શોધખોળ કરો

વ્યક્તિના મૃત્યુ બાદ તેના ફેસબુક એકાઉન્ટનું શું થાય છે? જાણો મેમોરિયલાઈઝ્ડ એકાઉન્ટ કેવી રીતે કામ કરે છે

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમારા નિધન બાદ તમારા ફેસબુક એકાઉન્ટનું શું થશે? ચાલો તમને જણાવીયે કે ફેસબુક પાસે તમારા માટે કયા ખાસ વિકલ્પો છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમારા નિધન બાદ તમારા ફેસબુક એકાઉન્ટનું શું થશે? ચાલો તમને જણાવીયે કે ફેસબુક પાસે તમારા માટે કયા ખાસ વિકલ્પો છે. ફેસબુક પાસે એક વિકલ્પ છે જ્યાં તમે તમારા યાદગાર અકાઉન્ટની સંભાળ માટે એક 'લીગેસી કોન્ટેક્ટ' પસંદ કરી શકો છો અથવા એકાઉન્ટને ફેસબુક પરથી હંમેશા માટે હટાવી પણ શકો છો. જો કોઈ યુઝર પોતાના એકાઉન્ટને હંમેશા માટે હટાવવા નથી માંગતા અને જ્યારે આવા યુઝર્સના નિધનની જાણકારી ફેસબુકને મળે છે ત્યારે તે યુઝરના એકાઉન્ટને યાદગાર બનાવી દેવામાં આવે છે. 

શું હોય છે મેમોરિયલાઈઝ્ડ એકાઉન્ટઃ
મેમોરિયલાઈઝ્ડ એકાઉન્ટ એક એવી જગ્યા છે જ્યાં દોસ્તો અને પરિવાર પોતાની યાદો વહેંચવા માટે ભેગા થઈ શકે છે અને કોઈ વ્યક્તિના નિધન બાદ પોતાનો પ્યાર વહેંચી શકે છે. આ મેમોરિયલાઈઝ્ડ એકાઉન્ટમાં મૃત્યુ પામનાર વ્યક્તિના નામની આગળ 'Remembering' શબ્દ લખેલો આવે છે. જેથી જાણ થાય છે કે આ યુઝરનું મૃત્યુ થઈ ચુક્યુ છે અને તેનું એકાઉન્ટ તેના પરીવાર અને મિત્રોની સાથે યાદો વહેંચવા માટે મેમોરિયલાઈઝ્ડ કરી દેવામાં આવ્યું છે. 

આ પ્રકારના એકાઉન્ટમાં જે-તે વ્યક્તિના મિત્રોને કોઈ પણ પ્રકારની જાહેરાતો, જન્મદિનના રિમાઈન્ડર, વગેરે જેવી નોટીફિકેશનમાં નહી દેખાય. કોઈ પણ વ્યક્તિ મેમોરિયલાઈઝ્ડ એકાઉન્ટમાં લોગ ઈન નથી કરી શકતું. આવા એકાઉન્ટમાં કોઈ લીગેસી કોન્ટેક્ટ નથી જોડાયેલો હોતો જેથી આવી પ્રોફાઈલમાં કોઈ બદલાવ પણ નથી કરી શકાતો. 

મૃત્યુ પછી એકાઉન્ટ બંધ કરવું હોય તો?
જો કોઈ વ્યક્તિને પોતાના મૃત્યુ પછી પોતાનું ફેસબુક એકાઉન્ટ બંધ (ડિલીટ) કરી દેવું હોય તો તેનો પણ એક વિકલ્પ ફેસબુકમાં હોય છે. આ વિકલ્પ પસંદ કર્યા પછી જ્યારે વ્યક્તિનું નિધન થાય ત્યારબાદ ફેસબુકને તેની જાણ થાય ત્યારે ફેસબુક તે એકાઉન્ટને ડિલીટ કરી દે છે. આ વિકલ્પ પસંદ કરવા માટે નીચે મુજબ પ્રક્રિયાને ફોલો કરો.
1.સૌ પ્રથમ ફેસબુકનાના સૌથી ઉપર જમણી બાજુમાં આવી રહેલા ડાઉન ફેસિંગ આઈકન પર ક્લિક કરો.
2. તે બાદ સેટિંગ અને પ્રાઈવસી વિકલ્પ પર ક્લિક કરો અને પછી સેટિંગ પર ક્લિક કરો.
3. ત્યારબાદ Memorialisation settings પર ક્લિક કરો.
4. ત્યાર બાદ નીચે સ્ક્રોલ કરો અને "Request that your account be deleted after you pass away" નામનો વિકલ્પ પસંદ કરો. ત્યાર બાદ "Delete after death" પર ક્લિક કરો.

ટોપ સ્ટોરી

jio ના નવા પ્લાને મચાવ્યો તહેલકો, ₹3,599 માં મળશે આટલા બધા ફાયદા! જાણો
jio ના નવા પ્લાને મચાવ્યો તહેલકો, ₹3,599 માં મળશે આટલા બધા ફાયદા! જાણો
Jio ની મેગા એનિવર્સરી ઓફર: ₹3,599 ના પ્લાનમાં આખા વર્ષ માટે મળશે બમ્પર લાભ
Jio ની મેગા એનિવર્સરી ઓફર: ₹3,599 ના પ્લાનમાં આખા વર્ષ માટે મળશે બમ્પર લાભ
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
Embed widget