શોધખોળ કરો

IND vs AUS: ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાને હજુ સુધી નથી મળ્યા ભારતના વિઝા, મીમ શેરી વ્યક્ત કર્યું દુઃખ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે

Usman Khawaja: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ભારત પહોંચી ગઈ છે, પરંતુ ઉસ્માન ખ્વાજા આ ટીમ સાથે ભારત પહોંચ્યો નથી. તેને અત્યાર સુધી ભારતીય વિઝા મળી શક્યા નથી. આ ઓસ્ટ્રેલિયન ઓપનરે એક મીમ દ્વારા તેનું દર્દ વ્યક્ત કર્યું હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Usman Khawaja (@usman_khawajy)

ઉસ્માન ખ્વાજાએ ઈન્સ્ટાગ્રામ પર ફેમસ ટીવી સીરિઝ 'નાર્કોસ'ની તસવીર શેર કરી છે. આ તસવીરમાં પાબ્લો એસ્કોબારનું પાત્ર ભજવતા અભિનેતા વેગનર મોરા ઝૂલા પર બેસીને કંઈક વિચારતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર મીમ્સમાં આ તસવીરનો ઉપયોગ થાય છે. ઉસ્માન ખ્વાજાએ આ તસવીર શેર કરી અને લખ્યું કે તે પણ તેના ભારતીય વિઝાની રાહ જોઈ રહ્યો છે.

ઉસ્માન ખ્વાજાની આ પોસ્ટ પર ક્રિકેટ ચાહકો રિએક્શન આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે ભારતીય ટીમ ઇન-ફોર્મ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાથી ડરે છે, તેથી તેને વિઝા નથી આપવામાં આવી રહ્યા, તો કેટલાક વિઝા ન મળવાનું કારણ તેના પાકિસ્તાન કનેક્શનને જણાવી રહ્યા છે. નોંધનીય છે કે ઉસ્માન ખ્વાજા પાકિસ્તાન મૂળનો છે અને પાકિસ્તાનના નાગરિકોને ભારતીય વિઝા આપવા માટે એક ખાસ પ્રક્રિયા છે. આ કારણોસર પાકિસ્તાની નાગરિકો અથવા પાકિસ્તાની મૂળના વિદેશી નાગરિકોને ભારતીય વિઝા મેળવવામાં વિલંબ થઈ શકે છે.

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ 
પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન એગર, સ્કૉટ બૉલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરુન ગ્રીન, પીટર હેન્ડ્સ્કૉમ્બ, જૉશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, નાથન લિયૉન, લાન્સ મૉરિસ, ટૉડ મર્ફી, મેથ્યૂ રેનેશૉ, સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન, ડેવિડ વૉર્નર

ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ

ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસ પર ચાર મેચની ટેસ્ટ શ્રેણી અને ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 9-13 ફેબ્રુઆરી, બીજી ટેસ્ટ 17-21 ફેબ્રુઆરી, ત્રીજી ટેસ્ટ 1-5 માર્ચ અને ચોથી ટેસ્ટ 9-13 માર્ચ સુધી રમાશે. આ પછી પ્રથમ વનડે 17 માર્ચ, બીજી વનડે 19 માર્ચ અને ત્રીજી વનડે 22 માર્ચે રમાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Embed widget