શોધખોળ કરો

Modi in Ukraine: 'ટ્રેન ફોર્સ વન'થી કીવ પહોંચ્યા PM મોદી, ઝેલેન્સકી સાથે યુદ્ધના સમાધાન પર કરશે ચર્ચા

Modi in Ukraine: પોલેન્ડનો પ્રવાસ પૂરો કર્યા બાદ આજે PM મોદી ટ્રેનમાં 10 કલાકની મુસાફરી કરીને યુક્રેન પહોંચશે.

Modi in Ukraine:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં પોલેન્ડ અને યુક્રેનના પ્રવાસે છે. પોલેન્ડનો પ્રવાસ પૂરો કર્યા બાદ આજે તે ટ્રેનમાં 10 કલાકની મુસાફરી કરીને યુક્રેન પહોંચશે. વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે લગભગ 7 કલાક યુક્રેનની રાજધાની કિવમાં રહેશે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ  ઝેલેન્સકી સાથે વાતચીત કરશે. યુક્રેન અને રશિયા યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ પર પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે લગભગ ત્રણ દાયકા પહેલા બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. આ પ્રવાસ પર સમગ્ર વિશ્વની નજર છે. અમેરિકાએ વડાપ્રધાન મોદીની યુક્રેનની મુલાકાતને મહત્વની ગણાવી છે.

આ પહેલા પીએમ મોદીએ પોલેન્ડમાં યુદ્ધના બદલે વાતચીતની કૂટનીતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત યુક્રેન અને પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયાસોને સમર્થન આપવા તૈયાર છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત યુક્રેન અને પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતાની સ્થાપના માટે મિત્ર દેશોને તમામ શક્ય સહાય પૂરી પાડવા તૈયાર છે, કારણ કે યુદ્ધના મેદાનમાં કોઈ સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. વારર્સોમાં પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે વાતચીત બાદ મીડિયા સાથે વાત કરતા મોદીએ કહ્યું કે યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ આપણા બધા માટે ઊંડી ચિંતાનો વિષય છે.

પીએમ મોદીની મુલાકાત પર દુનિયાભરની નજર છે

પીએમ મોદીની આ મુલાકાત ઐતિહાસિક છે. 1992માં ભારત અને યુક્રેન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હશે. રશિયા સાથે ચાલી રહેલા યુક્રેન યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વની નજર પીએમની આ મુલાકાત પર ટકેલી છે. દરમિયાન યુએનના વડાએ આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન મોદીની યુક્રેનની મુલાકાત યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરશે. યુએન સેક્રેટરી-જનરલના પ્રવક્તા સ્ટીફન દુજારિકે પીએમની મુલાકાત વિશે કહ્યું કે અમે ઘણા રાજ્ય અને સરકારના વડાઓને પ્રદેશની મુલાકાત લેતા જોયા છે (અને) અમને આશા છે કે આ તમામ મુલાકાતો અમને મહાસભાના ઠરાવો, આંતરરાષ્ટ્રીય કાયદા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવામાં મદદ કરશે. સુસંગતતા આપણને સંઘર્ષના અંતની નજીક લાવશે.

વડાપ્રધાન મોદી 22 ઓગસ્ટ ગુરુવારે પોલેન્ડથી યુક્રેન જવા રવાના થયા હતા. ટ્રેનમાં લગભગ 10 કલાકની મુસાફરી કર્યા પછી તેઓ આજે, 23 ઓગસ્ટ (શુક્રવાર) કિવ પહોંચશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના કાર્યાલયના જણાવ્યા અનુસાર, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટ, યુક્રેનના રાષ્ટ્રીય ધ્વજ દિવસના રોજ યુક્રેનની સત્તાવાર મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન પીએમ મોદી ખાસ કરીને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે, જેમાં તેઓ દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરશે. નિવેદન અનુસાર, યુક્રેન અને ભારત વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની પણ આશા છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન વિદ્યાર્થીઓ સહિત ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.

ટોપ સ્ટોરી

અમેરિકા ઇરાનનું ભીષણ યુદ્ધ, અમેરિકાએ 5 ઈરાની ટેન્કર કર્યાં ધ્વંશ, જાણો ઈરાને શું કહ્યું?
અમેરિકા ઇરાનનું ભીષણ યુદ્ધ, અમેરિકાએ 5 ઈરાની ટેન્કર કર્યાં ધ્વંશ, જાણો ઈરાને શું કહ્યું?
France: બબાલ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ, હિન્દુ ડેલિગેશનના પ્રવાસ સમયે મહિલા કર્મચારીઓને હટાવાઇ
France: બબાલ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ, હિન્દુ ડેલિગેશનના પ્રવાસ સમયે મહિલા કર્મચારીઓને હટાવાઇ
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
Embed widget