શોધખોળ કરો
રાજકોટઃ વિધિ માટે બોલાવી મહિલા પર ભુવાએ ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે થયો ખુલાસો?
1/3

મહિલા શંભુ ભુવાની વાડીએ આવતાં તેણે પોતાનું પોત પ્રકાશ્યું હતું અને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. હાલ, મહિલાએ શંભુ ભુવાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરતાં કોટડા સાંગાણી પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાત ધરી છે. અન્ય કોઈ યુવતીઓ આ ભુવાનો ભોગ બની હોય તો ફરિયાદ નોંધાવવા પોલીસે અપીલ કરી છે અને આવા ભુવાઓના ચક્કરમાં ન ફસાવવા પણ અપીલ કરી છે.
2/3

રાજકોટઃ કોટડા સાંગાણીમાં મહિલાને વિધિના નામે બોલાવી ભુવાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ભુવાએ મહિલાના દીકરાને સાજો કરી દેવા માટે હવન માટે બોલાવી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે.
3/3

આ અંગેની વિગત એવી છે કે, કરમાળ પીપળીયાના શંભુ નાથા ગોહેલ (ઉ. આશરે ૬૦) ભુવા છે. આ ભુવા પાસે કોટડા સાંગાણીની મહિલા પોતના 15 વર્ષીય દીકરાની માનસિક બીમારી દૂર કરાવવા માટે આવી હતી. આ મહિલાને હવન કરવો પડશે, તેમ કહીને કરમાળ પીપળીયા પોતાની વાડીએ બોલાવી હતી.
Published at : 05 Oct 2018 01:14 PM (IST)
Tags :
Rajkot PoliceView More





















