![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs AUS: રાજકોટમાં મળેલી હાર બાદ પણ ખુશ છે રોહિત શર્મા, ત્રીજી વન-ડેમાં હાર બાદ ભારતીય કેપ્ટને શું કહ્યુ?
Rohit Sharma Reaction: ભારતીય ટીમને રાજકોટ વનડેમાં 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો
![IND vs AUS: રાજકોટમાં મળેલી હાર બાદ પણ ખુશ છે રોહિત શર્મા, ત્રીજી વન-ડેમાં હાર બાદ ભારતીય કેપ્ટને શું કહ્યુ? IND vs AUS: India captain Rohit Sharma has said that he is happy with his batting ahead of the ODI World Cup 2023 IND vs AUS: રાજકોટમાં મળેલી હાર બાદ પણ ખુશ છે રોહિત શર્મા, ત્રીજી વન-ડેમાં હાર બાદ ભારતીય કેપ્ટને શું કહ્યુ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/28/0f7348daffb8ad3e540364031d9898391695867558474428_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rohit Sharma Reaction: ભારતીય ટીમને રાજકોટ વનડેમાં 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને જીતવા માટે 353 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ આખી ટીમ 49.4 ઓવરમાં માત્ર 286 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જો કે, આ હાર છતાં ભારતીય ટીમ 3 મેચની વનડે શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહી હતી. જોકે, ત્રીજી વનડેમાં મળેલી હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. રોહિત શર્માએ કહ્યું હતું કે હું જે રીતે શોટ્સ રમી રહ્યો છું તેનાથી હું ઘણો ખુશ છું. તેણે એમ પણ કહ્યું હતું કે અમારી ટીમે છેલ્લી 7-8 વનડે મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
Captain @ImRo45 & @klrahul collect the @IDFCFIRSTBank Trophy as #TeamIndia win the ODI series 2⃣-1⃣ 👏👏#INDvAUS pic.twitter.com/k3JiTMiVGJ
— BCCI (@BCCI) September 27, 2023
રાજકોટમાં હાર બાદ રોહિત શર્માએ શું કહ્યું?
રોહિત શર્માએ કહ્યું હતું કે અમે અલગ-અલગ પરિસ્થિતિઓમાં અને અલગ-અલગ ટીમો સામે પડકારોનો સામનો કર્યો છે. મને લાગે છે કે અમે સારું ક્રિકેટ રમ્યા. જો કે આજે અમે જીતી શક્યા નથી, પરંતુ અમારા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું હતું કે જસપ્રીત બુમરાહ જે રીતે બોલિંગ કરી રહ્યો છે તેનાથી તે ખૂબ જ ખુશ છે. આ સિવાય આ બોલરમાં ટેલેન્ટની કોઈ કમી નથી. તેણે એમ પણ કહ્યું કે કોઈપણ બોલરની એક મેચ ખરાબ થઈ શકે છે.
𝙒.𝙄.𝙉.𝙉.𝙀.𝙍.𝙎! 🏆
— BCCI (@BCCI) September 27, 2023
Congratulations #TeamIndia on winning the ODI series 2-1 👏👏#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/6zONjNasFX
રોહિત શર્માએ જસપ્રીત બુમરાહ પર શું કહ્યું?
ભારતીય કેપ્ટને કહ્યું હતું કે જસપ્રીત બુમરાહ જે રીતે શારીરિક અને માનસિક રીતે અનુભવી રહ્યો છે તે અમારા માટે સારો સંકેત છે. તેણે કહ્યું કે અમે વર્લ્ડ કપ માટે અમારી 15 સભ્યોની ટીમને લઈને એકદમ સ્પષ્ટ છીએ, અમે કોઈ પણ પ્રકારની મૂંઝવણમાં નથી. વાસ્તવમાં રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સીરીઝની પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમનો ભાગ નહોતો. રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલે ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી
For his excellent batting display including a magnificent century, Shubman Gill receives the Player of the Series award 🏆👏#TeamIndia | @IDFCFIRSTBank | #INDvAUS pic.twitter.com/hQuNny2tsG
— BCCI (@BCCI) September 27, 2023
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)