શોધખોળ કરો

Suryakumar Yadav: સૂર્યકુમાર આ વર્ષે T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો, સ્ટ્રાઈક રેટ જોઈને ચોંકી જશો

સૂર્યકુમાર યાદવ પછી વર્ષ 2022માં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવનારમાં નેપાળના દીપેન્દ્ર સિંહ (626)નું નામ આવે છે.

T20I Records: ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ વર્ષે T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં તેની 69 રનની ધમાકેદાર ઇનિંગ્સ તેને આ સ્થાન પર લઈ ગઈ છે. અહીં ખાસ વાત એ છે કે સૂર્યકુમારે આખા વર્ષમાં 180+ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

સૂર્યકુમાર યાદવે આ વર્ષે T20 ઈન્ટરનેશનલની 20 ઈનિંગ્સમાં 37.88ની બેટિંગ એવરેજ અને 182.84ના સ્ટ્રાઈક રેટથી 682 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. તે આ વર્ષે T20I માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન પણ છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે 42 સિક્સર ફટકારી છે.

આ છે ટોપ-5 ખેલાડી

સૂર્યકુમાર યાદવ પછી વર્ષ 2022માં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવનારમાં નેપાળના દીપેન્દ્ર સિંહ (626)નું નામ આવે છે. ત્રીજા સ્થાને ચેક રિપબ્લિકના સબાવુન ડેવીજી (612) છે. જો કે આ બંને બેટ્સમેનોએ નબળી ટીમો સામે રમતા આટલા રન બનાવ્યા છે. આ યાદીમાં પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન (556) ચોથા નંબરે અને વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન (553) પાંચમા નંબરે છે.

રોહિત શર્મા આ વર્ષે T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બીજા ક્રમે છે

રોહિત શર્માએ આ વર્ષે 20 મેચોમાં 27.61ની બેટિંગ એવરેજ અને 147.04ના સ્ટ્રાઈક રેટથી 497 રન બનાવ્યા છે. તે સૂર્યકુમાર પછી વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. રોહિત શર્મા પછી આ યાદીમાં શ્રેયસ અય્યર (449), હાર્દિક પંડ્યા (436) અને વિરાટ કોહલી (433)નું નામ આવે છે.

સૌથી વધુ સિક્સર

સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામેની તેની ઇનિંગ દરમિયાન 5 સિક્સર ફટકારી હતી અને તે વર્ષ 2022માં T20માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન છે. આટલું જ નહીં, એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલામાં તે હવે પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની સાથે જોડાઈ ગયો છે. રિઝવાને વર્ષ 2021માં એક કેલેન્ડર વર્ષમાં કુલ 42 સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર પાસે હવે આગામી મેચમાં રિઝવાનનો રેકોર્ડ તોડવાની શાનદાર તક હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાંGandhinagar | ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે 24700થી વધુ કાયમી શિક્ષકોની ભરતીRajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ-દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
Embed widget