શોધખોળ કરો

SCO Summit 2024: જયશંકરે SCO બેઠકમાં લગાવી પાકિસ્તાનની ક્લાસ, આતંકવાદ પર શાહબાઝ શરીફની હાજરીમાં સંભળાવ્યું

SCO Summit 2024: તેમણે ઇશારા ઇશારામાં CPEC પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે SCOનો ઉદ્દેશ્ય એકપક્ષીય રીતે પ્રાપ્ત થશે નહીં.

SCO Summit 2024:  ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં SCO સમિટ માટે પાકિસ્તાનમાં છે. એસસીઓ સમિટમાં પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફની સામે એસ.જયશંકરે આતંકવાદ પર સંભળાવ્યું હતું. ઈસ્લામાબાદમાં એસસીઓની બેઠક દરમિયાન મજબૂત સંદેશ આપતાં વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે સીમા પારના આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાને આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે બંને દેશો વચ્ચેના સંબંધો કેમ બગડ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે ચીનને પણ લપેટી દીધું હતું. તેમણે ઇશારા ઇશારામાં CPEC પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે SCOનો ઉદ્દેશ્ય એકપક્ષીય રીતે પ્રાપ્ત થશે નહીં.

એસસીઓ ફોરમમાંથી બોલતા જયશંકરે કહ્યું હતું કે, 'જો કોઈ વિશ્વાસ નથી કે સહકારનો અભાવ છે, જો મિત્રતા ઓછી થઈ છે અને પાડોશી જેવું વર્તન નથી થઇ રહ્યું તો તેના કારણો શોધવા જોઈએ અને તેને દૂર કરવા જોઈએ.' જોકે તેમણે પાકિસ્તાનનું નામ લીધું નહોતું. પરંતુ તેમનો ઇશારો સ્પષ્ટ હતો. જયશંકરે વધુમાં કહ્યું કે જો સરહદ પારથી આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપવામાં આવશે તો વેપાર, ઉર્જાનો પ્રવાહ અને લોકો વચ્ચેનો સંપર્ક કેવી રીતે વધશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કટ્ટરવાદથી કોઈ દેશ આગળ વધતો નથી. વિકાસ અને પ્રગતિ માટે શાંતિ જરૂરી છે.

ભારત કહેતું રહ્યું છે કે તે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે. પરંતુ આ માટે પાકિસ્તાન આતંકવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણ બનાવે તે જરૂરી છે. જયશંકરનું આ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથેની મુલાકાતના એક દિવસ બાદ આપ્યું હતું. તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાનમાં SCO ફોરમમાંથી વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો કે સરહદ પર આતંકવાદ અને અલગતાવાદના કારણે વેપાર અને સંબંધોને પ્રોત્સાહન નહીં આપે.

વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ પોતાના સંબોધનમાં ચીનનો સમાવેશ કર્યો હતો. CPEC પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યા વિના જયશંકરે કહ્યું કે જો આપણે પસંદગીપૂર્વક વિશ્વની પ્રથાઓનું પાલન કરીશું, ખાસ કરીને વેપાર અને વ્યવસાયિક માર્ગો પર તો સભ્ય દેશો પ્રગતિ કરી શકશે નહીં. આ માટે તમામ દેશો પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વને માન્યતા આપે તે જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget