શોધખોળ કરો
હાર્દિક પટેલે કેમ આપી સુરતના પુણા પોલીસ સ્ટેશનને ઘેરવાની ચીમકી ? ભાજપ પર કર્યા કેવા પ્રહાર ?
1/7

સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ચીમકી આપી છે કે ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની રેલીમાં પાસના કાર્યકરને ઢોરમાર મારનારા ભાજપના કાર્યકરોની ધરપકડ નહીં કરાય તો 9 ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનને ઘેરાવ કરવામાં આવશે.
2/7

હાર્દિકે પુણા પીઆઈને ફોન કરીને જણાવ્યું હતું કે, રેલીનો વિરોધ કરનારની ધરપકડ થઈ છે પણ વિજયને મારનારા ભાજપના કાર્યકરોની ધરપકડ થઈ નથી કે તેમના વિરુધ્ધ ગુનો નોંધાયો નથી. ભાજપ કાર્યકરોની ધરપકડ નહીં થાય તો આગામી 9મી ફેબ્રુઆરીના રોજ પુણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે.
Published at : 02 Feb 2017 01:51 PM (IST)
View More























