શોધખોળ કરો

શિખર ધવનની ઈજાથી દુઃખી થયો શાસ્ત્રી, કહી આ મોટી વાત, જાણો વિગત

બેંગ્લોરમાં રમાયેલી ત્રીજી વન ડે દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે બેટિંગ કરવા પણ આવી શક્યો નહોતો. ધવનની ઈજાને લઈ ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે.

ઑકલેન્ડઃ ટીમ ઈન્ડિયા છ સપ્તાહના ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચી ગઈ છે. પ્રવાસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગ્યો હતો. બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રીજી વન ડે દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે બેટિંગ કરવા પણ આવી શક્યો નહોતો. ધવનની ઈજાને લઈ ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. ધવનની ઈજા અને રાહુલને લઈ શું કહ્યું શાસ્ત્રીએ શિખર ધવનની ઈજાથી દુઃખી શાસ્ત્રીએ કહ્યું કે, તે અનુભવી ખેલાડી છે અને તેને ઈજા થઈ તે દુઃખની વાત છે. ધવન મેચ વિજેતા છે. ધવનને જે પ્રકારની ઈજા થઈ છે તેવી ઈજાથી ઘણી વખત ટીમને નુકસાન પહોંચે છે. કેપ્ટન વિરાટ કોહલી પહેલા જ કહી ચુક્યો છે કેએલ રાહુલ પાસે વિકેટકિપિંગ કરાવવામાં આવી શકે છે અને શાસ્ત્રીએ તેનું સમર્થન કરતા કહ્યું કે, આ ટીમમાં રાહુલ જેવો બહુમુખી પ્રતિભા ધરાવતો ખેલાડી છે. ભૂતકાળના પ્રદર્શનની નથી કરતા ચિંતા કેદાર જાધવની થઈ રહેલી આલોચનાનો જવાબ આપતા શાસ્ત્રીએ કહ્યું, કેદાર વન ડે ટીમનો અભિન્ન હિસ્સો છે. ન્યૂઝીલેન્ડમાં તે રમશે. ન્યૂઝીલેન્ડની પિચોને લઈ કહ્યું અમે વધારે ચિંતા નથી કરતાં. એક ટીમ તરીકે અમારે પરિસ્થિતિ મુજબ રમવું પડશે. ઈતિહાસ કે ભૂતકાળ પર અમે વધારે નથી વિચારતા. વર્લ્ડકપ જીતવાનું છે ઝનૂન શાસ્ત્રીએ કહ્યું, વર્લ્ડકપ જીતવો ઝનૂન છે અને અમે આ ઈચ્છાને પૂરી કરવા બધું જ કરીશું. આ ટીમની ખાસિયત છે કે બધા એક બીજાની સફળતાનો આનંદ માણે છે. વર્તમાન ટીમમાં હું શબ્દ નથી, અમેની વાત થાય છે. અમે એકબીજાની સફળતાનો જશ્ન મનાવીએ છીએ. જીત ટીમની થાય છે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝમાં જોવા મળી ટીમ ઈન્ડિયાની માનસિક તાકાત ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં રમાયેલી વન ડે સીરિઝમાં 2-1થી મળેલી જીત ભારતીય ટીમની માનસિક તાકાત દર્શાવે છે. જેના કારણે પહેલી મેચમાં ખરાબ રીતે હાર્યા બાદ શાનદાર વાપસી કરી. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ અમારી માનસિક તાકાત અને દબાણમાં રમવાની ક્ષમતાનો સબૂત હતી. તેનાથી અમારી બહાદુરીની ખબર પડી અને સાબિત થયું કે અમે નિર્ભયતાથી ક્રિકેટ રમવાથી ડરતા નથી. શાસ્ત્રીએ એમ પણ કહ્યું, આ ટીમ વર્તમાનમાં જીવે છે. ભૂતકાળમાં જે થયું તે ઈતિહાસ છે. અમે હાલની લયને ભવિષ્યમાં પણ જાળવી રાખીશું. સુરતઃ તડીપાર વસીમ બિલ્લાની નવસારીમાં ગોળી મારી હત્યા, સલમાન ખાન સાથે પડાવ્યો હતો ફોટો Tata Tiago, Tigor  અને Nexon ના ફેસલિફ્ટ વર્ઝન થયા લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ PAKનાં ઘણા ખેલાડીઓ કોહલીથી શ્રેષ્ઠ બની શકે છેઃ અબ્દુલ રઝાકની શેખી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget