શોધખોળ કરો
Gir Somnath Rescue: મોતના મુખમાં ફસાયેલા લોકોની વહારે આવી NDRF, જુઓ રેસ્ક્યૂની દિલધડક તસવીરો
Gir Somnath Rescue: ગીર સોમનાથમાં સતત અનરાધાર વરસાદની પરિસ્થિતિના કારણે એનડીઆરએફની ટીમની મદદ લેવાની ફરજ પડી છે.

ગીર સોમનાથમાં ભારે વરસાદથી અનેક લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
1/8

Gir Somnath Rescue: ગીર સોમનાથમાં સતત અનરાધાર વરસાદની પરિસ્થિતિના કારણે એનડીઆરએફની ટીમની મદદ લેવાની ફરજ પડી છે.
2/8

એનડીઆરએફની ટીમના આશરે ૨૫ જેટલા જવાનો જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.
3/8

અવિરત વરસાદના કારણે વેરાવળ-સોમનાથ બાયપાસ પાસેની સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતાં જેમાં લોકો ફસાયા હતાં પરંતુ એનડીઆરએફના જવાનોએ ત્વરિત કામગીરી કરી હતી.
4/8

સોમનાથ બાયપાસ પરની પાસેની સોસાયટીઓમાં એનડીઆરએફની ટીમે રાહત અને બચાવકાર્ય હાથ ધર્યુ હતું.
5/8

રેસ્ક્યૂમાં એનડીઆરએફ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ફસાયેલા લોકોની બચાવ કામગીરીમાં જોડાયા હતાં અને વારાફરતી બોટની મદદથી વૃદ્ધો, મહિલાઓ તેમજ બાળકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતાં.
6/8

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદને પગલે 643 લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે.
7/8

વેરાવળ શહેરમાં અનેક સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા હતા. શહેરના તમામ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઇ જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.
8/8

વેરાવળ-કોડીનાર ફોર ટ્રેક હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા હતા.
Published at : 19 Jul 2023 09:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
