શોધખોળ કરો

Russia-Ukraine War: 84 મિસાઇલ હુમલા બાદ UNમાં ભડક્યુ યુક્રેન, રશિયા પર લગાવ્યો ‘ આતંકવાદી દેશ’નો આરોપ

વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે

Russia-Ukraine War: યુક્રેનના અનેક શહેરો પર રશિયા તરફથી મિસાઈલ હુમલાનો પડઘો સંયુક્ત રાષ્ટ્રમાં સંભળાયો હતો. સોમવારે (10 ઓક્ટોબર) યુક્રેને મોસ્કોની આ કાર્યવાહીની આકરી ટીકા કરી અને તેના પર 'આતંકવાદી દેશ' હોવાનો આરોપ લગાવ્યો હતો. યુક્રેનના ચાર હિસ્સા પર રશિયાના કબજા બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ સમગ્ર બેઠક દરમિયાન, કિવ પર મોસ્કો દ્વારા સતત હુમલા અને બોમ્બ ધડાકાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. યુક્રેનના ભાગોને જોડવા સામે રશિયાના પગલાની ટીકા કરવા યુએનજીએમાં લાવવામાં આવેલા પ્રસ્તાવ પર 193 UN સભ્યો મતદાન કરશે. સીએનએન અનુસાર, આ અઠવાડિયે મતદાન થઈ શકે છે.

પ્રથમ બેઠક દરમિયાન યુક્રેનના રાજદૂતે સભ્ય દેશોને જણાવ્યું હતું કે રશિયાના આક્રમણને કારણે તેઓ પહેલેથી જ સભ્યો ગુમાવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે સોમવારે લગભગ 84 મિસાઈલો અને બે ડ્રોને જાણીજોઈને રહેણાંક વિસ્તાર અને સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા. તે સિવાય કેટલાય શહેરો પર હુમલા કરવામાં આવ્યા હતા. . આ દરમિયાન શાળાઓ અને યુનિવર્સિટીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. શનિવારે 8 ઑક્ટોબરે યુક્રેને રશિયાને નિશાન બનાવતા ક્રિમિયન બ્રિજ પર હુમલો કર્યો, જે પછી રશિયાએ યુક્રેનના શહેરો પર એક પછી એક અનેક મિસાઇલો છોડી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ બાદ પહેલા ઝાપોરિઝિયા પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો અને પછી ગઈ કાલે સૌથી મોટો હવાઈ હુમલો કિવ પર કરવામાં આવ્યો.

યુક્રેન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 10 ઓક્ટોબરે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 17 શહેરો પર એક સાથે હુમલો કર્યો હતો. રશિયાની એરફોર્સ અને ગ્રાઉન્ડ ફોર્સ દ્વારા યુક્રેનના સૈન્ય મથકો, ઊર્જા કેન્દ્રો અને સંચાર કેન્દ્રો પર એક સાથે હુમલો કરવામાં આવ્યો હતો. 84 થી વધુ મિસાઇલોને નિશાન બનાવીને છોડવામાં આવી હતી.

યુક્રેનમાં ઘણા લક્ષ્યોને નિશાન બનાવ્યા - પુતિન

આ હુમલા પર નિવેદન આપતા વ્લાદિમીર પુતિને કહ્યું કે સંરક્ષણ મંત્રાલયની સલાહ અને જનરલ સ્ટાફના પ્લાનિંગના આધારે રશિયાએ યુક્રેનના ઘણા લક્ષ્યોને જમીન, હવા અને પાણી દ્વારા નિશાન બનાવ્યા છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે કહ્યું હતું કે કિવ સહિત 17 શહેરો પર મેગા એરસ્ટ્રાઈક બદલો લેવાનો પહેલો એપિસોડ છે. એટલે કે રશિયાએ યુક્રેન પર વાર કરવા માટે સમગ્ર યોજના બનાવી છે

રશિયાના આ મોટા હુમલા બાદ પશ્ચિમી દેશો પણ પોતાની રણનીતિ બદલવાનું વિચારી રહ્યા છે. શક્ય છે કે યુક્રેનને હવે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મળી શકે જેની ઝેલેન્સ્કી 4 મહિનાથી માંગ કરી રહી હતી. હકીકતમાં યુક્રેનની સેના NASAMS (NASAMS) ગ્રાઉન્ડ એર ડિફેન્સ સિસ્ટમ અને લેન્ડ બેસ્ટ ફેલેન્ક્સ વેપન સિસ્ટમ અને યુએસ આર્મીની ટેક્ટિકલ લોંગ રેન્જ મિસાઈલ સિસ્ટમ (ATACM)ની તાત્કાલિક ડિલિવરી ઈચ્છે છે જેથી તે રશિયાના ભીષણ હુમલાઓનો સામનો કરી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget