યુવરાજે કહ્યું કે, આ વર્ષે આ તકનો લાભ લેવા માગશે. તેણે કહ્યું કે, તેને એ વાતનો અંદાજ પહેલા જ હતો કે પ્રથમ રાઉન્ડમાં તેને કોઈપણ ટીમ નહીં ખરીદે. યુવરાજે કહ્યું કે, મને એવું લાગતું હતું કે હું આ સીઝનમાં મુંબઈ તરફતી જ રમીશ. સાચું કહું તો હું આઈપીએલમાં રમવાની તક મળે તેની રાહ જોઈ રહ્યો હતો. હું ખુશ છું કે મને આ તક મળી.
2/3
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને 2007નો ટી20 વર્લ્ડકપ અને 2011 વર્લ્ડકપ જીતાડનાર શાનદાર બેટ્સમેન યુવરાજ સિંહેએ મોટું નિવેદન આપતા આઈપીએલ 11માં પોતાના ફ્લોપ પ્રદર્શન પાછળ ઈશારમાં જ કિંગ્સ ઇલેવન પંજાબના ટીમ મેનેજમેન્ટ પર સવાલ ઉભા કર્યા છે.
3/3
મુંબઈ મિરરને આપેલ ઇન્ટરવ્યૂમાં યુવરાજ સિંહે કહ્યું કે, તેને કોઈ એક ક્રમ પર રમાડવામાં ન આવ્યો, જેના કારણે તેની છેલ્લી સીઝન સારી ન રહી. તેણે કહ્યું કે, હું છેલ્લી સીઝનમાં મારા ખરાબ પ્રદર્શન સાથે સહમત છું. હું ચાર પાંચ મેચમાં અલગ અલગ પોઝીસન્સ પર રમ્યો. મને કોઈ એક ક્રમ પર રમાડવામાં ન આવ્યો.