શોધખોળ કરો

WTC Final: ઇજાગ્રસ્ત રોહિત શર્મા નહીં રમે તો આજે કેપ્ટન કોણ ? આ ગુજરાતીની થઇ રહી છે ચર્ચા, જાણો

ન્યૂઝ એજન્સી એએનઆઇએ હાલમાં જ એક ટ્વીટ કર્યુ છે, ટ્વીટ પ્રમાણે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ઇન્જર્ડ બતાવવામાં આવ્યો છે

WTC 2023: આઇસીસીની સૌથી મોટી ઇવેન્ટ આવતીકાલથી શરૂ થઇ રહી છે, ક્રિકેટના સૌથી મોટા ફૉર્મેટમાં આજથી ચેમ્પીયન બનવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમે ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર આમને સામને ટકરાશે, પરંતુ આ પહેલા ટીમ ઇન્ડિયા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર, ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે. 

ન્યૂઝ એજન્સી એએનઆઇએ હાલમાં જ એક ટ્વીટ કર્યુ છે, ટ્વીટ પ્રમાણે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ઇન્જર્ડ બતાવવામાં આવ્યો છે. ટ્વીટ પ્રમાણે, રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે અને તેને ડાબા હાથના અંગૂઠા પર ઇજા પહોંચી છે, જોકે, ઇજા બાદ તેને પટ્ટી બાંધીને ફરીથી પ્રેક્ટિસ કરી હતી. ઇજા કેટલી ગંભીર છે, તેનું અપડેટ સામે આવ્યુ નથી. મહત્વનું છે કે, રોહિત શર્માની ઇજા અંગે કોઇ અપડેટ સામે આવ્યુ નથી પરંતુ રોહિત શર્માએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, હું ટીમને એક આઇસીસી ટ્રૉફી અપાવવા માંગુ છુ, આના પરથી માની શકાય કે રોહિત શર્મા આવતીકાલે મેદાનમાં ઉતરશે, જો મેદાનમાં નથી ઉતરતો તો મીડલ ઓર્ડર ગુજરાતી બેટ્સમેન ચેતેશ્વર પુજારાને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.

રોહિત શર્મા નહીં રમે તો કેપ્ટન કોણ ?
ખાસ વાત છે કે, જો આજે ઇજાગ્રસ્ત રોહિત શર્મા નહીં રમે તો આજે કેપ્ટન તરીકે ટીમ ઇન્ડિયા તરફથી મેદાનમાં કોણ ઉતરી શકે છે, આ સવાલના જવાબમાં ક્રિકેટ ફેન્સ વચ્ચે સૌથી વધુ ચર્ચા ભારતના આધારસ્તંભ ગણાતા બેટ્સમેન ચેતેશ્વર પુજારાની થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ચેતેશ્વર પુજારાને ટેસ્ટ ક્રિકેટનો લાંબો અનુભવ છે, અને છેલ્લા કેટલાય સમયથી ચેતેશ્વર પુજારા ટી ઇન્ડિયાનો મીડલ ઓર્ડરમાં વિશ્વાસપાત્ર બેટ્સમેન રહ્યો છે. ખાસ કરીને ભારત બહારની પીચો પર પુજારાનું પ્રદર્શન અન્ય બેટ્સમેનો કરતાં વધુ સારુ રહ્યું છે. ગયા વર્ષે પણ પુજારા ઇંગ્લેન્ડમાં લીગ અને ટૂર્નામેન્ટ રમી ચૂક્યો છે, જેમાં તેનું પ્રદર્શન સારુ રહ્યું હતુ. જો પુજારાની ટેસ્ટ કેરિયરની વાત કરીએ તો, 35 વર્ષીય પુજારાએ ટીમ ઇન્ડિયા માટે 100થી વધુ એટલે કે 102 ટેસ્ટ મેચ રમી છે, અને આ દરમિયાન તેને 7154 રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે, ખાસ વાત છે કે, આ દરમિયાન પુજારાનો હાઇએસ્ટ સ્કૉર 206 રનોનો અણનમ રહ્યો છે. ચેતેશ્વર પુજારાના આ અનુભવ અને સીનિયૉરિટી પ્રમાણે કેપ્ટનની જવાબદારીમાં ફિટ બેસે છે. 

ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા સતત બીજીવાર આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચી છે, ગઇ વખતે ટીમ ઇન્ડિયાનો સામને ફાઇનલમાં કીવી ટીમ સામે થયો હતો, જેમાં વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ વાત છે કે છેલ્લા 10 વર્ષથી ભારતીય ટીમ એકપણ આઇસીસી ટ્રૉફી જીતવામાં સફળ થઇ શકી નથી. આ વખતે આઇસીસી ટ્રૉફી જીતવા માટે ટીમ ઇન્ડિયા પર ભારે દબાણ છે. ડબલ્યૂટીસી ફાઇનલમાં 7 જૂનથી 11 જૂન સુધી ઓવલના મેદાનમાં રમાશે, આ મેચ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. આ સિવાય 12 જૂનને અનામત દિવસ તરીકે રાખવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડમાં બેટિંગ કરવી આસાન નથી - રોહિત શર્મા 
ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપ ફાઈનલ પહેલા રોહિત શર્માએ કહ્યું કે ઈંગ્લેન્ડમાં બેટિંગ આસાન રહી નથી. એક બેટ્સમેન તરીકે હું કહી શકું છું કે તમે ક્યારેય હળવા મૂડમાં આને નહીં લઇ શકો. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ઓવલ મેદાન પર રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર

ઓસ્ટ્રેલિયા

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, એલેક્સ કૈરી, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લિયોન, સ્કૉટ બોલેન્ડ

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Embed widget