શોધખોળ કરો
Kedarnath Dham: કેદારનાથ ધામના દરવાજા ખોલવા માટે પ્રશાસનની તૈયારીઓ તેજ, હજુ પણ 5 ફૂટ ઉંચો બરફ જામ્યો છે
કેદારનાથ ધામ
1/6

ઉત્તરાખંડમાં બાબા કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં માત્ર બે મહિના બાકી છે, પરંતુ કેદારનાથ ધામમાં હજુ પણ હિમવર્ષા ચાલુ છે. કેદારનાથ ધામ ચારે બાજુથી બરફથી ઘેરાયેલું છે. દૂર દૂરથી બાબાના દરવાજે માત્ર અને માત્ર બરફની જાડી ચાદર પડેલી જોવા મળે છે. અહીં અનેક ફૂટ ઊંચો બરફ જામી ગયો છે, આ દરમિયાન કેદારનાથ મંદિરના દરવાજા ખોલવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
2/6

કેદારનાથ ધામને 12 જ્યોતિર્લિંગોમાં વિશેષ માનવામાં આવે છે. કેદારનાથ ધામ અતિ પ્રાચીન છે. એવું માનવામાં આવે છે કે આ જ્યોતિર્લિંગ મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના દ્વાર 6 મેના રોજ સવારે 6.25 કલાકે ખોલવામાં આવશે.
Published at : 08 Mar 2022 07:39 AM (IST)
આગળ જુઓ





















