દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં 5 ગુજરાતી ખેલાડીઓને ટીમમાં એક સાથે સ્થાન મળ્યું છે. ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહનો પ્રથમ વખત સમાવેશ કરાયો છે. પુજારા, જાડેજા અને હાર્દિક ટેસ્ટ ટીમના નિયમિત સભ્ય છે, જ્યારે પાર્થિવની સ્ટેન્ડબાય વિકેટકિપર તરીકે ટીમમાં પસંદગી થઈ છે.
3/4
જયપુરમાં રમાતી બંગાળ-ગુજરાતની રણજી ટ્રોફી મેચ દરમિયાન વિકેટકિપિંગ કરતી વખતે 32 વર્ષીય પાર્થિવ એક બોલ વ્યવસ્થિત રીતે કલેક્ટ કરી શક્યો નહોતો. જેના કારણે તેની વચલી આંગળીમાં ઇજા થઈ હતી. બોલ વાગતાં જ તે મેદાન પર ઉંઘી ગયો હતો અને તેને તાત્કાલિક બહાર લઈ જવાયો હતો.
4/4
જયપુરઃ દક્ષિણ આફ્રિકાના મહત્વપૂર્ણ પ્રવાસ પહેલી ટીમ ઈન્ડિયાની ચિંતા વધી શકે છે. પ્રવાસ માટે વૈકલ્પિક વિકેટકિપર તરીકે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવેલો ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલ રણજી ટ્રોફીની મેચ રમતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો. બંગાળ સામેની મેચ રમતી વખતે ગુજરાતની ટીમના પાર્થિવની ડાબા હાથની આંગળીમાં ઇજા થઈ હતી. પાર્થિવની ઇજા કેટલી ગંભીર છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે, ગુજરાતની ટીમના કોચ વિજય પટેલે પાર્થિવ ઝડપથી ફિટ થવાની આશા વ્યક્ત કરી છે.