરેન્દ્ર મોદી સાથે સકારત્મક અને ગંભીર વાતચીત દ્વાર કાશ્મીર સહિતના મુદ્દા ઉકેલવાની પહેલ કરી હતી. હવે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે પણ આ મામલે એક નિવેદન નિવેદન જાહેર કર્યું છે.

શાહબાઝ શરીફે એક ટીવી ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે, ભારત સાથેના ત્રણ યુદ્ધો બાદ તેમના દેશે તેનો પાઠ શીખ્યો છે. શાહબાઝે આગ્રહ કર્યો હતો કે, તે હવે શાંતિ ઇચ્છે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી છે કે, પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે, પરંતુ કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે બંધ થવું જોઈએ. 

આ મામલે પાકિસ્તાન PMOના પ્રવક્તાએ કહ્યું હતું કે, પાકિસ્તાન PM સતત કહી રહ્યાં છે કે પાકિસ્તાન અને ભારતે તેમના દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મુદ્દાને વાતચીત અને શાંતિપૂર્ણ માધ્યમથી ઉકેલવા જોઈએ. જો કે, વડાપ્રધાને વારંવાર ઓન રેકોર્ડ કહ્યું હતું કે, ભારત 5 ઓગસ્ટ, 2019ના રોજ લીધેલા ગેરકાયદેસર પગલાંને પાછું ખેંચે ત્યાર બાદ જ વાતચીત થઈ શકે છે. ભારતના આ પગલાને રદ કર્યા વિના વાતચીત શક્ય નથી.

ઈન્ટરવ્યુ પર પાકિસ્તાનની સ્પષ્ટતા

પીએમઓના પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે, કાશ્મીર વિવાદનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ અને જમ્મુ-કાશ્મીરના લોકોની આકાંક્ષાઓ અનુસાર હોવો જોઈએ. પ્રવક્તાએ કહ્યું હતું કે, વડાપ્રધાને તેમની તાજેતરની UAE મુલાકાત દરમિયાન અલ અરેબિયા ન્યૂઝ સાથેની તેમની મુલાકાતમાં આ સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે કાશ્મીર સહિતના વિવિધ "સંવેદનશીલ" મુદ્દાઓને ઉકેલવા માટે "ગંભીર" વાટાઘાટો માટે આહ્વાન કર્યું છે અને કહ્યું હતું કે, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) બંને પરમાણુ હથિયારોથી સંપન્ન બે પાડોશી દેશો વચ્ચેની મંત્રણા ફરી શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. શરીફે સોમવારે દુબઈ સ્થિત એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

શાહબાઝ શરીફે શું કહ્યું?

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાશ્મીર મુદ્દા અને પાકિસ્તાન તરફથી થતા સીમાપાર આતંકવાદને લઈને તણાવપૂર્ણ છે. ભારતે પહેલાથી જ કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થીનો અસ્વીકાર કર્યો છે. શરીફે કહ્યું હતું કે, ભારતીય નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારો સંદેશ છે કે આવો, આપણે વાટાઘાટોના ટેબલ પર બેસીએ અને કાશ્મીર જેવા સળગતા મુદ્દાના ઉકેલ માટે ગંભીરતાથી વાત કરીએ.

તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન અને ભારત પાડોશી દેશ છે અને તેમને એકબીજા સાથે રહેવાનું છે. તેમણે કહ્યું હતું કે, આ આપણા પર નિર્ભર છે કે આપણે શાંતિથી જીવીએ, પ્રગતિ કરીએ કે આપણે અંદરો અંદર ઝઘડીએ, સમય અને સંસાધનોનો બગાડ કરીએ. અમે ભારત સાથે ત્રણ યુદ્ધો લડી ચુક્યા છીએ અને તેનાથી લોકોની મુશ્કેલીઓ, ગરીબી અને બેરોજગારી જ વધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget