શોધખોળ કરો
Aadhaar Card Status Check: શું તમારું આધાર કાર્ડ રદ થઈ ગયું છે? 20 મિલિયન કાર્ડ નિષ્ક્રિય! ઘરે બેઠા આ રીતે કરો ચેક
UIDAI ની મોટી કાર્યવાહી: બેંક અને સરકારી કામ અટકે તે પહેલાં મોબાઈલથી સ્ટેટસ જાણવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ.
વર્તમાન સમયમાં આધાર કાર્ડ એ માત્ર એક દસ્તાવેજ નથી રહ્યો, પરંતુ દરેક ભારતીય નાગરિકની ઓળખનો મુખ્ય આધારસ્તંભ બની ગયો છે. તાજેતરમાં UIDAI (ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ) દ્વારા પોતાના ડેટાબેઝને વધુ સ્વચ્છ અને સચોટ બનાવવા માટે એક વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે દેશભરમાંથી આશરે ૨૦ મિલિયન (૨ કરોડ) થી વધુ આધાર નંબર નિષ્ક્રિય (Inactive) કરવામાં આવ્યા છે. આ સમાચાર બાદ સામાન્ય જનતામાં સ્વાભાવિક રીતે જ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે જો તમારું કાર્ડ બંધ થઈ જાય તો બેંકિંગથી લઈને રેશનિંગ સુધીના તમામ કામો અટકી શકે છે.
Published at : 02 Dec 2025 07:28 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર




























