શોધખોળ કરો

શું ચોથી ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે બુમરાહ? મોહમ્મદ કૈફના નિવેદનથી હડકંપ

Jasprit Bumrah: પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. કૈફ માને છે કે જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. અહીં જાણો કૈફે આવું કેમ કહ્યું.

Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. અમે આ કહી રહ્યા નથી. આ વાત ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે કહી છે. કૈફના આ નિવેદનથી આખી દુનિયા આશ્ચર્યચકિત છે. કૈફ માને છે કે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં પોતાનું સર્વસ્વ આપવા છતાં નિષ્ફળ ગયા બાદ, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.

તમને જણાવી દઈએ કે માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ ખૂબ થાકેલો દેખાઈ રહ્યો છે. તે પોતાની જૂની લયમાં જોવા મળી રહ્યો નથી. ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં બુમરાહ અત્યાર સુધી 28 ઓવર બોલિંગ કરી ચૂક્યો છે, પરંતુ તેને ફક્ત એક જ વિકેટ મળી છે. આ દરમિયાન બુમરાહએ 95 રન આપ્યા છે. શુક્રવારે ત્રીજા દિવસના છેલ્લા સત્રમાં તેણે જેમી સ્મિથની વિકેટ લીધી હતી.

બુમરાહ પાંચમી ટેસ્ટ નહીં રમે, તે નિવૃત્તિ પણ લઈ શકે છે - મોહમ્મદ કૈફ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે સોશિયલ મીડિયા 'X' પર પોસ્ટ કરેલા પોતાના વીડિયોમાં કહ્યું, "મને લાગે છે કે જસપ્રીત બુમરાહ આગામી ટેસ્ટ (પાંચમી) નહીં રમે. તે નિવૃત્તિ પણ લઈ શકે છે. તે પોતાના શરીર સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ ટેસ્ટ મેચમાં તેની ગતિ ઓછી થઈ ગઈ છે. બુમરાહ એક પ્રામાણિક વ્યક્તિ છે, જો તેને લાગે કે તે દેશને પોતાનું 100 ટકા આપી શકતો નથી, તો તે પોતાને આ ફોર્મેટથી અલગ કરી લેશે. વિકેટ ન મળવી એ અલગ વાત છે, પરંતુ તેના બોલની ગતિ પણ ઘટીને 125-130 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે."

મોહમ્મદ કૈફ માને છે કે ચાહકોએ હવે પોતાને આ સત્ય માટે તૈયાર રાખવું જોઈએ કે ભવિષ્યમાં તેઓ બુમરાહને ટેસ્ટ ક્રિકેટમાં ઓછું રમતા જોશે. કૈફે કહ્યું, "બુમરાહના જુસ્સા અને સમર્પણ વિશે કોઈ શંકા નથી, પરંતુ હવે તેનું શરીર હાર માની રહ્યું છે. આ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન સ્પષ્ટપણે દર્શાવે છે કે તેને ભવિષ્યમાં ટેસ્ટ મેચ રમવામાં સમસ્યા થશે. કદાચ તે ટેસ્ટ ક્રિકેટથી દૂર રહેશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર. અશ્વિન પછી, હવે ભારતીય ચાહકોને બુમરાહ વિના રમત જોવાની આદત પાડવી પડશે. હું ઇચ્છું છું કે મારી આ આગાહી ખોટી સાબિત થાય, પરંતુ હું જે જોયું તે કહી રહ્યો છું."

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
Embed widget