વિરમગામમાં હાર્દિક પોતાના પરિવાર સાથે રહેશે ને પછી સૌરાષ્ટ્રના પ્રવાસે જવા નિકળશે. સૌરાષ્ટ્રમાં તે ખોડલધામ, કાગવડ અને ઉમિયાધામ, સિદસરની મુલાકાત લેવાનો છે.
2/3
પાસના બોટાદના કન્વીનર દિલીપ સાબવાએ જણાવ્યું કે, હાર્દિક બપોરે બે વાગે સુરતની બહાર નિકળશે અને વિરમગામ જવા રવાના થશે. એ વખતે 500 કારનો કાફલો હાર્દિક સાથે જોડાશે. આ કાફલો વિરમગામ સુધી હાર્દિકની સાથે રહેશે ને એ રીતે નેશનલ હાઈવે તથા એક્સપ્રેસવે પર પાટીદારો છવાઈ જશે. આ કાફલા સાથે જ હાર્દિક પોતાના વતન વિરમગામમાં ધમાકેદાર એન્ટ્રી કરશે.
3/3
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના નેતા હાર્દિક પટેલ લાજપોર જેલમાંથી 15 જુલાઈ ને શુક્રવારે મુક્ત થશે. હાર્દિક સવારે 11 વાગે જેલની બહાર આવે પછી ખુલ્લી જીપ્સીમાં તેની રેલી નિકળશે. આ રેલી બપોરે બે વાગ્યા સુધી સુરતમાં ફરશે. આ રેલી દરમિયાન પાટીદારો હાર્દિકના કાફલા પર ફૂલવર્ષા કરશે અને તેના સમર્થનમાં બેનરો લઈને ઉભા રહેશે.