શોધખોળ કરો

ત્રીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો ઐતિહાસિક વિજય, ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર જીતી વન-ડે સીરિઝ

મેલબોર્નઃ મેલબોર્ન વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટ વિકેટે હરાવી ટીમ ઇન્ડિયાએ ત્રીજી વન-ડેમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.  આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર દ્ધિપક્ષીય વન-ડે સીરિઝ જીતવાની સિદ્ધી મેળવી હતી. આ વન-ડે સીરિઝ જીત્યાની સાથે ભારતે 2018-19 ઓસ્ટ્રેલિયન પ્રવાસનો અંત કોઇ પણ પ્રકારની સીરિઝ ગુમાવ્યા વિના કર્યો હતો. પ્રથમવાર બન્યું છે જ્યારે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં એક જ પ્રવાસમાં બંન્ને સીરિઝ (ટેસ્ટ અને વન-ડે)માં જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વન-ડે સીરિઝમાં ટીમ ઇન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી. જ્યારે ટેસ્ટ સીરિઝ ભારતે 2-1 જીતી હતી. અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ 48.4 ઓવરમાં 230 રન બનાવી શકી હતી. ચહલે 10 ઓવરમાં 42 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. વન-ડે કરિયરનું ચહલનું આ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. ઓસ્ટ્રેલિયા તરફથી  હેન્ડકોમ્બે સૌથી વધુ 58 રન કર્યા હતા. ઉપરાંત શોન માર્શે 39, ઉસ્માન ખ્વાજાએ 34 રન ફટકાર્યા હતા. આ અગાઉ ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ચહલે 10 ઓવરમાં 42 રન આપી 6 વિકેટ લઈ ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્પિનર દ્વારા સૌથી વધુ વિકેટ્સનો નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. 27 રન પર ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં ખ્વાજા અને માર્શે ટીમને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ખૂબ ધીમી બેટિંગ કરી હતી. ભારત તરફથી ચહલે છ, ભુવનેશ્વર કુમાર અને શમીએ બે-બે વિકેટ ઝડપી હતી.  યુજવેન્દ્ર ચહલે સ્ટોઇનિસને 10 રને, ઉસ્માન ખ્વાઝાને 34 રને અને શોન માર્શને 39 રને પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે ભુવનેશ્વર કુમારે પણ બે વિકેટ ઝડપતાં ઓપનર એલેક્સ કેરીને (5 રન) વિરાટ કોહલીના હાથમાં અને એરોન ફિન્ચને (14 રન) એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. અગાઉ ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ વિજય શંકર, કુલદિપ યાદવની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ અને અંબાતી રાયડુની જગ્યાએ કેદાર જાધવ રમશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget