શોધખોળ કરો

Russia-Ukraine War: રશિયાએ યુક્રેનની કમર તોડી, આ મુખ્ય બ્રિજને કર્યો જમીનદોસ્ત

Russia-Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને લગભગ 5 મહિના થઈ ગયા છે. હવે એવા સમાચાર છે કે રશિયાએ યુક્રેનના એક મોટા શહેરનો છેલ્લો પુલ તોડી પાડ્યો છે.

Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને લગભગ 5 મહિના થઈ ગયા છે. અત્યારે પણ યુદ્ધના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે એવા સમાચાર છે કે રશિયાએ યુક્રેનના એક મોટા શહેરનો છેલ્લો પુલ તોડી પાડ્યો છે.  પ્રાદેશિક ગવર્નર સર્ગેઈ ગૈડાઈએ આ અંગે જણાવ્યું હતું કે, શહેરનો છેલ્લો પુલ તોડી પાડવામાં આવ્યો છે, બાકીના નાગરિકો શહેરમાં ફસાઈ ગયા અને હવે માનવતાવાદી જરૂરિયાતો પૂરી પાડવી અશક્ય છે. સેવેરોડનેત્સ્કને બચાવવા માટે યુક્રેને વારંવાર ભારે શસ્ત્રોની માંગ કરી હતી. જો કે મોસ્કોએ યુક્રેનને પશ્ચિમી દેશોની સહાયની ટીકા કરી છે.

શહેરની સૌથી મોટી જરૂરિયાત છે બ્રિજ
આ પુલ ડોનેસ્ક શહેર અને તેની આસપાસના વિસ્તારને નિયંત્રિત કરવાની ચાવી છે. જ્યાં યુક્રેનની રાજધાની કિવમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ રશિયાએ પોતાની સંપૂર્ણ શક્તિ બતાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું. યુદ્ધ તેના ચોથા મહિનામાં છે. સોમવારના અંતમાં, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે પૂર્વીય ડોનબાસનું યુદ્ધ યુરોપિયન ઇતિહાસમાં સૌથી ક્રૂર તરીકે નીચે આવશે.

રહેવાસીઓએ વર્ણવી આપવીતી
લુહાન્સ્ક અને ડોનેત્સ્ક પ્રાંતોવાળા આ પ્રદેશ પર રશિયન અલગતાવાદીઓ દાવો કરે છે. લોકોએ કહ્યું કે, અમારા માટે આ લડાઈની કિંમત ઘણી વધારે છે. તે માત્ર ડરામણી છે. અમે દરરોજ અમારા ભાગીદારોનું ધ્યાન એ હકીકત તરફ દોરીએ છીએ કે યુક્રેન માટે પૂરતી સંખ્યામાં આધુનિક હથિયારો જ અમારો લાભ સુનિશ્ચિત કરશે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી શું થયું?

23 ફેબ્રુઆરી 2022 ની રાત્રે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટતિને યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી. થોડા કલાકો પછી, એટલે કે 24 ફેબ્રુઆરીની વહેલી સવારે, યુક્રેનની રાજધાની કિવ અને આસપાસના શહેરોમાં હવાઈ હુમલા શરૂ થયા. રશિયાના આ હુમલાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો.

રશિયાએ અત્યાર સુધીમાં યુક્રેનના નવ શહેરો કબજે કર્યા છે. આમાં મેરીયુપોલ, સેવેરોડોનેત્સ્ક, ડોનબાસ, લુહાન્સ્ક, મેલિટોપોલ, આઈઝમ, લીમેન, ડોન્સ્ક, રુબેઝોની જેવા શહેરોનો સમાવેશ થાય છે. હવે રશિયન સૈનિકો એક સાથે બે જુદી જુદી દિશામાં આગળ વધી રહ્યા છે. રશિયન સૈનિકોની એક મજબૂત દળ ઉત્તર યુક્રેન તરફ અને બીજી દક્ષિણ તરફ આગળ વધી રહી છે.

કેટલા લોકો માર્યા ગયા?

યુદ્ધમાં મૃતકોની સંખ્યા વિશે ઘણા અલગ-અલગ દાવાઓ થઈ રહ્યા છે. આંકડાકીય અહેવાલ મુજબ, યુક્રેનમાં અત્યાર સુધીમાં 5,500 થી વધુ નાગરિકોના મોત થયા છે. 10 હજારથી વધુ ઘાયલ છે. ધ વર્લ્ડ નંબર્સના અહેવાલ મુજબ, યુદ્ધમાં અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. જેમાં યુક્રેનિયન સૈનિકોનો પણ સમાવેશ થાય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે હવે દરરોજ 100 થી 200 યુક્રેનિયન સૈનિકો મરી રહ્યા છે.

યુક્રેને શું મોટો દાવો કર્યો

યુક્રેનનો એવો પણ દાવો છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 40 હજારથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. 20  હજાર જવાનોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જો કે રશિયા દ્વારા હજુ સુધી આવા આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

રશિયા સંપૂર્ણપણે યુક્રેન પર કબજો કરશે?

રાજકીય પંડિતોના કહેવા મુજબ, રશિયા તેને લીધા વિના પીછેહઠ કરશે નહીં. યુદ્ધને કારણે રશિયાએ ઘણું બધું દાવ પર લગાવી દીધું છે. એક તરફ અમેરિકા, ફ્રાન્સ, જર્મની જેવા પશ્ચિમી દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે, જ્યારે બધાએ રશિયાનો બહિષ્કાર શરૂ કરી દીધો છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ પણ પાછળ હટવા તૈયાર નથી. આવી સ્થિતિમાં યુદ્ધને તાત્કાલિક રોકવું શક્ય નથી.

યુદ્ધમાં કેટલું નુકસાન થયું?

યુક્રેનના સંસદીય પંચે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગને જણાવ્યું છે કે આ યુદ્ધમાં અત્યાર સુધી રશિયાએ 45,000 થી વધુ રહેણાંક ઇમારતોને નષ્ટ કરી છે. 3.02 લાખથી વધુ લોકો બેઘર બન્યા છે. 2200 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ બરબાદ થઈ ગઈ છે. તેમાંથી 201 સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે.

કાર, પુલ બનાવાઈ રહ્યા છે નિશાન

યુદ્ધમાં 500 થી વધુ કાર, 50 રેલ પુલ, 760 ફેક્ટરીઓ અને 560 થી વધુ હોસ્પિટલોને પણ નુકસાન થયું હતું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ યુદ્ધમાં યુક્રેનની 296 હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને આરોગ્ય કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

દુનિયા પર શું અસર પડી?

વિશ્વ પર આ યુદ્ધની સૌથી મોટી અસર ખાદ્ય સંકટના રૂપમાં સામે આવી છે. રશિયા અને યુક્રેન બંને ઘઉંના મુખ્ય ઉત્પાદકો અને નિકાસકારો છે. યુક્રેન વિશ્વના 10 ટકા ઘઉંની નિકાસ કરે છે. આ સિવાય મકાઈના વૈશ્વિક વેપારમાં પણ યુક્રેનનો હિસ્સો 15 ટકા છે યુક્રેન વિશ્વમાં વપરાતા સૂર્યમુખી તેલના 50 ટકા ઉત્પાદન કરે છે. યુદ્ધને કારણે વિશ્વને ઘઉં અને સૂર્યમુખી તેલની કટોકટીનો સામનો કરવો પડ્યો છે. સંયુક્ત રાષ્ટ્રનો ખાદ્ય પુરવઠો કાર્યક્રમ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

ઊર્જા ઉત્પાદન પર અસર

યુદ્ધને કારણે માત્ર ખાદ્યપદાર્થોની કટોકટી જ નહીં પરંતુ ઉર્જા ઉત્પાદન પર પણ અસર પડી છે. રશિયા કુદરતી ગેસનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે. તે ક્રૂડ ઓઈલનો બીજો સૌથી મોટો સપ્લાયર છે અને કોલસાનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર છે. યુદ્ધ પહેલાં, ત્રણ ચતુર્થાંશ રશિયન ગેસ અને અડધા રશિયન ક્રૂડ યુરોપમાં મોકલવામાં આવતા હતા. યુરોપિયન યુનિયનના તેલ, ગેસ અને કોલસાનો એક ક્વાર્ટર ઉપયોગ રશિયામાંથી આવે છે. યુદ્ધને કારણે તેની ઘણી અસર થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget