શોધખોળ કરો

News: ઇઝરાયેલ બાદ હવે આ દેશ પણ આપશે એક લાખ ભારતીયોને નોકરી ? ચીન પણ ભડકી ઉડશે

રિપોર્ટ અનુસાર, તાઈવાનમાં બેરોજગારીનો દર સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં તેને મેન્યૂફેક્ચરિંગ, હેલ્થ અને એગ્રીકલ્ચર સેક્ટરમાં મોટી સંખ્યામાં કામદારોની જરૂર છે,

Taiwan: સમગ્ર દુનિયામાં ભારતીયો માટે રોજગારના દરવાજા ખુલી રહ્યાં છે. ઇઝરાયેલ બાદ હવે તાઈવાન ભારતમાંથી એક લાખથી વધુ ભારતીયોને રોજગારી આપવાનું વિચારી રહ્યું છે. ખરેખરમાં, તાઇવાન ભારતીયોને ફેક્ટરીઓ, ફાર્મ અને હૉસ્પીટલોમાં કામ કરવા માટે રાખશે. ફર્સ્ટ પૉસ્ટના અહેવાલ મુજબ, આ કર્મચારીઓ આવતા મહિનાની શરૂઆતમાં આ ટાપુ રાષ્ટ્રમાં જઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, તાઈવાનમાં બેરોજગારીનો દર સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં તેને મેન્યૂફેક્ચરિંગ, હેલ્થ અને એગ્રીકલ્ચર સેક્ટરમાં મોટી સંખ્યામાં કામદારોની જરૂર છે, જે તેને પોતાના દેશમાં મળી રહી નથી. આવી સ્થિતિમાં તેમણે ભારત તરફ સમાધાનનો હાથ લંબાવ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારત અને તાઈવાન વચ્ચે આવતા મહિને નોકરીઓ અંગે સમજૂતી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા હમાસ સાથે યુદ્ધ લડી રહેલા ઈઝરાયેલે પણ એક લાખ ભારતીયોને નોકરીની ઓફર કરી છે.

ભડકી શકે છે ચીન 
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે પુષ્ટિ કરી કે ભારત-તાઈવાન જૉબ એગ્રીમેન્ટ હવે વાટાઘાટોના અંતિમ તબક્કામાં છે. આ કરાર એવા સમયે થવા જઈ રહ્યો છે જ્યારે તાઈવાનને તેની ઝડપથી વૃદ્ધ વસ્તીને કારણે વધુ કામદારોની જરૂર છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 સુધીમાં તાઈવાનની 20 ટકાથી વધુ વસ્તી 80 વર્ષની થઈ જશે. એવું માનવામાં આવે છે કે તાઈવાનની આ ઓફર બાદ ચીન ફરી એકવાર નારાજ થઈ જશે.

ઇઝરાયેલે પણ કરી છે ભારતીયોને રોજગાર આપવાની માંગ 
રિપોર્ટ અનુસાર, તાઈવાને ભારતના કુશળ કામદારોને તેમના દેશના કામદારોની જેમ પગાર અને વીમા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પણ ઓફર કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ભારત જાપાન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ સહિત 13 દેશો સાથે આવા કરાર કરી ચૂક્યું છે. તાજેતરમાં જ ઈઝરાયેલે ભારત પાસે તાત્કાલિક અસરથી એક લાખ કામદારોની માંગણી કરી છે, કારણ કે ઈઝરાયેલે 90 હજાર પેલેસ્ટાઈનની પરમિટ રદ કરી દીધી છે.

 

જો બાઈડનની વિનંતી બાદ યુદ્ધ રોકવા તૈયાર થયું ઈઝરાયલ, પરંતુ રાખી શરત

યુએસ પ્રમુખ જો બાઈડને ઇઝરાયલને ગાઝામાં હમાસ સામે ચાલી રહેલા તેના યુદ્ધને ત્રણ દિવસથી વધુ સમય માટે રોકવા કહ્યું છે જેથી બંધકોને મુક્ત કરવા માટે વાતચીત થઈ શકે. સાથે જ ઈઝરાયલે કહ્યું છે કે તે દરરોજ 4 કલાક લડાઈ રોકવા માટે તૈયાર છે. સમાચાર એજન્સી એપીએ ગુરુવારે (9 નવેમ્બર) આ માહિતી આપી હતી. વ્હાઇટ હાઉસે માહિતી આપી છે કે ઇઝરાયેલ ઉત્તર ગાઝામાં નાગરિકોને બહાર કાઢવાની મંજૂરી આપવા માટે લડાઇમાં દરરોજ 4 કલાકના 'માનવતાવાદી વિરામ' માટે સંમત છે. સમાચાર એજન્સી એપીએ ગુરુવારે (9 નવેમ્બર) આ માહિતી આપી હતી. અલ જઝીરાના અહેવાલ મુજબ, ઇઝરાયલે પશ્ચિમ કાંઠે આવેલા જેનિન શરણાર્થી શિબિર પર ઘણા હુમલા કર્યા છે, જેના કારણે ઓછામાં ઓછા 10 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 16 લોકો ઘાયલ થયા છે.

ઉગ્રવાદી જૂથ હમાસની સૈન્ય પાંખ અલ-કાસિમ બ્રિગેડ્સે જણાવ્યું હતું કે તેઓ ગાઝામાં આગળ વધવાનો પ્રયાસ કરતા ઇઝરાયેલી દળોનો સામનો કરી રહ્યા હતા. 7 ઓક્ટોબરના રોજ હમાસે દક્ષિણી ઈઝરાયેલ પર અચાનક હુમલો કર્યો, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ હમાસ વિરુદ્ધ સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે અને ટેન્ક, સશસ્ત્ર વાહનો અને પાયદળની કાર્યવાહી દ્વારા જમીની સ્તરે પણ હુમલો કરવામાં આવી રહ્યો છે.  અલ જઝીરા અનુસાર, યુદ્ધની શરૂઆતથી ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 10,812 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. તે જ સમયે, આ જ સમયગાળા દરમિયાન હમાસના હુમલામાં 1,400 થી વધુ ઇઝરાયેલના મોત થયા છે.

ઇઝરાયલી આર્મીની ઇન્ફન્ટ્રી બ્રિગેડે બુધવારે ગાઝાની એક મસ્જિદ અને શાળામાં છુપાયેલા આતંકવાદી ટુકડીની ઓળખ કરી હતી. વાયુસેનાની મદદથી આ આતંકીઓ મસ્જિદમાંથી બહાર આવતાની સાથે જ માર્યા ગયા હતા. સેનાએ કહ્યું કે આતંકવાદીઓએ એક હોસ્પિટલ અને અલગ-અલગ વિસ્તારોમાંથી સૈનિકો પર એન્ટી ટેન્ક મિસાઈલ છોડી હતી. સેનાના હેલિકોપ્ટરની મદદથી સૈનિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને આતંકીઓના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા. સેનાએ એક શાળા પર દરોડા દરમિયાન મેદાનમાં રોકેટ લોન્ચ પેડ અને અન્ય હથિયારોની ઓળખ કરી અને આતંકવાદીઓને મારીને હથિયારોનો નાશ કર્યો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget