શોધખોળ કરો

T20 World Cup 2024: ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જલદી થશે જાહેરાત, આ 15 ખેલાડીઓને મળી શકે છે તક

T20 World Cup 2024:આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં હવે માત્ર થોડા દિવસો બાકી છે

T20 World Cup 2024: આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં હવે માત્ર થોડા દિવસો બાકી છે. આગામી T20 વર્લ્ડ કપ 1 જૂનથી યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે. આ માટે અજીત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારોની બેઠક આ મહિનાની છેલ્લી તારીખ (30 એપ્રિલ) અથવા આવતા મહિનાની પ્રથમ તારીખે યોજવામાં આવી શકે છે.

ICCએ T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવાની અંતિમ તારીખ 1 મે નક્કી કરી છે. એટલે કે આ તારીખ સુધીમાં તમામ 20 દેશોએ પોતપોતાની ટીમ પસંદ કરવાની રહેશે. ભારતીય ચાહકો પણ પોતાની ટીમની પસંદગીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીય પસંદગીકારો તેમની ટીમ પસંદ કરશે, તે પહેલા અમે તમને જણાવીએ કે એવા કોણ ખેલાડીઓ છે જેમને T20 વર્લ્ડ કપ રમવાની તક મળી શકે છે.

બેટ્સમેન (5): કેપ્ટન રોહિત શર્માની સાથે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને નંબર-1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું વર્લ્ડ કપ ટીમમાં હોવું લગભગ નિશ્ચિત છે. ઓપનર યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહને પણ વર્લ્ડ કપ રમવાની તક મળી શકે છે. યશસ્વીએ તાજેતરના સમયમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે રિંકુ સિંહે પણ ફિનિશરની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે.

વિકેટકીપર (2): વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો રિષભ પંત અને સંજુ સેમસન વર્લ્ડ કપની ટીમમાં હોઈ શકે છે. પંત IPL 2024થી પ્રોફેશનલ ક્રિકેટમાં પાછો ફર્યો છે. પંતે કેટલીક વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ફોર્મમાં હોવાના સંકેત આપ્યા છે. પંતનું વિકેટ પાછળનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. બીજી તરફ બીજા વિકેટકીપર તરીકે સંજુ સેમસનને સ્થાન મળી શકે છે. સંજુ વર્તમાન IPL સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી શાનદાર બેટિંગ કરી રહ્યો છે.

ઓલરાઉન્ડર (3): ઓલરાઉન્ડરની વાત કરીએ તો હાર્દિક પંડ્યાને ટીમમાં સ્થાન મળી શકે છે. તે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની એન્ટ્રી પણ નિશ્ચિત માનવામાં આવી રહી છે. અક્ષર પટેલ કરતાં જાડેજાને પ્રાથમિકતા આપી શકાય છે. શિવમ દુબેને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

સ્પિનર્સ (2): કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને સ્પિન બોલર તરીકે વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. લેગ સ્પિનર ​​ચહલ T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તે IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

ફાસ્ટ બોલર (3): ફાસ્ટ બોલિંગ યુનિટમાં જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહનું સ્થાન નિશ્ચિત જણાય છે. આ સાથે જ મોહમ્મદ સિરાજને ત્રીજા ઝડપી બોલર તરીકે પણ સ્થાન મળી શકે છે. વર્તમાન આઇપીએલ સીઝનમાં સિરાજ ચોક્કસપણે મોંઘો સાબિત થયો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

T20 વર્લ્ડ કપ માટે સંભવિત ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, સંજુ સેમસન, (વિકેટકીપર), રિંકુ સિંહ, મોહમ્મદ સિરાજ.

આ ખેલાડીઓ પણ પસંદગી માટેના દાવેદાર છે: કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, મયંક યાદવ (હાલમાં ઈજાગ્રસ્ત), શુભમન ગિલ, રિયાન પરાગ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget