એક સપ્તાહ માટે IPL કેન્સલ, જાણો ક્યારે થશે નવું શિડ્યૂલ જાહેર
IPL 2025, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે IPL એક સપ્તાહ માટે મુલતવી રાખવામાં આવી છે. બંને દેશો વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ગોળીબાર ચાલી રહ્યો છે.

IPL 2025, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે IPL એક સપ્તાહ માટે મુલતવી રાખવામાં આવી છે. બંને દેશો વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ગોળીબાર ચાલી રહ્યો છે. ગુરુવારે ધર્મશાળામાં રમાઈ રહેલી મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ ચાલી રહી હતી, ફક્ત દસ ઓવર રમાઈ હતી ત્યારે અચાનક ફ્લડલાઈટ બંધ થઈ ગઈ. શરૂઆતમાં એવું લાગતું હતું કે લાઇટમાં કોઈ ટેકનિકલ સમસ્યા છે, તેથી મેચ થોડીવારમાં શરૂ થશે, પરંતુ પછી ખબર પડી કે તે રદ કરવામાં આવી છે. આ પછી, શુક્રવારે તેના મુલતવી રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. હવે BCCI દ્વારા એક અપડેટ આપવામાં આવ્યું છે. જો કે, આઈપીએલ ફરી ક્યાકે શરુ થશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
આવતા અઠવાડિયે સમીક્ષા બેઠક થશે
શુક્રવારે સવારે બીસીસીઆઈએ જાહેરાત કરી કે આઈપીએલ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. આના થોડા સમય પછી, બપોરે ખબર પડી કે બીસીસીઆઈ દ્વારા આવતા અઠવાડિયે એક સમીક્ષા બેઠક યોજાશે. તે દરમિયાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આ પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. એટલે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ એક અઠવાડિયામાં ઓછો થાય તો IPL મેચો શરૂ થશે.
સપ્ટેમ્બરમાં IPL યોજાવાની શક્યતા
આ દરમિયાન, એવા પણ સમાચાર છે કે હવે સપ્ટેમ્બરમાં IPLનું આયોજન થઈ શકે છે, જ્યારે એશિયા કપ યોજાવાનો છે. એશિયા કપ સપ્ટેમ્બરમાં યોજાવાનો છે. જોકે, અત્યાર સુધી ન તો તેનું શેડ્યૂલ જાહેર થયું છે અને ન તો કોઈ કાર્યક્રમ છે. ભારત અને પાકિસ્તાનની ટીમો પણ તેમાં ભાગ લે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતાં, એશિયા કપ હાલમાં યોજાવાની શક્યતા ખૂબ જ ઓછી છે, એટલે કે તેનું આયોજન જોખમમાં મુકાયું હોય તેવું લાગે છે. દરમિયાન, એ પણ નિશ્ચિત છે કે મેચો માટે નવા સ્થળો પર વિચાર કરવામાં આવશે.
ઘણા વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો
એવું કહેવાય છે કે IPL મુલતવી રાખતા પહેલા, BCCI એ ઘણા વિકલ્પો પર વિચાર કર્યો હતો, જેમાં સ્થળોમાં ફેરફારનો પણ સમાવેશ થાય છે. પરંતુ જ્યારે શક્યતા ઊભી ન થઈ, ત્યારે તેને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો. આઈપીએલના ચેરમેન અરુણ ધુમલે અગાઉ કહ્યું હતું કે આગળનો કોઈપણ નિર્ણય સરકાર સાથે પરામર્શ કરીને લેવામાં આવશે.




















