શોધખોળ કરો

Pope Francis: વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Pope Francis: પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન થયું હતુ. પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે વેટિકન સિટીમાં અવસાન થયું. બીમારીના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Pope Francis: પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે વેટિકન સિટીમાં નિધન થયું છે.  બીમારીના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેટિકને સોમવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે. તેમને બંને ફેફસામાં ન્યૂમોનિયા હતો, જેના કારણે તેમની હાલત ગંભીર રહી હતી. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં હતા અને તાજેતરમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

પોપ ફ્રાન્સિસ લાંબા સમયથી બીમાર હતા

પોપ ફ્રાન્સિસ લાંબા સમયથી બીમાર હતા. લગભગ એક મહિનાની હોસ્પિટલમાં સારવાર બાદ પોપ 24 માર્ચે તેમના નિવાસસ્થાન કાસા સાંતા માર્ટા પરત ફર્યા હતા. હોસ્પિટલમાંથી પાછા ફરતી વખતે તેમણે હોસ્પિટલની બહાર એકઠા થયેલા મોટી સંખ્યામાં લોકોને આશીર્વાદ આપ્યા હતા. પોપને જાહેરમાં જોયા પછી લોકો ખૂબ ખુશ દેખાતા હતા અને તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી.

તેમને એક મહિનાથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

પોપ ફ્રાન્સિસને 14 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યૂમોનિયા હતો. હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી. એક મહિનાથી વધુ સમય હોસ્પિટલમાં રહ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી. પોપની સંભાળ રાખતા સર્જરીના વડા સર્જિયો અલ્ફિઅરીએ કહ્યું હતું કે તેમને દવાઓની જરૂર પડતી રહેશે.

યુવાનીમાં ફેફસાંનો એક હિસ્સો કાઢી નાખવામાં આવ્યો હતો

પોપ ફ્રાન્સિસ જ્યારે યુવાન હતા ત્યારે તેમના ફેફસામાં ચેપને કારણે તેના એક હિસ્સાને હટાવવામા આવ્યા હતા. આ કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. 2023માં પણ ફેફસાના ચેપને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

ભારત મુલાકાત અંગે અટકળો ચાલી રહી હતી

પોપ ફ્રાન્સિસ ભારતની મુલાકાતે આવવાના હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયને કહ્યું હતું કે પોપ ફ્રાન્સિસ 2025 પછી ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે. કેથોલિક ચર્ચે 2025ને જ્યુબિલી વર્ષ તરીકે જાહેર કર્યું છે. ભારતે પોપ ફ્રાન્સિસને સત્તાવાર રીતે આમંત્રણ આપી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને આમંત્રણ આપ્યું છે. પોપના સ્વાસ્થ્ય અને સુવિધા અનુસાર આ પ્રવાસનું આયોજન થવાનું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક

વિડિઓઝ

Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
Embed widget