શોધખોળ કરો
સુરતના ભજિયાવાલાને ત્યાંથી 1.8 કરોડ રોકડા, 180 કિલો ચાંદી મળી
1/8

ફાયનાન્સરની 200થી વધુ પ્રોપર્ટી હોવાની આઇટીને શંકા છે. પરંતુ તે પૈકી અનેક પ્રોપર્ટી 6 વર્ષથી જુની છે આથી આવા કેસમાં આઇટી પાસે કોઈ ટેક્સ આવશે નહીં. આથી અધિકારીઓ બની શકે તેટલી રોકડ સિઝ કરવા મથી રહ્યા છે.
2/8

ફાયનાન્સર ભજીયાવાલાની પુછપરછ દરમિયાન ઉધના ખાડીના કિનારે આવેલી એક બંધ ફેકટરીની માહિતી મળી હતી. ફેકટરી એક સરદારજીની હતી જેણે કિશોર ભજીયાવાલા પાસે વ્યાજે રૂપિયા લીધા હતા, જો કે, તે ભરપાઈ કરી શકતા સરદારજીએ આખી ફેકટરી આપી દીધી હતી. ફેકટરી બંધ હોય ફાયનાન્સરે તેમાં પહેલાં માળે એક ઓફિસ બનાવી હતી જેમાં જે લોકો વ્યાજે રૂપિયા લઈ જાય તેમની પાસે લીધેલાં જમીન, ફલેટ કે દુકાનોના ડોક્યુમેન્ટ વેર વિખેર જોવા મળ્યા હતા. લોકરની ચાવીઓ પણ પડી હતી. સાટાખત ઉપરાંત લોકો પાસેથી અડધી કિંમતમાં લઇ લીધેલાં મિલકતોના દસ્તાવેજ પણ હતા. એક અધિકારીએ કહ્યુ કે બધુ રીતે પડયુ હતેકે જાણે વર્ષોથી કોઇ સાફ-સફાઇ થઈ હોય. બધુ રદ્દી લાગી રહ્યુ હતુ પરંતુ તપાસ કરતાં 90 કરોડથી વધુના ડોક્યુમેન્ટ હોવાની શંકા છે. હજી અનેક દસ્તાવેજોની ચકાસણી બાકી છે એટલે ફિગર વધી શકે છે.
Published at : 16 Dec 2016 07:07 AM (IST)
View More























