શોધખોળ કરો
રાજકોટના ડુંગરકા ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી ના આવતા અર્ધનગ્ન થઇ નોંધાવ્યો વિરોધ
ખેડૂતોનો વિરોધ
1/4

રાજકોટઃ રાજકોટમાં કેનાલમાં પાણી ન આવતા ડુંગરકા ગામના ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં કેનાલમાં બેસી વિરોધ નોંધાવ્યો હતો.
2/4

આજી 2 ડેમમાંથી કેનાલમાં 8 તારીખે પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ આજ દિવસ સુધી પાણી ન પહોંચતા ખેડૂતો રોષે ભરાયા હતા અને અર્ધનગ્ન હાલતમાં કેનાલમાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
3/4

ખેડૂતોનું કહેવું છે કે ખરીફ પાકના પિયત માટે પાણી જરૂર છે પરંતુ કેનાલ જ ખાલી છે અને જો પાણી નહિ મળે તો મગફળી, કપાસ સહિતના પાકને નુક્સાન જવાની ભીતિ છે.
4/4

ખેડૂતોનું કહેવું છે કે એક વિઘામાં 3થી 4 હજાર રૂપિયાનો વાવણીનો ખર્ચ કર્યો છે. પરંતુ પાણી સમયસર નહીં મળે તો બિયારણ ફેઇલ જશે અને પાક સંપૂર્ણ નિષ્ફળ જશે જેથી પાણી છોડવાની માંગ સાથે તેમણે અનોખો વિરોધ નોઁધાવ્યો હતો.
Published at : 15 Jun 2021 12:15 PM (IST)
આગળ જુઓ





















