શોધખોળ કરો

Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા, 72 કલાકમાં 5 લોકોના મોત અને 18 ઘાયલ

Manipur News: 3 મેના રોજ, મણિપુરમાં મીતાઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં અત્યાર સુધીમાં 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Manipur News: 3 મેના રોજ, મણિપુરમાં મીતાઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં અત્યાર સુધીમાં 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

મણિપુર હિંસાની ફાઈલ તસવીર

1/6
Manipur Violence Update: મણિપુરમાં હિંસા અટકી રહી નથી. તાજેતરના ગોળીબારમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. ગુરુવારે (31 ઓગસ્ટ) અધિકારીઓએ જણાવ્યું હતું કે બે સમુદાયો વચ્ચે સતત ગોળીબાર બાદ છેલ્લા 72 કલાકમાં મણિપુરના બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન 18 ઘાયલ થયા છે.
Manipur Violence Update: મણિપુરમાં હિંસા અટકી રહી નથી. તાજેતરના ગોળીબારમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. ગુરુવારે (31 ઓગસ્ટ) અધિકારીઓએ જણાવ્યું હતું કે બે સમુદાયો વચ્ચે સતત ગોળીબાર બાદ છેલ્લા 72 કલાકમાં મણિપુરના બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન 18 ઘાયલ થયા છે.
2/6
અધિકારીએ જણાવ્યું કે, બિષ્ણુપુર જિલ્લાના ખોઈરંતકની તળેટીમાં અને ચુરાચંદપુર જિલ્લાના ચિંગફેઈ અને ખૌસાબુંગ વિસ્તારોમાં ગોળીબાર ચાલી રહ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અધિકારીએ જણાવ્યું કે હિંસા મંગળવારે (29 ઓગસ્ટ) ના રોજ શરૂ થઈ હતી જ્યારે ખોઇરેંટક વિસ્તારમાં ભારે ગોળીબાર બાદ આશરે 30 વર્ષની વયના એક ગામ સ્વયંસેવકનું મોત થયું હતું.
અધિકારીએ જણાવ્યું કે, બિષ્ણુપુર જિલ્લાના ખોઈરંતકની તળેટીમાં અને ચુરાચંદપુર જિલ્લાના ચિંગફેઈ અને ખૌસાબુંગ વિસ્તારોમાં ગોળીબાર ચાલી રહ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અધિકારીએ જણાવ્યું કે હિંસા મંગળવારે (29 ઓગસ્ટ) ના રોજ શરૂ થઈ હતી જ્યારે ખોઇરેંટક વિસ્તારમાં ભારે ગોળીબાર બાદ આશરે 30 વર્ષની વયના એક ગામ સ્વયંસેવકનું મોત થયું હતું.
3/6
તેમણે જણાવ્યું કે બુધવાર સાંજથી થોડા કલાકોની શાંતિ બાદ ગુરુવારે સવારે ફરીથી બે જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારની હિંસામાં ઘાયલ એક વ્યક્તિનું મિઝોરમ થઈને ગુવાહાટી જતી વખતે મૃત્યુ થયું હતું. અન્ય એક ઘાયલ વ્યક્તિનું પણ ગુરુવારે સવારે 9 વાગ્યે ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.
તેમણે જણાવ્યું કે બુધવાર સાંજથી થોડા કલાકોની શાંતિ બાદ ગુરુવારે સવારે ફરીથી બે જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારની હિંસામાં ઘાયલ એક વ્યક્તિનું મિઝોરમ થઈને ગુવાહાટી જતી વખતે મૃત્યુ થયું હતું. અન્ય એક ઘાયલ વ્યક્તિનું પણ ગુરુવારે સવારે 9 વાગ્યે ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.
4/6
અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે બિષ્ણુપુરના નારાયણસેના ગામ પાસે હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં બે લોકો માર્યા ગયા અને છ ઘાયલ થયા. સૂત્રોએ જણાવ્યું હતું કે એક પીડિતનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું, જ્યારે બીજાનું મૃત્યુ ત્યારે થયું હતું જ્યારે તેની પોતાની દેશી બનાવટની બંદૂકની ગોળી તેના ચહેરા પર વાગી હતી. દરમિયાન, ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ ચુરાચંદપુરમાં તાત્કાલિક ઇમરજન્સી બંધની હાકલ કરી છે કારણ કે હિંસામાં મૃત્યુઆંક પાંચ પર પહોંચી ગયો છે.
અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે બિષ્ણુપુરના નારાયણસેના ગામ પાસે હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં બે લોકો માર્યા ગયા અને છ ઘાયલ થયા. સૂત્રોએ જણાવ્યું હતું કે એક પીડિતનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું, જ્યારે બીજાનું મૃત્યુ ત્યારે થયું હતું જ્યારે તેની પોતાની દેશી બનાવટની બંદૂકની ગોળી તેના ચહેરા પર વાગી હતી. દરમિયાન, ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ ચુરાચંદપુરમાં તાત્કાલિક ઇમરજન્સી બંધની હાકલ કરી છે કારણ કે હિંસામાં મૃત્યુઆંક પાંચ પર પહોંચી ગયો છે.
5/6
ITLFના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાણી અને તબીબી પુરવઠા સહિતની આવશ્યક સેવાઓને શટડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. ITLF એ એવો પણ દાવો કર્યો હતો કે પીડિતોમાં ગાયક એલએસ મંગાબોઈ લંગડીમ (50) પણ સામેલ છે, જેમણે 3 મેના રોજ મણિપુરમાં વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી ગીત બનાવ્યું હતું. ITLF એ પણ સરકારને લૂંટેલા હથિયારોની શોધ કરવા વિનંતી કરી છે.
ITLFના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાણી અને તબીબી પુરવઠા સહિતની આવશ્યક સેવાઓને શટડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. ITLF એ એવો પણ દાવો કર્યો હતો કે પીડિતોમાં ગાયક એલએસ મંગાબોઈ લંગડીમ (50) પણ સામેલ છે, જેમણે 3 મેના રોજ મણિપુરમાં વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી ગીત બનાવ્યું હતું. ITLF એ પણ સરકારને લૂંટેલા હથિયારોની શોધ કરવા વિનંતી કરી છે.
6/6
મણિપુર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે સુરક્ષા દળોએ કાંગપોકપી, થોબલ, ચુરાચંદપુર અને ઇમ્ફાલ-પશ્ચિમ જિલ્લાના સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન પાંચ હથિયારો, 31 દારૂગોળો, 19 વિસ્ફોટક, IED સામગ્રીના ત્રણ પેક મળી આવ્યા હતા. પોલીસે વિવિધ જિલ્લાઓમાં 130 નાકા પણ લગાવ્યા છે અને નિયમોના ભંગ બદલ 1,646 લોકોની અટકાયત કરી છે.
મણિપુર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે સુરક્ષા દળોએ કાંગપોકપી, થોબલ, ચુરાચંદપુર અને ઇમ્ફાલ-પશ્ચિમ જિલ્લાના સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન પાંચ હથિયારો, 31 દારૂગોળો, 19 વિસ્ફોટક, IED સામગ્રીના ત્રણ પેક મળી આવ્યા હતા. પોલીસે વિવિધ જિલ્લાઓમાં 130 નાકા પણ લગાવ્યા છે અને નિયમોના ભંગ બદલ 1,646 લોકોની અટકાયત કરી છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશHun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
Embed widget