શોધખોળ કરો

IND vs SL, 2nd T20: ભારત-શ્રીલંકા વચ્ચે આજે બીજી T20, ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ભારતનો 2 રને વિજય થયો હતો.

IND vs SL:  ભારત અને શ્રીલંકા વચ્ચે T20ની સિરિઝની બીજી મેચ આજે પુણેમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના ખેલાડી સંજુ સેમસન ઈજાગ્રસ્ત થતા તેને સીરિઝમાંથી બહાર જવું પડ્યું છે. સંજુના સ્થાને વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને લેવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયામાં શું થશે બદલાવ

પ્રથમ મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર શિવમ માવી દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે. માવીએ 22 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. બીજી મેચમાં પણ તમામની નજર માવી પર રહેશે. ટીમ ઈન્ડિયા પોતાના બોલિંગ આક્રમણમાં કોઈ ફેરફાર નહીં કરે. જો કે જો અર્શદીપ સિંહ ફિટ થઈ જશે તો તેને હર્ષલ પટેલના સ્થાને તક આપવામાં આવી શકે છે.  આ ઉપરાંત સંજુ સેમસનના સ્થાનેપણ બદલાવ થઈ શકે છે.

માવી સિવાય શુભમન ગિલે પણ પ્રથમ T20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ગિલ માત્ર સાત રન જ બનાવી શક્યો અને ભારત અને હાર્દિક પંડ્યાએ ફરી એકવાર શરૂઆતનો કોયડો ઉકેલવા માટે છોડી દીધી. પંડ્યા અહીં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં યોજાનારી બીજી ટી20 મેચમાં ગિલને વધુ એક તક આપવાની આશા રાખશે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારતીય ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી

સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો

મુંબઈમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો હતો. કેચ પકડતી વખતે સંજુ સેમસનને ઘુંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને ટીમમાંથી બહાર કરાયો છે. પ્રથમ T20 મેચમાં સંજુ સેમસન નિષ્ફળ ગયો હતો અને માત્ર 5 રન જ બનાવી શક્યો હતો.

શ્રેણીમાં ભારત 1-0થી આગળ

ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ભારતનો 2 રને વિજય થયો હતો. ભારત તરફથી સૌથી વધુ દિપક હુડ્ડાએ 41 રન કર્યા હતા. ડેબ્યૂ મેચ રમી રહેલા શિવમ માવીએ 4, હર્ષલ પટેલે 2, ઉમરાન મલીકે 2 વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 162 રન કર્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ 45 રન, કુશલ મેન્ડીસે 28 રન જ્યારે વનિન્દુ ડી.સિલ્વાએ 21 રન કર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકાથી ડિપોર્ટ...રાજનીતિ ઈમ્પોર્ટ !Hun To Bolish : હું તો બોલીશ :  હેલ્મેટને લઈને વિવાદ કેમ?Canada Accident : કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોતAhmedabad Bhadrakali Temple Prasad : 'માતાજીને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી પ્રસાદી ધરાવવી'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.