શોધખોળ કરો

Pope Francis: વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Pope Francis: પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન થયું હતુ. પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે વેટિકન સિટીમાં અવસાન થયું. બીમારીના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Pope Francis: પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે વેટિકન સિટીમાં નિધન થયું છે.  બીમારીના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેટિકને સોમવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે. તેમને બંને ફેફસામાં ન્યૂમોનિયા હતો, જેના કારણે તેમની હાલત ગંભીર રહી હતી. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં હતા અને તાજેતરમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

પોપ ફ્રાન્સિસ લાંબા સમયથી બીમાર હતા

પોપ ફ્રાન્સિસ લાંબા સમયથી બીમાર હતા. લગભગ એક મહિનાની હોસ્પિટલમાં સારવાર બાદ પોપ 24 માર્ચે તેમના નિવાસસ્થાન કાસા સાંતા માર્ટા પરત ફર્યા હતા. હોસ્પિટલમાંથી પાછા ફરતી વખતે તેમણે હોસ્પિટલની બહાર એકઠા થયેલા મોટી સંખ્યામાં લોકોને આશીર્વાદ આપ્યા હતા. પોપને જાહેરમાં જોયા પછી લોકો ખૂબ ખુશ દેખાતા હતા અને તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી.

તેમને એક મહિનાથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

પોપ ફ્રાન્સિસને 14 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યૂમોનિયા હતો. હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી. એક મહિનાથી વધુ સમય હોસ્પિટલમાં રહ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી. પોપની સંભાળ રાખતા સર્જરીના વડા સર્જિયો અલ્ફિઅરીએ કહ્યું હતું કે તેમને દવાઓની જરૂર પડતી રહેશે.

યુવાનીમાં ફેફસાંનો એક હિસ્સો કાઢી નાખવામાં આવ્યો હતો

પોપ ફ્રાન્સિસ જ્યારે યુવાન હતા ત્યારે તેમના ફેફસામાં ચેપને કારણે તેના એક હિસ્સાને હટાવવામા આવ્યા હતા. આ કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. 2023માં પણ ફેફસાના ચેપને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

ભારત મુલાકાત અંગે અટકળો ચાલી રહી હતી

પોપ ફ્રાન્સિસ ભારતની મુલાકાતે આવવાના હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયને કહ્યું હતું કે પોપ ફ્રાન્સિસ 2025 પછી ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે. કેથોલિક ચર્ચે 2025ને જ્યુબિલી વર્ષ તરીકે જાહેર કર્યું છે. ભારતે પોપ ફ્રાન્સિસને સત્તાવાર રીતે આમંત્રણ આપી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને આમંત્રણ આપ્યું છે. પોપના સ્વાસ્થ્ય અને સુવિધા અનુસાર આ પ્રવાસનું આયોજન થવાનું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'હૉર્મુઝથી નીકળવા માટે જો કોઈએ ટૉલ આપ્યો તો...', ઇરાન સાથે વાતચીત વચ્ચે અમેરિકાની શિપિંગ કંપનીઓને ધમકી
'હૉર્મુઝથી નીકળવા માટે જો કોઈએ ટૉલ આપ્યો તો...', ઇરાન સાથે વાતચીત વચ્ચે અમેરિકાની શિપિંગ કંપનીઓને ધમકી
Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
'હું તારી બોસ છું, તે મારી સાથે સંબંધ નહીં બાંધ્યા તો...', જેપી માર્ગનની મહિલા અધિકારી પર ભારતીય યુવકે લગાવ્યા ગંભીર આરોપ
'હું તારી બોસ છું, તે મારી સાથે સંબંધ નહીં બાંધ્યા તો...', જેપી માર્ગનની મહિલા અધિકારી પર ભારતીય યુવકે લગાવ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
Embed widget