શોધખોળ કરો
Aadhaar Card Status Check: શું તમારું આધાર કાર્ડ રદ થઈ ગયું છે? 20 મિલિયન કાર્ડ નિષ્ક્રિય! ઘરે બેઠા આ રીતે કરો ચેક
UIDAI ની મોટી કાર્યવાહી: બેંક અને સરકારી કામ અટકે તે પહેલાં મોબાઈલથી સ્ટેટસ જાણવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ.
વર્તમાન સમયમાં આધાર કાર્ડ એ માત્ર એક દસ્તાવેજ નથી રહ્યો, પરંતુ દરેક ભારતીય નાગરિકની ઓળખનો મુખ્ય આધારસ્તંભ બની ગયો છે. તાજેતરમાં UIDAI (ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ) દ્વારા પોતાના ડેટાબેઝને વધુ સ્વચ્છ અને સચોટ બનાવવા માટે એક વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે દેશભરમાંથી આશરે ૨૦ મિલિયન (૨ કરોડ) થી વધુ આધાર નંબર નિષ્ક્રિય (Inactive) કરવામાં આવ્યા છે. આ સમાચાર બાદ સામાન્ય જનતામાં સ્વાભાવિક રીતે જ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે જો તમારું કાર્ડ બંધ થઈ જાય તો બેંકિંગથી લઈને રેશનિંગ સુધીના તમામ કામો અટકી શકે છે.
1/6

આધાર કાર્ડની અનિવાર્યતા આજે દરેક ક્ષેત્રે જોવા મળે છે. સરકારી યોજનાનો લાભ લેવો હોય, નવું બેંક ખાતું ખોલાવવું હોય, પાન કાર્ડ સાથે લિંક કરવું હોય કે નવું મોબાઈલ સિમ કાર્ડ લેવું હોય; દરેક જગ્યાએ આધાર નંબર ફરજિયાત છે. આવા સંજોગોમાં તમારું આધાર કાર્ડ સક્રિય છે કે નહીં તે જાણવું અત્યંત આવશ્યક બની જાય છે. રાહતની વાત એ છે કે આ સ્ટેટસ જાણવા માટે તમારે કોઈ સરકારી કચેરી કે આધાર કેન્દ્રના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોનની મદદથી માત્ર ગણતરીની મિનિટોમાં જ આ ચકાસણી કરી શકો છો.
2/6

સરકાર દ્વારા આટલી મોટી સંખ્યામાં કાર્ડ્સ રદ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સિસ્ટમની સુરક્ષા વધારવાનો છે. આ સફાઈ અભિયાન અંતર્ગત ખાસ કરીને એવા આધાર નંબર રદ કરવામાં આવ્યા છે જે મૃત્યુ પામેલા લોકોના હતા, જેથી તેનો ભવિષ્યમાં કોઈ દુરુપયોગ ન થઈ શકે. આ માટે UIDAI એ રજિસ્ટ્રાર જનરલ, રાજ્ય સરકારો અને જાહેર વિતરણ વ્યવસ્થા (રાશન સિસ્ટમ) પાસેથી ડેટા એકત્ર કરીને વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરી છે. હવે બેંકો અને વીમા કંપનીઓ પાસેથી પણ માહિતી મેળવીને રેકોર્ડ્સને વધુ અપડેટ કરવામાં આવી રહ્યા છે.
Published at : 02 Dec 2025 07:28 PM (IST)
આગળ જુઓ
Advertisement





















