શોધખોળ કરો
સુરતઃ પિતાએ યુવકને કહ્યુંઃ સંન્યાસ ના લેતો હોય તો 10 લાખની બાઈક ને ઔડી કાર અપાવું, પુત્રે શું કર્યું ?
1/3

પુત્રના સંન્યાસ માર્ગ લેવાના નિર્ણય પર પિતા ભરતભાઈએ યશને એક લાખની બાઇક ખરીદીને આપી. દર વખતે મોંઘીદાટ કાર જેવી કે જગુઆર, ઓડી, મર્સીડીઝ તેમ જ મોંઘા ફોનની લાલચ આપી અને કહ્યું કે, સંસારનો ત્યાગ ન કરે. સાથે આયૂષી જ્યારે આચાર્ય યશોવર્મસૂરિ મહારાજના પ્રવચનમાં ગઈ તો તેને દીક્ષાનો વિચાર આવ્યો. ત્યાર બાદ આયૂષીનું ધ્યાન અભ્યાસમાં લાગતું નહતું. યશે પણ ધો. 12નો અભ્યાસ કર્યા બાદ બે વર્ષ સુધીવિહાર કર્યો છે.
2/3
સુરતઃ સુરતમાં એક કાપડવેપારી ભરત વોરાના બે સંતાનોએ દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. ભરત વોરાના દીકરા યશ અને આયુષીએ દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. જો કે પિતાએ દીકરાને ભક્તિ માર્ગે જતો રોકવા માટે એક લાખની બાઇક અને ઓડી કારની લાલચ આપી હતી. તેમ છતાં દીકરાએ એ તમામ લાલચોને ફગાવીને સંન્યાસનો માર્ગે જવાનું પસંદ કર્યું હતું.
Published at : 21 Oct 2018 11:54 AM (IST)
View More





















