શોધખોળ કરો

Stuart Broad Retirement: જેની ઓવરમાં યુવરાજે 6 સિક્સર ફટકારી હતી તેની નિવૃત્તિ પર કરી ખાસ તસવીર શેર, બ્રોડને ગણાવ્યો લિજેન્ડ

Stuart Broad England Yuvraj Singh: ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિની જાહેરાત કરી છે. તે લંડનમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં રમી રહ્યો છે. બ્રોડની આ છેલ્લી મેચ છે.

Stuart Broad England Yuvraj Singh: ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિની જાહેરાત કરી છે. તે લંડનમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં રમી રહ્યો છે. બ્રોડની આ છેલ્લી મેચ છે. બ્રોડની નિવૃત્તિને લઈને, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે એક ખાસ પોસ્ટ શેર કરી છે. સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરવાની સાથે તેણે રસપ્રદ કેપ્શન પણ લખ્યું છે. બ્રોડને નિવૃત્તિના અવસર પર અભિનંદન આપતા યુવરાજે તેને એક મહાન ક્રિકેટરનો દરજ્જો આપ્યો છે.

યુવરાજે ઈન્સ્ટાગ્રામ પર બ્રોડ સાથેનો એક ફોટો શેર કર્યો છે અને તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. યુવરાજે લખ્યું, સ્ટુઅર્ટ બ્રોડને શાનદાર ટેસ્ટ કારકિર્દી માટે અભિનંદન. વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંના એક અને રિયલ લિજેન્ડ. તમારી યાત્રા પ્રેરણાદાયી છે. આગળના ભવિષ્ય માટે અભિનંદન બ્રોડી !

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yuvraj Singh (@yuvisofficial)

બ્રોડે તેની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ઇંગ્લેન્ડ માટે ટેસ્ટમાં બે વાર હેટ્રિક લેનાર બ્રોડ એકમાત્ર બોલર છે. આ સાથે તેણે 600થી વધુ વિકેટ પણ લીધી છે. બ્રોડે તેની કારકિર્દી દરમિયાન ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ તેના માટે એક ઓવર એવી હતી, જેને દુનિયાભરના ક્રિકેટ ચાહકો ભૂલી શક્યા નથી. યુવરાજે બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજના છ છગ્ગા આજે પણ લોકોને યાદ છે. તમને જણાવી દઈએ કે બ્રોડે ઈંગ્લેન્ડ માટે 166 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 600 વિકેટ લીધી છે. તેણે 121 વનડેમાં 178 વિકેટ લીધી છે. બ્રોડે 56 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 65 વિકેટ લીધી છે.

સ્ટુઅર્ટ બ્રોડ વિશે વાત કરતા રડી પડ્યો જેમ્સ એન્ડરસન

 

જેમ્સ એન્ડરસન પોતાના સાથી ખેલાડી સ્ટુઅર્ટ બ્રોડ વિશે વાત કરતા ઘણો ભાવુક થઈ ગયો હતો. આ દરમિયાન જેમ્સ એન્ડરસનની આંખોમાં આંસુ આવી ગયા. આ વીડિયોમાં જેમ્સ એન્ડરસન સ્ટુઅર્ટ બ્રોડ સાથે લાંબા સમય સુધી રમવાનો પોતાનો અનુભવ શેર કરી રહ્યો છે. જો કે જેમ્સ એન્ડરસનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget